
આ કિતાબનો હેતુ ઇસ્લામ વિશે સામાન્ય સવાલોના જવાબ આપી લોકોને આ મહાન દીનની ઓળખ કરાવવી, અને વિવિધ પ્રકારના લોકો સઁસ્કૃતિ, સમકાલીન ઘટનાઓ પ્રગતિ અને વિકાસ માટેના ઉચ્ચારો દર્શાવવામાં અને તેની વિશિષ્ટાને જાહેર કરવી છે, તેની છબીને ખરાબ કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવતા તેમજ ખોટી નિયત રાખી પ્રયત્નો કરવા છતાંય બાતેલ સામે તેને અડગ રહેવાની ક્ષમતા અને તેની વિરુદ્ધ થનારા પ્રોપોગંડા સામે બાકી રહેવાની ગુણવત્તા દર્શાવવી.
વ્યક્તિ માટે જરૂરી છે કે તે સાચા ઇલાહ પર ઈમાન ધરાવે, અથવા કોઈ બાતેલ ઇલાહ પર, જે તેને ઇલાહ કહી શકતો હોય અથવા કઈ નામ આપી શકતો હોય અથવા અન્ય નામથી પોકારી શકતો હોય. (કહેવાનો તાતપર્ય એ કે માનવીએ કોઈને કોઈ ઇલાહ પર ઈમાન રાખવું જરૂરી છે) તે લોકો સમક્ષ ઇલાહ ઝાડ હોઈ અથવા આકાશમાં કોઈ તારો હોય, અથવા કોઈ સ્ત્રી, અથવા કામકાજનો માલિક અથવા કોઈ સાયન્સનું રિસર્ચ હોય અથવા પોતાનામાં કોઈ માન્યતા હોય, કોઈને કોઈ પર તેની માન્યતા હોવી જોઇએ જેનામાં તે યકીન ધરાવતો હોય અને તેને પવિત્ર ગણતો હોય, અને તે પોતાના જીવનમાં પાછો ફરી શકતો હોય અને તેના માટે જાન પણ આપી શકતો હોય, તે વસ્તુને અમે ઈબાદત કહીએ છીએ, સાચા ઇલાહની ઈબાદત લોકોને લોકોની બંદગી અને સમાજની ગુલામીથી આઝાદ કરે છે.
સાચો ઇલાહ પેદા કરવાવાળો છે, સાચા ઇલાહને છોડીને અન્યની બંદગી કરવાથી એવું સાબિત થશે કે તે પણ ઇલાહ છે. ઇલાહ હોવા માટે જરૂરી છે કે તે પેદા કરવાવાળો હોય, અને તેનો સ્પષ્ટ પુરાવા એ કે તે પેદા કરવાવાળો જ ઈલાહ છે, તેની પેદા કરેલી સૃષ્ટિને જોઈ માની શકાય અથવા તો તેણે ઉતારેલી વહી દ્વારા જેમાં તેણે પાલનહાર હોવાનું સાબિત કર્યું હોય. તેથી, જો આ પૂજ્યોને સમર્થન આપવા માટે કોઈ પુરાવા મળતા નથી, ન તો કોઈ સાક્ષી મળે છે, બ્રહ્માંડની રચનામાંથી અને ન તો સર્જકના શબ્દોમાંથી, તો આવા પૂજ્યો ચોક્કસપણે ખોટા પૂજ્યો છે.
આપણે જોઈએ છીએ કે મુસીબતમાં સપડાયેલો વ્યક્તિ એક સત્ય ઇલાહ તરફ પાછો ફરે છે, અને એક જ ઈલાહની આશા રાખે છે બીજાની નહીં. વિજ્ઞાને સૃષ્ટિના અભિવ્યક્તિઓ અને ઘટનાઓની તપાસ કરીને પદાર્થની એકતા અને બ્રહ્માંડની રચનાની એકતા સાબિત કરી છે, અને સામ્યતા અને સમાનતા દ્વારા જે તેમાં અસ્તિત્વ ધરાવે છે.
ચાલો કલ્પના કરીએ કે એક જ પરિવારના બાળકોનું શું થશે જો તેમના માતા-પિતા કોઈ નિર્ણાયક નિર્ણય કરવા પર અસંમત હોય, અને કેવી રીતે તેમની અસંમતિ તેમના બાળકોનું નુકસાન અને તેમના ભવિષ્યના વિનાશ તરફ દોરી જશે, તેવી જ રીતે જો બે અથવા વધુ ઇલાહ સૃષ્ટિ પર શાસન કરે તો શું થશે?... More
મધ્ય પૂર્વમાં, ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને મુસ્લિમો ઇલાહનો ઉલ્લેખ કરવા માટે "અલ્લાહ" શબ્દનો ઉપયોગ કરે છે, તેનો અર્થ એકમાત્ર સાચો ઇલાહ, જે મૂસા અને ઈસાનો ઇલાહ છે, અને સર્જકે પવિત્ર કુરઆનમાં પોતાની ઓળખ "અલ્લાહ" નામ સાથે આપી, પરંતુ તેના બીજા પવિત્ર નામો અને ગુણો છે. તદુપરાંત, ઓલ્ડ ટેસ્ટામેન્ટની પ્રારંભિક (જુનો કરાર) આવૃત્તિમાં "અલ્લાહ" શબ્દનો ૮૯ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અને અલ્લાહ તઆલાના ગુણો જે પવિત્ર કુરઆનમાં વર્ણન કરવામાં આવ્યા છે તે નીચે મુજબ છે: અલ્ ખાલિક: સર્જન કરનાર.
તે જ અલ્લાહ છે, જે સર્જન કરનાર, બનાવનાર, સ્વરૂપ આપનાર, તેના દરેક નામ સારા છે, આકાશો અને જમીનમાં જે સર્જન છે, તે સૌ તેની જ તસ્બીહ કરી રહ્યા છે, અને તે વિજયી અને હિકમતવાળો છે.[૨] (અલ્ હશ્ર: ૨૪).... More
આ પ્રમાણેના સવાલો સર્જક પ્રત્યે ખોટો વિચાર અને તેને સર્જનીઓ સાથે સરખામણી કરવાના કારણે કરતા હોય છે, આ ધારણાને તર્કસંગત અને તાર્કિક બન્ને રીતે રદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે:
શું કોઈ વ્યક્તિ એક સહેલા પ્રશ્નનો જવાબ આપી શકે છે કે: લાલ રંગની ગંધ શું છે? જો કે આ પ્રશ્નનો કોઈ જવાબ નથી, કારણ કે લાલ રંગનો સુંઘી શકાય એવી વસ્તુઓમાં સમાવેશ કરવામાં નથી આવતો.
તે કંપની જે કોઈ ડિવાઇસ (ઉપકરણ) અથવા વસ્તુ તૈયાર કરતી હોય, ઉદાહરણ તરીકે ટીવી અથવા ફ્રીજ, તો તે કંપની તેના વપરાશ માટે નિયમો અને ઉપયોગ કરવા માટે સૂચનો નક્કી કરતા હોય છે, અને તે બધું એક બુકમાં લખી તેને ડિવાઇસ સાથે આપતા હોય છે. તે ડિવાઇસ ખરીદનાર ઉપભોક્તા જો પોતાની જરૂરત મુજબ તેનાથી ફાયદો ઉઠાવવા માંગતો હોય તો તેણે તે નિયમોનું પાલન કરવું પડશે, આ સમયે ઉત્પાદક તે કાયદાઓનો આધીન નથી.... More
એક સર્જક પર ઈમાન એ વાતને સાબિત કરે છે કે કોઈ પણ વસ્તુ કારણ વગર જાહેર નથી થતી, ઉલ્લેખનીય નથી કે વિશાળ વસવાટ કરેલું ભૌતિક બ્રહ્માંડ અને તેમાં રહેલા જીવો અમૂર્ત ચેતના ધરાવે છે અને ગણિતના અમૂર્ત નિયમોનું પાલન કરે છે. મર્યાદિત ભૌતિક બ્રહ્માંડના અસ્તિત્વને સમજાવવા માટે, આપણને એક સ્વતંત્ર સ્ત્રોતની જરૂર છે, અભૌતિક અને શાશ્વત.
બ્રહ્માંડનું સર્જન એક સંયોગ નથી કારણ કે સંયોગ એ પ્રાથમિક કારણ નથી, પરંતુ એક ગૌણ પરિણામ છે, જે અન્ય પરિબળો (સમય, અવકાશ, પદાર્થ અને ઊર્જાનું અસ્તિત્વ) ની ઉપલબ્ધતા પર આધાર રાખે છે. "સંયોગ" શબ્દનો ઉપયોગ કંઈપણ વસ્તુની સ્પષ્ટતા માટે થઈ શકતો નથી કારણ કે તે કંઈ જ નથી.
ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ તેના રૂમમાં પ્રવેશ કરે અને તેને બારીનો કાચ તૂટેલો જોવા મળે, તો તે તેના પરિવારને પૂછશે કે કોણે બારીનો કાચ તોડયો, તો તેના પરિવારના સભ્યો તેને જવાબ આપશે: તે એક સંયોગ દ્વારા તૂટી ગયો છે. અહીં આ જવાબ ખોટો છે, કારણ કે તેણે બારી કેવી રીતે તોડી તે નથી પૂછ્યું, પરંતુ તેણે પૂછ્યું કે બારી કોણે તોડી. સંયોગ એ ક્રિયાપદનું ગુણ છે, તે પોતે કર્તા નથી. સાચો જવાબ એ છે કે તેઓ કહે: ફલાણા વ્યક્તિએ તે કાચ તોડ્યો છે, પછી તેઓ સૂચવી શકે છે કે જેણે તેને તોડ્યું તે આકસ્મિક અથવા ઇરાદાપૂર્વક તોડ્યું છે. આ જ નિયમ બ્રહ્માંડ અને સર્જનીઓને લાગુ પડે છે.... More
આપણે મેઘધનુષ્ય અને મૃગજળ જોઈએ છીએ, પરંતુ તે બન્ને અસ્તિત્વમાં નથી! આપણે ગુરુત્વાકર્ષણબળને જોયા વિના તેના અસ્તિત્વનો સ્વીકાર કરીએ છીએ, કારણ કે તેને ભૌતિક વિજ્ઞાને તે સાબિત કર્યું છે.
કોઇ દૃષ્ટિ તેને પામી શકતી નથી અને તે દરેક દૃષ્ટિને ઓળખી જાય છે, તે અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિવાળો અને ખૂબ માહિતગાર છે. [૨૨] (અલ્ અન્આમ: ૧૦૩).
ઉદાહરણ તરીકે, અને માત્ર અંદાજા માટે, કોઈ વ્યક્તિ અલૌકિક વસ્તુનું વર્ણન કરી શકતી નથી જેમ કે "વિચાર", તેનું વજન ગ્રામમાં, તેની લંબાઈ સેન્ટિમીટરમાં, તેની રાસાયણિક રચના, રંગ, દબાણ, આકાર અને છબી.... More
ઉદાહરણ તરીકે, અને અલ્લાહ પાસે સર્વશ્રેષ્ટ ઉદાહરણો છે, અને માત્ર સમજાવવા માટે એક ઉદાહરણ, જ્યારે વ્યક્તિ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરે છે અને તેને બહારથી નિયંત્રિત કરે છે, ત્યારે તે ઉપકરણની અંદર કોઈપણ રીતે પ્રવેશતો નથી.
અને જો આપણે કહીએ કે અલ્લાહ તે કરી શકે છે કારણ કે તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, તો આપણે એ પણ ઓળખવું જોઈએ કે સર્જનહાર, ઇલાહ, તે મહાન છે, જે તેની પવિત્રતાને યોગ્ય નથી તે કામ કરતો નથી, અલ્લાહ પવિત્ર અને શ્રેષ્ઠ છે, તે સર્વોચ્ચ ખૂબ જ મોટો છે.
ઉદાહરણ તરીકે,અલ્લાહ માટે સંપૂર્ણતાનું સર્વોત્તમ ઉદાહરણ છે, કોઈપણ પાદરી અથવા ઉચ્ચ ધાર્મિક પદની વ્યક્તિ જાહેરમાં નગ્ન અવસ્થામાં જતી નથી, જો કે તે આમ કરવા સક્ષમ છે, તે આ છબીમાં જાહેરમાં બહાર આવી શકતો નથી, આ વર્તન તેની ધાર્મિક સ્થિતિ માટે યોગ્ય નથી.... More
માનવીના નિયમો પ્રમાણે આ જાણવામાં આવ્યું છે કે રાજા અથવા અધિકારીઓના આદેશોનું ઉલ્લંઘન અન્ય ગુનાહો સાથે સમાન ધોરણે નથી. તો, જે બધા રાજાઓનો રાજા છે તેના વિષે તમે શું વિચારો છો? તેના બંદાઓ પર અલ્લાહ સર્વશક્તિમાનનો હક તે છે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે જેમ કે નબી ﷺ એ કહ્યું: "અલ્લાહનો તેના બંદાઓ પર અધિકાર એ છે કે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે અને તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવે... શું તમે જાણો છો કે અલ્લાહ પર બંદાઓનો હક શું છે? મેં કહ્યું: અલ્લાહ અને તેના પયગંબર વધુ સારી રીતે જાણે છે." નબી ﷺ એ કહ્યું: " જો તેઓ આમ કરે તો અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તે તેમને સજા ન આપે".
આપણા માટે કોઈને ભેટ આપવાની કલ્પના કરવા માટે તે પૂરતું છે અને તે વ્યક્તિ તે ભેટ માટે બીજા કોઈનો આભાર અને પ્રશંસા કરે છે. આ વાત ધ્યાનમાં રાખો કે અલ્લાહના સર્વોચ્ચ ગુણો છે, તેની સ્થિતિ પોતાના બંદાઓ સાથે એવી છે કે તેણે તેમને ઘણી નેઅમતો આપી છે, પરંતુ તેઓ તેના બદલમાં બીજાનો આભાર વ્યકત કરે છે, પરતું સર્જનહારને તેમની જરૂર નથી.
સૃષ્ટિનો પાલનહાર કુરઆન મજીદની ઘણી આયતોમાં "અમે" શબ્દનો ઉપયોગ પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે, ત્યારે તે સૂચવે છે કે તે એકલો જ સૌંદર્ય અને ભવ્યતાના તમામ લક્ષણોને એકઠો કરવા વાળો છે, આ શબ્દ અરબી ભાષામાં પણ તાકાત અને મહાનતા વ્યક્ત કરે છે, અને એવી જ રીતે, અંગ્રેજી ભાષામાં "અમે રાજા છીએ" કહેવામાં આવે છે જ્યાં બહુવચન સર્વનામનો ઉપયોગ રાજા, બાદશાહ અથવા સુલતાન જેવા ઉચ્ચ હોદ્દા પર હોય તેવા વ્યક્તિ માટે થાય છે, જો કે, કુરઆન હંમેશા એ સત્યતા પર ભાર મૂકે છે કે જ્યારે પણ ઈબાદતની વાત આવે છે ત્યારે અલ્લાહ એક છે.
તમે તેમને કહી દો કે સત્ય વાત તો તે છે, જે તમારા પાલનહાર તરફથી આવી છે, હવે જે વ્યક્તિ ઈચ્છે તેનો સ્વીકાર કરી લે અને જે ઈચ્છે તે ઇન્કાર કરી દે... [૨૮] (અલ્ કહફ: ૨૯).
જો નિર્માતા આપણને આજ્ઞાનું પાલન કરવા અને ઈબાદત કરવા દબાણ કર્યું હોત, તો બળજબરીથી માણસ બનાવવાનું ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થતું નથી.
આદમનું સર્જન અને તેમને ઇલ્મ શીખવાડવવુ, તે તેમનું વિશિષ્ટ લક્ષણ છે જેમાં અલ્લાહની ઘણી હિક્મતો છે.... More
જ્યારે કોઈ વ્યક્તિ પોતાને ખૂબ સમૃદ્ધ અને અત્યંત ઉદાર લાગે છે, ત્યારે તે તેના મિત્રો અને પ્રિયજનોને ખાવા-પીવા માટે આમંત્રણ આપે છે.
આપણામાં આવા ગુણો જે કઈ પણ છે તે અલ્લાહ પાસે જે ગુણો છે તેનો એક નજીવો ભાગ છે, કારણ કે અલ્લાહ, સર્જક, ભવ્યતા અને સુંદરતાના લક્ષણો ધરાવે છે, તે સૌથી વધુ દયાળુ, કૃપા કરનાર, ઘણું આપનાર અને અત્યંત ઉદાર છે. આપણને તેણે પોતાની ઈબાદત કરવા માટે પેદા કર્યા છે, જેથી તે આપણા પર રહેમ કરે આપણને ખુશ કરે અને આપણને (નેઅમતો) આપણે જો તેની ઇખલાસ (નિખાલસતા) સાથે ઈબાદત કરીશું અને તેની આજ્ઞાનું પાલન કરીશું, અને દરેક સુંદર માનવીય ગુણો તેના ગુણોથી ઉતપન્ન થયા છે.
તેણે આપણને પેદા કર્યા અને આપણને પસંદ કરવાની ક્ષમતા આપી છે, તેથી કાંતો આપણે આજ્ઞાપાલનનો માર્ગ અને ઈબાદતનો માર્ગ પસંદ કરીએ, અથવા આપણે તેના અસ્તિત્વનો ઇન્કાર કરી બળવો અને આજ્ઞાભંગનો માર્ગ પસંદ કરીએ.... More
જો અલ્લાહ તેની સૃષ્ટિને જીવનમાં અસ્તિત્વમાં છે કે નહીં તે પસંદ કરવાની તક આપવા માંગતો તો પછી, તેઓ પ્રથમ સ્થાને અસ્તિત્વમાં હતા. જ્યારે મનુષ્ય અસ્તિત્વમાં ન હોય ત્યારે તેમનો અભિપ્રાય કેવી રીતે હોઈ શકે? અહીં મુદ્દો અસ્તિત્વ અને બિન-અસ્તિત્વનો છે. વ્યક્તિનો જીવન પ્રત્યેનો લગાવ અને તેના પ્રત્યેનો ડર એ આ નેઅમત પર તેની રજામંદીની સૌથી મોટી દલીલ છે.
જીવનની નેઅમતો એ મનુષ્ય માટે એક કસોટી છે કે જે સારા માણસને અલગ કરે છે.જે પોતાના રબથી ખુશ છે કે નારાજ છે. બસ ! સર્જનીઓ વિશે અલ્લાહની હિકમત આ પ્રમાણે છે કે તે એવા લોકોને અલગ કરે, જેમનાથી તે ખુશ છે. જેથી તેઓ આખિરતમાં તેમના પ્રતિષ્ઠિત જગ્યાના માલિક બને.
આ પ્રશ્ન સૂચવે છે કે શંકા, જો તે મનમાં રુટ લે છે, તો તેના વિશેના તાર્કિક વિચારને ખતમ કરી નાખે છે, અને તે કુરઆનની ચમત્કારિકતાના પુરાવાઓમાંથી એક છે.... More
દીને એ જીવન જીવવાનો માર્ગ છે, જે માનવી માટે તેના સર્જક સાથે અને તેની આસપાસના લોકો સાથેના સંબંધને નિયંત્રિત કરે છે, અને તે આખિરતનો માર્ગ છે.
ખાવા-પીવાની જરૂરિયાત કરતાં પણ વધુ દીન જરૂરી છે. માણસ સ્વભાવે ધાર્મિક (ધર્મના આદેશો પર અમલ કરનાર) છે, તેથી જો તેને સાચા દીનનું માર્ગદર્શન આપવામાં નહીં આવે, તો તે પોતાના માટે એક ધર્મની શોધ કરશે, જે લોકો દ્વારા શોધાયેલો હશે, જેવું કે મૂર્તિપૂજક ધર્મોમાં થયું છે. માનવીને આ દુનિયામાં શાંતિની એવી જ રીતે જરૂર છે જેવી રીતે તેને આ જીવનમાં અને મૃત્યુ પછી શાંતિની જરૂર હોય છે.
સાચો દીન (ધર્મ) તે છે, જે તેના અનુયાયીઓને બંને જગતમાં સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. ઉદાહરણ તરીકે:
જો આપણે કોઈ રસ્તા પર ચાલતા હોઈએ અને તેનો અંત આપણને ખબર ન હોય, તો આપણી પાસે બે વિકલ્પો છે: કાં તો રસ્તામાં લાગેલા સાઈનબોર્ડ પર લખેલી સૂચનાઓનું પાલન કરવું પડશે, અથવા અનુમાન લગાવવાનો પ્રયાસ કરીશું, જેનાથી આપણે ખોવાઈ જઈશું અથવા નષ્ટ થઇ જઈશું.... More
સૌ પ્રથમ, સાચો ધર્મ માણસની ફિતરત (પ્રારંભિક કુદરતી સ્વભાવ) સાથે સુસંગત હોવો જોઈએ જેને અન્યની દખલગીરી વિના તેના સર્જક સાથે સીધો સંબંધ હોવો જોઈએ, જે માણસના ગુણો અને સારા ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે.
તે એવો એકમાત્ર ધર્મ હોવો જોઈએ જે સરળ અને સીધો હોય, અને દરેક સમય અને સ્થાન માટે યોગ્ય હોય.
તે તમામ પેઢીઓ, દેશો અને તમામ પ્રકારના લોકો માટે એક સુસંગત ધર્મ હોવો જોઈએ અને દરેક સમયે માણસની જરૂરિયાતને અનુરૂપ વિવિધ કાયદાઓ સાથે હોય, તેણે વ્યક્તિગત ઇચ્છાઓના આધારે ઉમેરાઓ અથવા અવગણના સ્વીકારવી જોઈએ નહીં જેમ કે લોકો દ્વારા સ્થાપિત થયેલ રિવાજો અને પરંપરાઓ.... More
માનવતાના અંતે, કંઈ જ બાકી નહીં બચે સિવાય જે લોકો જીવિત હશે, જે લોકો મૃત્યુ પામ્યા નહીં હોય, જે કોઈ કહે છે કે ધર્મની છત્રછાયામાં અખલાક (નૈતિકતા)નું પાલન કરવું અગત્યનું નથી તે એવા વ્યક્તિ જેવો છે, જે શાળામાં બાર વર્ષ અભ્યાસ કરે છે અને અંતે કહે છે: મને સર્ટિફિકેટની જરૂર નથી.
"અને તે લોકોએ જે જે કર્મો કર્યા હશે, અમે તે કર્મોને તેમના માટે ઉડનારી માટીના કણો જેવા કરી દીધા" [૪૧]. (અલ્ ફુરકાન: ૨૩).
પૃથ્વીનું નિર્માણ અને સારી રીતભાત એ ધર્મનો અંત નથી, પરંતુ હકીકતમાં તે એક સ્ત્રોત છે! દીનનો મકસદ: એ કે તે પોતાના પાલનહારને ઓળખે, પછી માનવીના અસ્તિત્વનું કારણ તેનો તરીકો અને તેનું ઠેકાણું, અને સારું ઠેકાણું અને શ્રેષ્ઠ અંત ફક્ત અલ્લાહની ઓળખ અને તેની ઈબાદત કરવાથી મળી શકે છે, અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાથી, જમીન પર પ્રગતિ સારા અખલાક અપનાવવાથી થશે, શરત એ કે સાચા ઇલાહની ઓળખ અને તેના માર્ગદર્શન પ્રમાણે ચાલવામાં આવે.... More
બુદ્ધિની ભૂમિકા એ વસ્તુઓનો આદેશ આપવાનો અને તેની પુષ્ટિ કરવાનો છે, તેથી માનવ અસ્તિત્વના અંત સુધી પહોંચવામાં બુદ્ધિની અસમર્થતા, ઉદાહરણ તરીકે, તેની ભૂમિકાને રદ કરતી નથી, પરંતુ ધર્મ તેને કહેવાની તક આપે છે કે તે શું કરી શકતું નથી અને ક્યાં સુધી પહોંચી શકતો નથી. દીન તેને તેના સર્જક, તેના અસ્તિત્વના સ્ત્રોત અને તેના અસ્તિત્વના હેતુ વિશે કહે છે, તેથી તે આ માહિતીને સમજે છે, ન્યાય કરે છે અને પુષ્ટિ કરે છે. આમ, સર્જકના અસ્તિત્વની ઓળખ પ્રાપ્ત કરવાથી બુદ્ધિ અને તર્કમાં કોઈ ખલેલ પડતો નથી.
આપણા સમયમાં ઘણા લોકો માનતા હતા કે પ્રકાશ સમયની બહાર છે, અને તે સ્વીકાર્યું ન હતું કે સર્જક સમય અને અવકાશના કાયદાને આધીન નથી. એ અર્થમાં કે સર્જક સર્વશક્તિમાન દરેક વસ્તુની પહેલા છે, અને દરેક વસ્તુ પછી છે, અને તે સર્જક સર્વશક્તિમાન પોતાના સર્જનીઓથી ઘેરાયેલા નથી.
ઘણા માનતા હતા કે જોડાયેલા કણો, જ્યારે એકબીજાથી અલગ થાય છે, ત્યારે તે જ સમયે એકબીજા સાથે જોડાયેલા રહે છે, અને તે વિચારને સ્વીકારતા નથી કે નિર્માતા, તેમના જ્ઞાન સાથે, તેમના સેવકો જ્યાં પણ જાય છે તેમની સાથે છે. અને બુદ્ધિને જોયા વગર તે બુદ્ધિનો સ્વીકાર કરે છે અને તેણે સર્જકને જોયા વિના તેને માનવાનો ઇન્કાર કરી દીધો.
ઘણા લોકો જન્નત અને જહન્નમ પર ઈમાન રાખવા બાબતે ઇન્કાર કરે છે, તેમ છતાં તેઓ અન્ય વિશ્વના અસ્તિત્વને સ્વીકારે છે જે તેઓ જોઈ શકતા નથી. ભૌતિક વિજ્ઞાન માણસને જાણ કરે છે કે તેણે મૃગજળની જેમ પ્રથમ સ્થાને અસ્તિત્વમાં ન હોય તેવી વસ્તુઓમાં વિશ્વાસ કરવો જોઈએ, અને તે ખરેખર તેમાં માને છે; જો કે મૃત્યુના સમયે ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર માનવજાતને કોઈ ફાયદો પહોંચાડશે નહીં કારણ કે તેઓએ તેમને બિન-અસ્તિત્વ સિવાય કશું જ વચન આપ્યું છે.... More
સત્યતા એ છે કે દિન (ધર્મ) એ જિમ્મેદારી અને જવાબદારી છે, તે આત્માને સચેત કરે છે, અમે એક મોમિનને તાકીદ કરે છે કે તે દરેક નાની મોટી બાબતોમાં પોતાને જવાબદાર બનાવે, મોમિન પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના પાડોશી માટે અને મુસાફરો માટે પણ જવાબદાર છે, તે ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરે છે અને અલ્લાહ પર ભરોસો રાખે છે, અને મને નથી લાગતું કે અફીણના વ્યસનીમાં આવા ગુણો છે [૪૩]. અફીણ એ ખસખસના છોડમાંથી કાઢવામાં આવતી એક પ્રકારની દવા છે અને તેનો ઉપયોગ હેરોઈન બનાવવામાં થાય છે.
સામાન્ય લોકોનું વાસ્તવિક અફીણ નાસ્તિકવાદ છે, ઈમાન નથી, કારણ કે નાસ્તિકવાદ તેના અનુયાયીઓને ભૌતિકવાદ તરફ બોલાવે છે અને ધર્મને નકારીને અને જવાબદારીઓ અને ફરજોને છોડીને, અને પરિણામો હોવા છતાં ત્વરિત ક્ષણનો આનંદ માણવા વિનંતી કરીને તેમના સર્જક સાથેના સંબંધને પાચલ ફેંકી દે છે, તેથી તેઓ દુન્યવી સજાની ગેરહાજરીમાં તેઓને ગમે તે કરે છે, એવું માનીને કે ત્યાં કોઈ ઇલાહ નિરીક્ષક અથવા હિસાબ કરનાર નથી, અને કોઈ પુનરુત્થાન અથવા ગણતરી નથી, શું આ વ્યસનીઓનું વાસ્તવિક વર્ણન નથી?
સાચા ધર્મને ત્રણ મૂળભૂત બાબતો દ્વારા ઓળખી શકાય છે અને બીજા ધર્મોથી અલગ કરી શકાય છે [૪૪]: દુક્તૂર અમ્ર શરીફની કિતાબ "ખુરાફતુલ્ ઈલ્હાદ" માંથી નકલ કરીને, જેનું પ્રકાશન ઈસ્વીસન ૨૦૧૪ માં થઇ હતું.
આ દીન (ધર્મ) માં સર્જક અને ઇલાહના ગુણો.
પયગંબર અને નબીના ગુણો.... More
જે વસ્તુ સાચી ફિતરત અથવા સામાન્ય બુદ્ધિ તરીકે ઓળખાતી હોય, અને તે દરેક વસ્તુ જે તાર્કિક અને સામાન્ય સમજ અને યોગ્ય મન સાથે સુસંગત છે તે અલ્લાહ તરફથી છે, અને જે જટિલ હોય તે મનુષ્યો તરફથી હોય છે.
ઉદાહરણ તરીકે:
જો કોઈ મુસ્લિમ, ખ્રિસ્તી, હિંદુ કે અન્ય કોઈ ધાર્મિક માણસ આપણને કહે કે સૃષ્ટિનો એક જ સર્જક છે, જેનો કોઈ ભાગીદાર કે પુત્ર નથી, જે મનુષ્ય, પ્રાણી, પથ્થર, રૂપમાં પૃથ્વી પર આવતો નથી. અથવા તેની કોઈ મૂર્તિ નથી, અને એ કે આપણે ફક્ત તેની જ બંદગી કરવી જરૂરી છે અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં ફક્ત તેનો જ આશ્રય લેવો પડશે, આ જ દીન ખરેખર અલ્લાહનો દીન છે. પરંતુ જો કોઈ મુસ્લિમ, ખ્રિસ્તી, હિંદુ, વગેરે, ધર્મશાસ્ત્રી આપણને કહે કે અલ્લાહ મનુષ્યો માટે જાણીતી કોઈપણ મૂર્તિમાં મૂર્તિમંત છે, અને આપણે અલ્લાહની ઈબાદત કરવી જોઈએ અને કોઈપણ વ્યક્તિ, પ્રબોધક, પાદરી અથવા સંત દ્વારા તેનું આશ્રય લેવું જોઈએ, તો આ મનુષ્યો તરફથી છે.... More
ઇસ્લામ ધર્મ, તેના ઉપદેશો જીવનની દરેક બાબતોમાં લવચીક અને વ્યાપક છે, કારણ કે તે માનવ ફિતરત (વૃત્તિ) સાથે સંબંધિત છે, જેના આધારે પાલનહારે માણસને બનાવ્યો છે, અને આ ધર્મ આ વૃત્તિના નિયમો અનુસાર આવ્યો છે. જેવુ કે:
એક જ ઇલાહ પર ઈમાન, અને તે સાચો સર્જક જેનો કોઈ ભાગીદાર નથી, તેને કોઈ સંતાન નથી, અને તેની કોઈ વ્યક્તિના મૂખ અથવા જાનવર અથવા કોઈ પથ્થર અથવા મૂર્તિમાં પ્રતિમા નથી, અને તે ત્રણ માંથી એક કે ત્રીજો નથી. અને કોઈ વસિલા વગર ફક્ત આ જ સર્જકની ઈબાદત કરો. તે સૃષ્ટિનો નિર્માતા છે અને જે કંઈ તેમાં છે તેનો પણ, અને તેના જેવું કોઈ નથી. મનુષ્યોએ એકલા નિર્માતાની ઈબાદત કરવી જોઈએ, ગુનાહથી પસ્તાવો કરતી વખતે અથવા મદદ માટે તેની તરફ જ ફરવું જોઈએ, અને કોઈ પાદરી, સંત અથવા કોઈપણ મધ્યસ્થી વ્યક્તિને વચ્ચે ન લાવવી જોઈએ. અને સૃષ્ટિનો પાલનહાર પોતાના સર્જનીઓ માટે માતા કરતાં પણ વધુ દયાળુ છે, કારણ કે જ્યારે પણ તેઓ તેની પાસે તૌબા કરે છે અને તેની તરફ પાછા ફરે છે ત્યારે તે તેમને માફ કરી દે છે. અને એ કે સર્જકનો હક એ કે ફક્ત તેની જ ઈબાદત કરવામાં આવે અને પોતાના પાલનહાર પાસે સીધો સંબંધ બાંધવો તે માનવીનો હક છે.
ઇસ્લામ દીન એક સાબિત, સ્પષ્ટ અને સરળ દીન છે, જે અંધ માન્યતાઓથી દૂર છે. ઇસ્લામ હૃદય અને અંતરાત્માને સંબોધવા અને માન્યતાના આધાર તરીકે તેમના પર આધાર રાખવાથી સંતુષ્ટ નથી, તેના બદલે, તે તેના સિદ્ધાંતોને ખાતરીપૂર્વક અને અકાટ્ય (મજબૂત) દલીલ, સ્પષ્ટ પુરાવા અને સાચા તર્ક સાથે અનુસરે છે, જે મનને નિયંત્રિત કરે છે અને દિલ તરફ દોરી જાય છે. અને એટલા માટે:... More
ઇમાનના અરકાન નીચે પ્રમાણે છે:
અલ્લાહ પર ઈમાન: "એવો અકીદો રાખવો કે અલ્લાહ દરેક વસ્તુનો પાલનહાર અને માલિક છે, અને તે એક જ છે, અને તે એકલો જ પેદા કરનાર છે, અને તે જ ઈબાદત, આજીજીને પાત્ર છે. અને તે દરેક સંપૂર્ણ ગુણોને પાત્ર છે, અને દરેક ખામીથી પાક અને પવિત્ર છે" [૭૦]. "સિયાજુલ્ અકીદતુલ્ ઈમાન બિલ્લાહ", અબ્દુલ્ અઝીઝ અર્ રાજિહી, (પેજ: ૯).
ફરિશ્તાઓ પર ઈમાન: તેમના અસ્તિત્વ પર યકીન રાખવું અને માનવું કે તે એક નૂર દ્વારા બનાવેલું સર્જન છે, જેઓ અલ્લહનું અનુસરણ કરે છે અને તેની અવજ્ઞા કરવાથી બચે છે.... More
તે દરેક પયગંબરો પર કોઈ ફર્ક કર્યા વગર ઇમાન લાવવું, જેને અલ્લાહએ માનવીઓ તરફ મોકલ્યા, જે મુસલમાનોના અકીદાના પાયા માંથી એક પાયો છે, જેના વગર તેનું ઈમાન સહીહ નહીં ગણાય. અને એ કોઈ પણ નબી અથવા પયગંબરનો ઇન્કાર કરવો એ દીનની મૂળભૂત બાબતોની વિરુદ્ધ છે. અને એ કે અલ્લાહના દરેક પયગંબરોએ છેલ્લા નબી મુહમ્મદ ﷺ ના આવવાની ખબર આપી. જેમકે કેટલાક નબીઓ અને પયગંબરો જેમણે અલ્લાહ એ અલગ અલગ કોમો તરફ મોકલ્યા, તેમના નામો કુરઆન મજીદમાં વર્ણન કરવામાં આવ્યા છે ( જેમકે નૂહ, ઈબ્રાહીમ, ઇસ્માઈલ, ઇસ્હાક, યાકૂબ, યૂસુફ, મૂસા, દાવૂદ, સુલૈમાન, ઈસા વગેરે...), કેટલાક બીજા પણ છે ,જેમનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં કેટલાક ધાર્મિક પ્રતીકો (જેમ કે રામ, કૃષ્ણ અને ગૌતમ બુદ્ધ) અલ્લાહ દ્વારા મોકલવામાં આવેલા પયગંબરો હોવાની સંભાવના એ એક વિચાર છે, જે બાકાત નથી, પરંતુ આ બાબતે પવિત્ર કુરઆનમાંથી કોઈ પુરાવા મળતા નથી, તેથી મુસલમાનો આ કારણથી માનતા નથી. અકીદામાં ફેરફારો (અર્થાત્ જૂથો જાહેર થવા) ત્યારે આવ્યા, જ્યારે લોકોએ પોતાના પયગંબરોને પવિત્ર કર્યા અને અલ્લાહને બદલે તેમની ઈબાદત કરવા લાગ્યા.
"નિ:શંક અમે તમારા કરતા પહેલા પણ ઘણા પયગંબરો મોકલી ચૂક્યા છીએ, જેમાંથી કેટલાકના (કિસ્સા) અમે તમને બતાવી ચૂક્યા છીએ અને તેમાંથી કેટલાકના તો અમે તમને નથી બતાવ્યા અને કોઇ પયગંબરને (અધિકાર) નહતો કે કોઇ મુઅજિઝો અલ્લાહની પરવાનગી વગર લાવી બતાવે, પછી જે સમયે અલ્લાહનો આદેશ આવશે, સત્ય સાથે નિર્ણય કરી દેવામાં આવશે અને તે જગ્યા પર અસત્ય લોકો નુકસાનમાં રહેશે"[૭૩]. (ગાફિર: ૭૮).
"પયગંબરો પર જે કંઈ તેમના પાલનહાર તરફથી ઉતર્યું, તેના પર તે પોતે પણ ઇમાન લાવ્યા અને સૌ ઇમાનવાળાઓ પર ઈમાન લાવ્યા, તેઓ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવે છે, અને કહે છે કે અમે પયંગબરો માંથી કોઇ પયગંબર વચ્ચે તફાવત નથી કરતા, તેઓએ કહે છે કે અમે આદેશો સાંભળ્યા અને આજ્ઞાનું પાલન કર્યું, હે અમારા પાલનહાર ! અમે તારી માફી ઇચ્છીએ છીએ અને અમને તારી જ તરફ પાછા ફરવાનું છે"[૭૪]. (અલ્ બકરહ: ૨૮૫).... More
ફરિશ્તાઓ: તે અલ્લાહનું એક સર્જન છે, પરંતુ તે એક મહાન સર્જન છે, તેમને નૂર વડે પેદા કરવામાં આવ્યા છે, તેઓને સત્કાર્યો કરવા માટે પેદા કરવામાં આવ્યા છે, તેઓ થાક્યા વગર પવિત્ર અલ્લાહની તસ્બીહ (પવિત્રતા) વર્ણન કરે છે અને ઈબાદત કરે છે.
"તે રાત-દિવસ અલ્લાહનો ઝિકર કરે છે અને થોડીક પણ આળસ નથી કરતા"[૭૬]. (અલ્ અંબિયા: ૨૦).
"...અલ્લાહ તેમને જે આદેશ આપે, તેની અવજ્ઞા નથી કરતા, અને તે જ કરે છે, જેનો તેમને આદેશ આપવામાં આવે છે"[૭૭]. (અત્ તહ્રીમ: ૬).... More
સૃષ્ટિ અને ઘટનાઓ તમામ પુરાવા એ હકીકત સૂચવે છે કે જીવનમાં પુનર્નિર્માણ અને સર્જન થતું રહે છે, આના ઘણા ઉદાહરણો છે, જેમકે, વરસાદ જમીનને તેના મૃત્યુ પછી ફરી જીવિત કરે છે.
"તે (અલ્લાહ) જ જીવિતને મૃત માંથી અને મૃતને જીવિત માંથી કાઢે છે અને તે જ ધરતીને તેના મર્યા પછી જીવિત કરે છે, આવી જ રીતે તમને (પણ મૃત્યુ પછી જમીન માંથી) ઉઠાડવામાં આવશે"[૭૯]. (અર્ રૂમ: ૧૯).
અને મૃત્યુ પછી ફરી જીવિત થવાનો બીજો પુરાવો એ સૃષ્ટિની સખત સિસ્ટમ છે, જેમાં કોઈ ખામી નથી, અત્યંત મિનિટનું ઇલેક્ટ્રોન પણ અણુની અંદર એક ભ્રમણકક્ષામાંથી બીજી ભ્રમણકક્ષામાં ખસેડી શકતું નથી, અહીં સુધી કે તે પોતાની હલનચલન જેટલી ઉર્જા આપ લે ન કરે, શું તમે આ સિસ્ટમમાં કલ્પના કરી શકો છો કે જગતના પાલનહાર દ્વારા હિસાબ કે સજા કર્યા વિના ખૂની છટકી જાય છે અથવા જાલિમ ભાગી જાય.... More
અલ્લાહ મૃતકોને એવી રીતે જ જીવિત કરે છે જે રીતે પહેલી વખતમાં તેમણે પેદા કર્યા હતા.
અલ્લાહ તઆલાએ કહ્યું:
"હે લોકો ! જો તમને તમારા મૃત્યુ પછી ફરી જીવિત થવામાં કોઈ શંકા હોય તો (તમને જાણ હોવી જોઈએ કે) અમે તમને માટી વડે પેદા કર્યા, પછી વીર્યના ટીપા વડે, પછી લોહીથી, પછી માંસ વડે, જેને ક્યારેક ઘાટ આપવામાં આવે છે અને ક્યારેક આપવામાં નથી આવતો, જેથી અમે તમારા પર (પોતાની કુદરતને) જાહેર કરી દઈએ, અને અમે જે વીર્યના ટીપાને ઇચ્છીએ તેને એક નક્કી કરેલ સમય સુધી માતાના ગર્ભમાં રાખીએ છીએ, પછી તમને બાળક બનાવી દુનિયામાં લાવીએ છીએ, પછી (તમારો ઉછેર કરીએ છીએ) જેથી તમે પોતાની યુવાવસ્થામાં પહોંચી જાવો, પછી તમારા માંથી કેટલાકને મૃત્યુ આપી દેવામાં આવે છે અને કેટલાકને વૃદ્વાવસ્થા સુધી જીવિત રાખવામાં આવે છે, જેથી તે એક વસ્તુને જાણવા છતાં અજાણ બની જાય, તમે જોશો કે ધરતી સૂકી છે, પછી જ્યારે અમે તેના પર વરસાદ વરસાવીએ છીએ તો તે ઊપજે છે અને ફૂલે છે અને દરેક પ્રકારની લોભામણી ઉપજો ઉપજાવે છે"[૮૨]. (અલ્ હજ્જ: ૫).... More
અલ્લાહ પોતાના બંદાઓનો તે જ સમયે હિસાબ લેશે જે રીતે તે તેમને તે જ સમયે રોજી આપે છે.
"તમારા સૌનું સર્જન અને મૃત્યુ પછી ફરી જીવિત કરવું (અલ્લાહ માટે) એવું જ છે, જેવું કે એક પ્રાણનું (સર્જન) કરવું. નિ:શંક અલ્લાહ તઆલા બધું જ સાંભળવાવાળો, જોવાવાળો છે"[૮૫]. (લુકમાન: ૨૮).
સૃષ્ટિની દરેક વસ્તુ સર્જકના અધિકારમાં છે, જે એકલો જ બધું જાણવા વાળો અને માલિક અને દરેક વસ્તુને પોતાની ઇચ્છા પ્રમાણે ચલાવવાની શક્તિ ધરાવે છે. સૃષ્ટિ શરૂઆતથી જ સૂર્ય, ગ્રહો અને આકાશગંગાઓ અત્યંત ચોકસાઈ સાથે કામ કરી રહ્યા છે અને આ ચોકસાઈ અને ક્ષમતા મનુષ્યના સર્જન પર લાગુ પડે છે. માનવ શરીર અને આત્માઓ વચ્ચે જે સંવાદિતા છે, તે બતાવે છે કે આ આત્માઓને પ્રાણીઓના શરીરમાં વસવાટ કરવો શક્ય નથી, (પુનર્જન્મ) ન તો છોડ અને જંતુઓમાં વસવાટ કરવો શક્ય છે, અને ન તો લોકોમાં. અને અલ્લાહએ માણસને તર્ક અને જ્ઞાનથી અલગ પાડ્યા અને તેને ધરતી પર ખલીફા બનાવ્યો, તેની તરફેણ કરી, તેનું સન્માન કર્યું અને અનેક જીવો ઉપર તેનું સ્થાન ઊંચું કર્યું. અને સર્જકની હિકમત અને ન્યાયથી કયામતના દિવસનું અસ્તિત્વ છે, જેમાં અલ્લાહ જીવોને સજીવન કરશે અને એકલો તેમનો ન્યાય કરશે, અને તેમનું ભાગ્ય જન્નત અથવા જહન્નમમાં હશે, અને તે દિવસે બધા સારા અને ખરાબ કાર્યોનું વજન કરવામાં આવશે.
બસ ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે. (૭) અને જેણે કણ બરાબર પણ બુરાઈ કરી હશે તો તે તેને જોઈ લેશે.(૮) [અઝ્ ઝલ્ઝલહ : ૭-૮].
જ્યારે કોઈ વ્યક્તિ, ઉદાહરણ તરીકે, સ્ટોરમાંથી કંઈક ખરીદવા માંગે છે, અને આ વસ્તુ ખરીદવા માટે પ્રથમ પુત્રને મોકલવાનું નક્કી કરે છે, કારણ કે તે અગાઉથી જાણે છે કે આ છોકરો સમજદાર છે, અને તે સીધા જ પિતાને જે જોઈએ છે તે ખરીદવા જશે, પિતાને ખબર છે કે બીજો છોકરો તેના સાથીદારો સાથે રમવામાં વ્યસ્ત હશે, અને પૈસા ગુમાવશે, અને આ હકીકતમાં એક ધારણા છે, જેના પર પિતાએ પોતાનો નિર્ણય બાંધ્યો હતો.
તકદીર એ આપણી પસંદગીની ઇચ્છાનો વિરોધ કરતું નથી, કારણ કે પાલનહાર આપણા ઇરાદાઓ અને પસંદગીઓના સંપૂર્ણ જ્ઞાનના આધારે આપણી ક્રિયાઓ જાણે છે, તે ઉચ્ચ છે તે મનુષ્યનો સ્વભાવ જાણે છે, તે તે છે, જેણે આપણને પેદા કર્યા છે અને તે જાણે છે કે આપણા હૃદયમાં સારા કે ખરાબની ઇચ્છા શું છે અને આપણા ઇરાદાઓ જાણે છે અને આપણી ક્રિયાઓને પણ જાણે છે, અને તેની સાથે આ જ્ઞાનને નોંધવું તે આપણી પસંદગીની ઇચ્છાનો વિરોધ કરતું નથી, એ જાણીને કે અલ્લાહ પાસે સંપૂર્ણ જ્ઞાન છે, અને માનવીની અપેક્ષાઓ સાચી અને ખોટી હોઈ શકે છે.
વ્યક્તિ માટે એવી રીતે કાર્ય કરવું શક્ય છે, જે અલ્લાહને ખુશ કરતું નથી, પરંતુ તેનું વર્તન તેની ઇચ્છા, સર્વશક્તિમાનની વિરુદ્ધ આવશે નહીં, કારણ કે અલ્લાહએ તેની મખલુકને પસંદ કરવાની ઇચ્છા આપી છે, પરંતુ તેમની ક્રિયાઓ, ભલે તેમાં આજ્ઞાભંગ હોય. તેના માટે તે હજી પણ પાલનહારની ઇચ્છામાં છે અને તેનો વિરોધ કરી શકતા નથી કારણ કે સર્વશક્તિમાને તેની ઇચ્છાથી આગળ વધવા માટે કોઈને જગ્યા આપી નથી.... More
જીવનનો મુખ્ય હેતુ ક્ષણિક સુખનો આનંદ માણવાનો નથી; તેના બદલે તે અલ્લાહની ઓળખ અને તેની ઈબાદત દ્વારા ઊંડી આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનો છે.
આ સાચો ધ્યેય પ્રાપ્ત કરવાથી શાશ્વત આનંદ અને સાચા સુખની પ્રાપ્તિ થશે. તેથી, જો આ અમારું પ્રાથમિક ધ્યેય છે, તો આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ સમસ્યાઓ અથવા મુશ્કેલીઓનો સામનો કરવો તુચ્છ ગણાશે.
ચાલો એવી વ્યક્તિની કલ્પના કરીએ કે જેણે ક્યારેય કોઈ દુઃખ કે પીડાનો અનુભવ કર્યો નથી, આ વ્યક્તિ, તેના વૈભવી જીવનના કારણે પાલનહારને ભૂલી ગયો છે, અને તેથી તેનું સર્જન જે માટે કરવામાં આવ્યું છે, તેમાં તે નિષ્ફળ છે, આ વ્યક્તિની સરખામણી એવી વ્યક્તિ સાથે કરો કે જેણે કષ્ટ અને પીડાના અનુભવો જોયા હોય અને તે તેને પોતાના પાલનહાર તરફ લઈ ગયા છે, અને તે જીવનમાં તેનો હેતુ પણ સિદ્ધ કરી લીધો હોય. ઇસ્લામિક ઉપદેશોના પરિપ્રેક્ષ્યમાં, જે વ્યક્તિની વેદના તેને પાલનહાર તરફ દોરી જાય છે, તે વ્યક્તિ કરતાં વધુ સારી છે, જેણે ક્યારેય દુઃખ સહન કર્યું નથી અને જેની ખુશીઓ તેને તેનાથી દૂર લઈ ગઈ છે.... More
વિદ્યાર્થીઓ જ્યારે નવા કાર્યકારી જીવનનો સંપર્ક કરે છે ત્યારે તેઓને રેન્ક અને ગ્રેડ પર અલગ પાડવા માટે પરીક્ષા બનાવવામાં આવી છે, પરીક્ષા ટૂંકી હોવા છતાં તે આગળના નવા જીવન તરફ વિદ્યાર્થીનું ભાવિ નક્કી કરે છે. તેવી જ રીતે, આ જગતનું જીવન, ટૂંકુ હોવા છતાં મનુષ્ય માટે અજમાયશ અને પરીક્ષાના ઘર જેવું છે, જેથી જ્યારે તેઓ મૃત્યુ પછીના જીવનની નજીક આવશે ત્યારે તેઓ ડિગ્રી અને હોદ્દા પર અલગ પાડવામાં આવશે. વ્યક્તિ આ જગતમાંથી પોતાના કર્મોથી બહાર આવે છે અને ભૌતિક વસ્તુઓ સાથે બહાર આવતો નથી, વ્યક્તિએ સમજવું અને જાણવું જોઈએ કે તેણે આ જગતમાં મૃત્યુ પછીના જીવન માટે અને મૃત્યુ પછીના જીવનમાં ઈનામ મેળવવા માટે શું કામ કરવું જોઈએ.
માનવ સુખ પાલનહારના આદેશો પર અમલ કરવાથી, તેની આજ્ઞાનું પાલન કરવાથી અને તેના હુકમ અને તકદીરથી સંતુષ્ટ થવાથી પ્રાપ્ત થાય છે.
ઘણા લોકો દાવો કરે છે કે દરેક વસ્તુ આંતરિક રીતે અર્થહીન છે, અને તેથી અમે પરિપૂર્ણ જીવન જીવવા માટે પોતાને માટે અર્થ શોધવા માટે સ્વતંત્ર છીએ. આપણા અસ્તિત્વના હેતુને નકારવું એ હકીકતમાં આત્મ-છેતરપિંડી છે, એવું લાગે છે કે આપણે આપણી જાતને કહીએ છીએ, "ચાલો ધારીએ કે ઢોંગ કરીએ કે આ જીવનમાં આપણો હેતુ છે." જાણે કે આપણી પરિસ્થિતિ એવા બાળકો જેવી છે જેઓ રમવાનો ઢોંગ કરે છે કે તેઓ ડોકટરો, નર્સો અથવા માતાઓ અને પિતા છે. જ્યાં સુધી આપણે આપણા જીવનનો હેતુ જાણતા નથી ત્યાં સુધી આપણે સુખ પ્રાપ્ત કરી શકતા નથી.
જો કોઈ વ્યક્તિને તેની ઈચ્છા વિરુદ્ધ વૈભવી ટ્રેનમાં બેસાડવામાં આવે, અને તે પોતાને પ્રથમ વર્ગમાં, વૈભવી અને આરામદાયક અનુભવ, મોજશોખ અનુભવે. શું તે આ પ્રવાસમાં આ પ્રકારના પ્રશ્નોના જવાબો મેળવ્યા વિના ખુશ થશે: તમે ટ્રેનમાં કેવી રીતે પહોંચ્યા? સફરનો હેતુ શું છે? તમે ક્યાં જઈ રહ્યા છો? જો આ પ્રશ્નો અનુત્તર રહે તો તે કેવી રીતે ખુશ થઈ શકે? જો તે પોતાના અધિકારમાં તમામ મોજશોખનો આનંદ માણવાનું શરૂ કરે તો પણ તે ક્યારેય સાચુ સુખ પ્રાપ્ત કરી શકશે નહીં. શું આ સફરમાં સ્વાદિષ્ટ ભોજન તેને આ પ્રશ્નો ભૂલી જવા માટે પૂરતું હશે? આ પ્રકારની ખુશી અસ્થાયી અને બનાવટી હશે, જે આ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો શોધવા માટે ઇરાદાપૂર્વક અવગણના કરી પ્રાપ્ત કરવામાં આવે છે. આમ, વ્યક્તિ માટે સાચું સુખ પ્રાપ્ત થશે નહીં જ્યાં સુધી તેને આ અસ્તિત્વના પ્રશ્નોના જવાબો નહી મળે.... More
હા, ઇસ્લામ દરેક લોકો માટે છે અને તેઓ તેનો સ્વીકાર પણ કરી શકે છે, દરેક બાળક પોતાની સાચી ફિતરત પર જન્મે છે, કોઈને ભાગીદાર બનાવ્યા વગર ઈબાદત કરતો હોય છે, (મુસલમાન) પરિવાર, શાળા કે કોઈ પણ ધાર્મિક પક્ષના હસ્તક્ષેપ વિના, તે પ્રત્યક્ષ રીતે પાલનહારની ઈબાદત કરે છે, પુખ્તવય સુધી, પછી તે તેના કાર્યો માટે જવાબદાર અને તેણે કરેલ અમલનો પોતે જ જવાબદાર રહેશે. પછી કાં તો તે મસીહને તેની અને અલ્લાહની વચ્ચે મધ્યસ્થી તરીકે માને છે અને ખ્રિસ્તી બને છે, અથવા તે બુદ્ધને મધ્યસ્થી તરીકે લે છે અને બૌદ્ધ બને છે, અથવા કૃષ્ણને અપનાવી હિંદુ બને છે, અથવા તે મુહમ્મદને ઇસ્લામથી સંપૂર્ણપણે ભટકી જવા માટે મધ્યસ્થી તરીકે લે છે, અથવા તે વૃત્તિના ધર્મ પર રહે છે, એક અલ્લાહની ઈબાદત કરે છે. મુહમ્મદના સંદેશનો અનુયાયી, અલ્લાહની દયા અને શાંતિ તેમના પર હોય, જે તે પોતાના પાલનહાર તરફથી લાવ્યા છે, તે જ સાચો ધર્મ છે, જે સાચી વૃત્તિ સાથે સંમત છે, અને બાકીનું બધું વિચલન છે, પછી ભલે તે મુહમ્મદને અલ્લાહ વચ્ચે ભાગીદાર બનાવતો હોય.
"દરેક બાળક ફિતરત પર જન્મે છે, પછી તેના પિતા તેને યહૂદી, ઈસાઈ અથવા પારસી બનાવી દે છે" [૮૮]. (સહીહ મુસ્લિમ)
સાચો ધર્મ જે સર્જનહાર તરફથી આવ્યો છે તે એક જ ધર્મ છે અને તેનાથી વધુ નહીં, અને તે એક અને એકમાત્ર સર્જકના અકીદાનો સ્વીકારે છે અને તેની જ ઈબાદત કરવાનો આદેશ આપે છે. આપણા માટે ભારત દેશની મુલાકાત લેવી પૂરતું છે, ઉદાહરણ તરીકે, લોકો વચ્ચે કહેવું: સર્જક અને ઇલાહ એક જ છે, તો દરેકે એક અવાજે જવાબ આપ્યો: હા, હા, સર્જક એક છે, આ તો અમારી પુસ્તકોમાં લખાયેલું છે [૮૯], પરંતુ તેઓ અલગ પડે છે અને લડે છે, અને મૂળભૂત મુદ્દા પર એકબીજાની હત્યા કરે છે: પાલનહાર પૃથ્વી પર છબી અને સ્વરૂપમાં આવે છે. ભારતીય ખ્રિસ્તી કહે છે, ઉદાહરણ તરીકે: અલ્લાહ એક છે, પરંતુ તે ત્રણ વ્યક્તિઓ (પિતા, પુત્ર અને પવિત્ર આત્મા) માં મૂર્તિમંત છે. અને તેમની વચ્ચેનો ભારતીય હિંદુ કહે છે: ભગવાન પ્રાણી, મનુષ્ય અથવા મૂર્તિના રૂપમાં મૂર્તિમત છે. હિન્દુ ધર્મમાં: (ચાંદોગ્ય ઉપનિષદ ૬: ૧-૨). "તે માત્ર એક જ ઇલાહ છે અને તેના સિવાય બીજો કોઈ ઇલાહ નથી." (વેદ શ્વેતાશ્વતર ઉપનિષદ: ૪: ૧૯, ૪: ૨૦, ૯: ૬). "ઇલાહનો કોઈ પિતા નથી અને કોઈ ગુરુ નથી". "તેને જોવું શક્ય નથી, કોઈ તેને આંખથી જોઈ શકતું નથી". "તેના જેવો કોઈ જ નથી". (યજુર્વેદ ૯: ૪૦). "જેઓ પ્રકૃતિના તત્વો (વાયુ, પાણી, અગ્નિ વગેરે) ની પૂજા કરે છે તેઓ તેઓ અંધકારમાં ડૂબી જાય છે. જેઓ સંભૂતિની પૂજા કરે છે (મૂર્તિ, ખડક વગેરે જેવી વસ્તુઓ)..." ( ખ્રિસ્તી ધર્મ): (મેથ્યુની ગોસ્પેલ ૧૦: ૪). "પછી ઈસાએ તેને કહ્યું: "શૈતાનથી દૂર જાઓ, કારણ કે તે લખેલું છે: તમે પાલનહારને સિજદો કરો અને તમે ફક્ત તેની જ ઈબાદત કરો.'" (પુસ્તક નિર્ગમન ૫-૩: ૨૦). "મારા સમક્ષ તમારે અન્ય કોઈ દેવતાઓ ન હોવા જોઈએ. ઉપર જન્નતમાં શું છે, નીચે પૃથ્વી પર શું છે અને પૃથ્વીની નીચે પાણીમાં શું છે તેની પ્રતિમા અથવા મૂર્તિ બનાવશો નહીં. તેમને સિજદો કરશો નહીં અને કરો, મને ધિક્કારનારાઓની ત્રીજી અને ચોથી પેઢીના બાળકોમાં માતા-પિતાની ભૂલો મને યાદ આવે છે."
જો લોકો ઊંડો વિચાર કરે, તો તેઓ જોશે કે ધર્મોના સંપ્રદાયો અને ધર્મો વચ્ચેની બધી સમસ્યાઓ અને મતભેદો માણસો અને તેમના સર્જક વચ્ચે જે લોકો ભાગીદાર ઠેરવે છે, તેના કારણે છે. ઉદાહરણ તરીકે, કેથોલિક સંપ્રદાયો, પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયો, વગેરે, અને હિન્દુ સંપ્રદાયો, સર્જક સાથે કેવી રીતે વાતચીત કરવી તે અંગે ભિન્નતા ધરાવે છે, અને પોતે સર્જકના અસ્તિત્વના ખ્યાલ પર નહીં. જો તેઓ બધા ફક્ત એક અલ્લાહની ઈબાદત કરશે, તો તેઓ ચોક્કસ એક થશે.
ઉદાહરણ તરીકે, પયગંબર ઇબ્રાહિમના સમયે, જેણે એક જ સર્જનહારની ઈબાદત કરી હતી તે ઇસ્લામ ધર્મ પર હતા, જે સાચો ધર્મ છે, પરંતુ જેણે પોતાની અને સર્જકની વચ્ચે કોઈ પાદરી અથવા સંતને ભાગીદાર બનાવ્યો, તો તે જૂઠાણા પર હતા. ઈબ્રાહીમ ના અનુયાયીઓ, તેમના પર સલામતી થાય, તેમણે એક જ અલ્લાહની ઈબાદત કરી અને સાક્ષી આપી કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, અને તે ઇબ્રાહિમ અલ્લાહના રસૂલ અને પયગંબર છે. અને અલ્લાહએ ઈબ્રાહીમના સંદેશાને માનવા માટે મુસા ને મોકલ્યા. ઈબ્રાહીમના અનુયાયીઓ, શાંતિ તેના પર રહે, નવા પ્રબોધકને સ્વીકારવા પડ્યા, અને સાક્ષી આપવી પડી કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, અને તે મૂસા અને ઇબ્રાહિમ અલ્લાહના પયગંબરો છે, તેથી જેણે તે સમયે વાછરડાની પૂજા કરી હતી, ઉદાહરણ તરીકે, તે બાતેલ માર્ગ પર હતા.... More
ઇસ્લામિક ધર્મ શ્રેષ્ઠ માટે સાથ આપવા, સહનશીલતા અને દલીલ પર આધારિત છે.
"(હે નબી !) તમે (લોકોને) પોતાના પાલનહારના માર્ગ તરફ હિકમત અને ઉત્તમ શિખામણ દ્વારા બોલાવો અને તેમની સાથે ઉત્તમ રીતે વાર્તા-લાપ કરો, નિ:શંક તમારો પાલનહાર ગુમરાહ લોકોને ખૂબ સારી રીતે જાણે છે. અને તે લોકોને પણ ખૂબ સારી રીત જાણે છે, જે લોકો સત્ય માર્ગ પર છે"[૯૦]. (અન્ નહલ: ૧૨૫).
કુરઆન મજીદ આકાશી પુસ્તકો માંથી છેલ્લી પુસ્તક છે અને મુહમ્મદ ﷺ નબીઓ માંથી સૌથી છેલ્લા નબી છે, એટલા માટે ઇસ્લામી શરિઅત (ઇસ્લામી કાનૂન) ધર્મના પાયા, નિયમો પર ચર્ચા કરવામો માર્ગ ખોલી આપે છે "ધર્મમાં કોઈ જબરદસ્તી નથી" ઇસ્લામમાં ખાતરીપૂર્વકનો સિદ્ધાંત છે, કોઈને પણ મજબૂત આધારિત ઇસ્લામિક પંથ અપનાવવા માટે ફરજ પાડવામાં ન આવે જો કે વ્યક્તિ અન્યની અવિશ્વસનીયતાનો આદર કરે અને તેને તેના ધર્મને જાળવી રાખવા અને તેને સુરક્ષા અને રક્ષણ આપવાના બદલામાં દેશ પ્રત્યેની તેની ફરજો પૂર્ણ કરે.... More
જ્ઞાનની ઇસ્લામિક વિભાવના વિશ્વાસ અને વિજ્ઞાનના નક્કર પાયા પર આધારિત છે, જે મનના જ્ઞાનને હૃદયના જ્ઞાન સાથે, પાલનહાર પર ઈમાન સાથે અને વિશ્વાસથી અવિભાજ્ય જ્ઞાન સાથે જોડે છે.
અન્ય પશ્ચિમી વિભાવનાઓની જેમ યુરોપિયન બોધનો ખ્યાલ ઇસ્લામિક સમાજમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો. ઇસ્લામિક અર્થમાં જ્ઞાન, અમૂર્ત મન પર આધાર રાખતું નથી કે જે વિશ્વાસના પ્રકાશ દ્વારા સંચાલિત ન હોય, અને તે જ હદ સુધી, જો તે અલ્લાહએ તેને જે નેઅમતો આપી છે, તેનો ઉપયોગ ન કરે તો તેની બુદ્ધિ તેને લાભ આપતી નથી. કારણસર વિચારવામાં, ચિંતન કરવામાં, વસ્તુઓનો એવી રીતે નિકાલ કરવામાં કે જેનાથી લોકોને ફાયદો થાય અને પૃથ્વી પર રહે.
અંધકારમય મધ્ય યુગ દરમિયાન, મુસ્લિમોએ સંસ્કૃતિ અને સંસ્કૃતિના પ્રકાશને પુનઃસ્થાપિત કર્યો, જે પૂર્વ અને પશ્ચિમના તમામ દેશોમાં, કોન્સ્ટેન્ટિનોપલમાં પણ ઓલવાઈ ગયો હતો.... More
કેટલાક ડાર્વિનવાદીઓ કે જેઓ કુદરતી પસંદગી (એક અતાર્કિક ભૌતિક પ્રક્રિયા)ને એક અનન્ય સર્જનાત્મક બળ તરીકે માને છે જે કોઈપણ વાસ્તવિક પ્રયોગમૂલક આધાર વિના તમામ મુશ્કેલ ઉત્ક્રાંતિ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે, તેઓ પછીથી બેક્ટેરિયલ કોષોની રચના અને કાર્યમાં ડિઝાઇનની જટિલતાઓ શાધે છે, તેઓએ "સ્માર્ટ" બેક્ટેરિયા, "માઇક્રોબાયલ ઇન્ટેલિજન્સ", "નિર્ણય-નિર્ધારણ" અને "સમસ્યા-નિવારણ બેક્ટેરિયા" જેવા શબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આમ, બેક્ટેરિયા તેમના નવા ઇલાહમાં ફેરવાઈ ગયા[104].
ઉચ્ચ અને મહાન સર્જકે, તેના પુસ્તકમાં અને તેના રસૂલોના શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે બેક્ટેરિયલ બુદ્ધિને આભારી આ ક્રિયાઓ સૃષ્ટિના ઇલાહની ક્રિયાઓ, હિકમત અને ઇચ્છા પ્રમાણે છે.
"અલ્લાહ દરેક વસ્તુનું સર્જન કરનાર છે અને તે જ દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે" [105]. (અઝ્ ઝુમર : ૬૨).... More
ઇસ્લામ આ વિચારને સંપૂર્ણપણે નકારી કાઢે છે, અને કુરઆન સ્પષ્ટ કરે છે કે અલ્લાહએ આદમને માણસના સન્માન માટે સ્વતંત્ર બનાવીને અને તેને પૃથ્વી પર ખલીફા બનાવવા માટે સૃષ્ટિના ઇલાહની હિકમતને પરિપૂર્ણ કરીને અન્ય તમામ જીવોથી અલગ પાડ્યો છે.
ડાર્વિનના અનુયાયીઓ સૃષ્ટિના સર્જકના અસ્તિત્વમાં ઈમાન ધરાવનારને પછાત વ્યક્તિ માને છે કારણ કે તે એવી વસ્તુમાં વિશ્વાસ કરે છે જે તેણે જોયું જ નથી. જો કે મોમિન તેનો સ્વીકાર કરે છે, જે તેના દરજ્જાને વધારે છે અને તેનું સ્થાન ઊંચું કરે છે, અને તેઓ માને છે કે જે તેમને ધિક્કારે છે અને તેમના દરજ્જાને ઘટાડે છે. કોઈ પણ સંજોગોમાં, બાકીના વાંદરાઓ હવે બાકીના માણસો બનવા માટે શા માટે વિકસિત થયા નથી?
સિદ્ધાંત એ પૂર્વધારણાઓનો સમૂહ છે, અને આ પૂર્વધારણાઓ ચોક્કસ ઘટનાની સાક્ષી આપવાથી આવે છે, અને આ પૂર્વધારણાઓ સાબિત કરવા માટે સફળ પ્રયોગો અથવા પ્રત્યક્ષ અવલોકન કે જે પૂર્વધારણાની માન્યતાને સાબિત કરે છે તે જરૂરી છે. જો સિદ્ધાંતની ધારણાઓમાંથી કોઈ એક પ્રયોગ અથવા પ્રત્યક્ષ અવલોકન દ્વારા સાબિત કરી શકાતી નથી, તો આ સિદ્ધાંત પર સંપૂર્ણ રીતે પુનર્વિચાર કરવામાં આવે છે.... More
વિજ્ઞાન સામાન્ય મૂળના ઉત્ક્રાંતિની વિભાવના માટે ખાતરીપૂર્વક પુરાવા આપે છે, જેનો પવિત્ર કુરઆનમાં ઉલ્લેખ છે.
"અને દરેક જીવિત વસ્તુનું સર્જન અમે પાણી વડે કર્યું, છતાં પણ આ લોકો ઈમાન નથી લાવતા" [૧૧૧]. (અલ્ અંબિયા: ૩૦).
સર્વશક્તિમાન અલ્લાહએ આસપાસના વાતાવરણ સાથે સુસંગત રહેવા માટે બુદ્ધિશાળી અને જન્મજાત સજીવોનું સર્જન કર્યું છે, તેમના માટે કદ, આકાર અથવા ઊંચાઈના સંદર્ભમાં વિકાસ શક્ય છે, ઉદાહરણ તરીકે, ઠંડા દેશોમાં ઘેટાં ચોક્કસ આકાર ધરાવે છે અને તેઓ ઠંડીથી બચવા માટે ચામડી ધરાવે છે, અને તાપમાનના આધારે તેમની ઊન વધે છે અથવા ઘટે છે, જ્યારે અન્ય દેશોમાં તેઓ અલગ છે, આમ આકારો અને પ્રકારો પર્યાવરણની વિવિધતા અનુસાર બદલાય છે. આ મનુષ્યોને પણ લાગુ પડે છે, જે રંગ, ગુણો, ભાષા અને દેખાવની દ્રષ્ટિએ અલગ-અલગ હોય છે, કોઈ પણ માનવી સમાન રીતે બીજાને મળતો નથી; જો કે તે બધા મનુષ્ય જ હોઈ છે અને અન્ય પ્રકારના પ્રાણીઓમાં બદલાતા નથી. અને ખરેખર પવિત્ર અલ્લાહ તઆલા એ કહ્યું:... More
પવિત્ર કુરઆને આદમના સર્જનની સપૂર્ણ માહિતી આપીને ઉત્ક્રાંતિના ખ્યાલને સુધારે છે.
માનવી પહેલા કઈ વર્ણન કરવા વાળી વસ્તુ ન હતો:
"શું માનવી ઉપર એક એવો સમય પણ વિત્યો છે, જ્યારે તે કઇંજ નોંધપાત્ર વસ્તુ નહતો"[૧૧૪]. (અલ્ ઇન્સાન: ૧).... More
લોકોમાં વિવિધ સિદ્ધાંતો અને માન્યતાઓના અસ્તિત્વનો અર્થ એ નથી કે ત્યાં એક પણ સાચું સત્ય નથી, ઉદાહરણ તરીકે, કાળી કાર ધરાવનાર વ્યક્તિ દ્વારા વપરાતા પરિવહનના માધ્યમો વિશે લોકોના કેટલા ખ્યાલો અને ધારણાઓ હોય, ઉદાહરણ તરીકે, તે હકીકતને નકારી શકાતી નથી કે તેની પાસે કાળી કાર છે, ભલે આખું વિશ્વ માને કે આ વ્યક્તિની કાર લાલ છે, આ માન્યતા તે કારને લાલ નથી બનાવતી, તે એક સત્ય છે, જે કાળી કાર છે.
કોઈ વસ્તુની વાસ્તવિકતા વિશેના ખ્યાલો અને ધારણાઓની બહુવિધતા આ વસ્તુ માટે એક નિશ્ચિત વાસ્તવિકતાના અસ્તિત્વને નકારી શકતી નથી.
અને અલ્લાહ માટે સર્વશ્રેષ્ઠ ઉદાહરણો છે, તેથી અસ્તિત્વની ઉત્પત્તિ વિશે લોકોની કેટલી ધારણાઓ અને વિભાવનાઓ હોય, તે કોઈ બાબત નથી, આ એક વાસ્તવિકતાના અસ્તિત્વને નકારી શકતું નથી, જે એક અને એકમાત્ર સર્જક અલ્લાહ છે જેની કોઈ છબી નથી કે જે મનુષ્ય જાણે છે, અને તેનો કોઈ ભાગીદાર કે પુત્ર પણ નથી. ઉદાહરણ તરીકે, જો આખું વિશ્વ અપનાવવા માંગતું હોય કે સર્જક પ્રાણી છે, અથવા મનુષ્યના રૂપમાં મૂર્તિમંત છે, તો આ તેને એવું બનાવતું નથી, અલ્લાહ તઆલા તેનાથી ઉચ્ચ અને શ્રેષ્ઠ છે.... More
બળાત્કાર દુષ્ટ છે કે નહીં તે નક્કી કરવા માટે તેની ધૂન દ્વારા શાસિત માનવીની પ્રતીતિ અતાર્કિક છે, તેના બદલે તે સ્પષ્ટ છે કે બળાત્કારમાં જ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે, અને તેના મૂલ્ય અને સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે, અને આ સૂચવે છે કે બળાત્કાર દુષ્ટ છે. તેમજ સમલૈંગિકતા, જે વૈશ્વિક ધોરણો અને લગ્નેતર સંબંધોનો ભંગ છે, જો આખું વિશ્વ તેની અમાન્યતા પર એકરૂપ થઈ જાય તો પણ ફક્ત સાચે જ સાચું છે, અને ભૂલ એ સૂર્યની સ્પષ્ટતાની જેમ સ્પષ્ટ છે, ભલે બધા મનુષ્ય તેની માન્યતા સ્વીકારે.
તેવી જ રીતે ઈતિહાસના સંદર્ભમાં, જો આપણે સ્વીકારીએ કે દરેક યુગે તેના દૃષ્ટિકોણથી ઈતિહાસ લખવો જોઈએ; કારણ કે દરેક યુગની તેના માટે શું મહત્વનું અને અર્થપૂર્ણ છે તેની પ્રશંસા અન્ય યુગની પ્રશંસા કરતા અલગ છે, પરંતુ તે ઇતિહાસને સાપેક્ષ બનાવતું નથી, કારણ કે આ નકારી શકતું નથી કે ઘટનાઓ એક વાસ્તવિકતા ધરાવે છે, પછી ભલે તે આપણને ગમે કે ન ગમે. અને મનુષ્યનો ઈતિહાસ જે ઘટનાઓની વિકૃતિ અને અચોક્કસતાને આધીન છે અને જે ધૂન પર આધારિત છે તે તેમના માટે વિશ્વના પાલનહારના ઈતિહાસ જેવો નથી, જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં અત્યંત સચોટ છે.
એવી કોઈ ચોક્કસ સત્ય વાત નથી કે જે ઘણા લોકો અપનાવે છે તે પોતે જ સાચું અને ખોટું શું છે તે વિશેની માન્યતાઓ રાખે છે, અને તેઓ તેને અન્ય લોકો પર લાદવાનો પ્રયાસ કરે છે, તેઓના વર્તનનું ધોરણ અપનાવે છે અને દરેકને તેનું પાલન કરવા દબાણ કરે છે, આમ તેઓ જે વસ્તુને જાળવી રાખવાનો દાવો કરે છે તેનું ઉલ્લંઘન તેઓ પોતે જ કરે છે - એક સ્વ-વિરોધાભાસી સ્થિતિ કહેવાય.
નિરપેક્ષ વાસ્તવિકતાના અસ્તિત્વના પુરાવા નીચે મુજબ છે:
અંતઃકરણ: (આંતરિક ઉત્તેજના) નૈતિક માર્ગદર્શિકાઓનો સમૂહ, જે માનવ વર્તનને નિયંત્રિત કરે છે, તે પુરાવો છે કે વિશ્વ ચોક્કસ રીતે કાર્ય કરે છે અને તે સાચું છે અને ખોટું છે. આ નૈતિક સિદ્ધાંતો સામાજિક જવાબદારીઓ છે, જેનો વિવાદ કરી શકાતો નથી અથવા જાહેર લોકમતનો વિષય બની શકતો નથી. તેઓ તેમની સામગ્રી અને અર્થમાં સમાજ માટે અનિવાર્ય સામાજિક તથ્યો છે. ઉદાહરણ તરીકે, કોઈના માતા-પિતાનો અનાદર કરવો અથવા ચોરી કરવી હંમેશા અણગમતી વર્તણૂક તરીકે જોવામાં આવે છે, અને તેને પ્રમાણિકતા અથવા આદર તરીકે ન્યાયી ઠેરવી શકાતી નથી. આ સામાન્ય રીત તમામ સંસ્કૃતિઓને દરેક સમયે લાગુ પડે છે.... More
પૃથ્વી ગ્રહ પર મનુષ્યોની હાજરીની જેમ અવકાશમાં ફરે છે, જેમ કે વિવિધ સંસ્કૃતિના મુસાફરો એક પ્લેન પર ભેગા થાય છે જે તેમને અજાણી દિશા સાથે અજાણી મુસાફરી પર લઈ જવામાં આવે છે, અને તેઓ પોતાને સેવા આપવા અને પ્લેનમાં મુશ્કેલીઓ સહન કરવા માટે ફરજ પાડે છે.
પ્લેનના કપ્તાન તરફથી પ્લેનના ક્રૂમાંથી એક સાથે તેમની પાસે એક સંદેશ આવ્યો, જેમાં તેમને તેમની હાજરીનું કારણ, તેમના ટેક-ઓફનું સ્થળ અને તેમનું ગંતવ્ય જણાવવામાં આવ્યું હતું અને તેમને તેમની વ્યક્તિગત લાક્ષણિકતાઓ અને તેમની સાથે સીધો સંવાદ કરવાની રીત બતાવી હતી.
પહેલા મુસાફરે કહ્યું: હા, તે સ્પષ્ટ છે કે પ્લેનમાં એક કેપ્ટન છે, અને તે દયાળુ છે કારણ કે તેણે આ વ્યક્તિને અમારા પ્રશ્નોના જવાબ આપવા માટે મોકલ્યો છે.... More
શું ખ્રિસ્તી માનતો નથી કે મુસ્લિમ એક નાસ્તિક છે - ઉદાહરણ તરીકે - કારણ કે તે તષલીષના સિદ્ધાંતમાં માનતો નથી, જેમાં તે વિશ્વાસ કર્યા સિવાય રાજ્યમાં પ્રવેશ કરશે નહીં? કાફિર શબ્દનો અર્થ છે સત્યને નકારવું, અને મુસ્લિમ માટે સત્ય તોહિદ છે, અને ખ્રિસ્તી માટે તે તષલીષ છે.
કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ઈમાન ધરાવવું અને તેની જ ઈબાદત કરવી. જો કે કુરઆન, અગાઉના આકાશીય પુસ્તકોથી વિપરીત, ફક્ત ચોક્કસ શ્રેણી અથવા જૂથ માટે મોકલવામાં આવ્યુ ન હતું, અને તેના વિવિધ સંસ્કરણો નથી, અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેના બદલે, તે બધા મુસ્લિમો માટે એક પુસ્તક છે. અને કુરઆનનું લખાણ હજી પણ તેની મૂળ ભાષા (અરબી)માં છે, કોઈપણ ફેરફાર, વિકૃતિ અથવા હેરફેર વિના, અને તે હજી પણ આપણા સમય સુધી સાચવેલ છે, અને તે એવું જ રહેશે, સૃષ્ટિના પાલાન્હારે તેને સાચવવાનું વચન આપ્યું છે. તે બધા મુસલમાનોના હાથમાં પ્રસારિત થાય છે, અને ઘણા મુસલમાનોએ કુરઆન મજીદને મોઢે યાદ પણ કર્યું છે, અને કુરઆનના વર્તમાન અનુવાદો ઘણી ભાષાઓમાં અને લોકોના હાથમાં છે, તે કુરઆનના અર્થ અને અનુવાદ સિવાય બીજું કંઈ નથી. સૃષ્ટિના પાલનહારે અરબો અને બિન અરબોને આ પ્રમાણે કુરઆન લાવવા માટે ચેલેન્જ કર્યું છે, તે જાણીને કે તે સમયે અરબો વકતૃત્વ, અને કવિતામાં અન્ય લોકો પર સરદાર હતા, પરંતુ તેઓ જાણતા હતા કે આ કુરઆન અલ્લાહ સિવાય કોઈનું કલામ નથી, આ ચેલેન્જ ચૌદ સદીઓથી કરતા પણ વધુ સમયથી હ્યું છે અને કોઈ પણ આમ કરી શક્યું નથી, અને આ સૌથી મોટો પુરાવો છે કે કુરઆન અલ્લાહ તરફથી છે.
જો કુરઆન યહૂદીઓમાંથી હોત, તો તેઓ તેને પોતાને માટે જવાબદાર ઠેરવવામાં સૌથી ઝડપી હોત, શું કુરઆનને ઉતારવાના સમયે યહૂદીઓએ એવો દાવો કર્યો હતો?
શું શરિઅત, વ્યવ્હાર નમાઝ, હજ અને ઝકાતથી અલગ નથી? ત્યાર બાદ આવો આપણે બિન મુસ્લિમ તરફથી કુરઆન બાબતે આવતી ગવાહી અને કુરઆન માનવી તરફ થી ન હોવાના પુરાવા અને તેમાં વિજ્ઞાનીક મુઅજિઝાત (ચમત્કારો) જોઈએ, અને જ્યારે કોઈ મોમિન આ અકીદાને સાચો હોવાનો દાવો કરે છે, જે તેના વિરુદ્ધ હોય તો આ તેની સત્યતાનો મોટો પુરાવો છે. આ સંદેશ એક પાલનહાર તરફથી એક જ હોવો જોઈએ, અને જે કઈ પણ મુહમ્મદ લઈને આવ્યા તે તેમના ધોખો આપવાનો નહીં પરંતુ તે તેમની સત્યતાનો પુરાવો છે. અને અલ્લાહ તઆલાએ અરબો અને બિન અરબોને, જેઓ પોતાની ભાષામાં ઉત્તમ હતા તેમને ચેલેન્જ આપ્યું કે તમે આના જેવી એક આયત પણ લઈ આવો, પરંતુ તેઓ ન લાવી શક્યા અને નિષ્ફળ થયા, આ ચેલેન્જ અત્યાર સુધી બાકી જ છે.
તે પ્રાચીન સંસ્કૃતિના સાચા વિજ્ઞાનમાંનું એક હતું, જેમાં ઘણી દંતકથાઓ અને અંધશ્રદ્ધા સામેલ છે, નિર્જન રણમાં ઉછરેલો ઉમ્મી (અભણ) પયગંબર આ સંસ્કૃતિમાંથી દંતકથાઓ છોડી માત્ર સાચી વાતો નકલ કેવી રીતે કરી શકે?
દુનિયામાં ઘણી ભાષાઓ અને લહેજાઓ (વાત કરવાનો તરીકો) છે, જો તેમાંથી કોઈ એક પણ ભાષામાં ઉતારવામાં આવતું તો લોકો હેરાન થઈ જતાં. ખરેખર અલ્લાહ પયગંબરોને તેમની કોમની ભાષામાં જ મોકલે છે, અને અલ્લાહ તઆલાએ મુહમ્મદ ﷺ ને છેલ્લા પયગંબર બનાવીને મોકલ્યા, અને કુરઆનની ભાષા પણ તેમની કોમની છે, અને કુરઆનને કયામત સુધી ફેરફારથી સુરક્ષિત કરી દીધું, તેણે મસીહની કિતાબ માટે ઉદાહરણ તરીકે આરામિક ભાષા પસંદ કરી.
"અને અમે જે પયગંબરો પણ મોકલ્યા, તેમણે પોતાની કોમની ભાષામાં જ આદેશો આપ્યા..." [૧૨૬]. (ઈબ્રાહીમ: ૪).
નાસિખ અને મન્સૂખ એ શરિઅતના આદેશોના નિયમો માથી એક છે, જેમકે કોઈ નવા આદેશ વડે પાછલા આદેશને રોકી દેવો, અથવા એક આદેશને બીજા આદેશ વડે બદલી નાખવો, અથવા કોઈ મર્યાદિત આદેશને સામાન્ય કરવો અને કોઈ સામાન્ય આદેશને મર્યાદિત કરવો, અને શરિઅતમાં આ એક સામાન્ય વાત છે જે આદમ થી ચાલી રહી છે. જેમકે આદમના સમયે ભાઈ બહેનની શાદી થતી હતી પરંતુ પછીની શરિઅત દ્વારા તેને ખતમ કરી દેવામાં આવી; એવી જ રીતે શનિવારે કામ કરવી ઈબ્રાહીમ અને તે પહેલાની શરિઅતમાં જાઈઝ હતું પરંતુ તેને મૂસાની શરિઅતમાં ખતમ કરી દેવામાં આવ્યું, અને અલ્લાહ તઆલાએ બની ઈસ્રાઈલના લોકો જ્યારે એક વાછરડાની પૂજા કરવા લાગ્યા તો આદેશ આપ્યો કે તેઓ પોતે જ પોતાને કતલ કરે, પછી આ આદેશ ખત્મ કરી દેવામાં આવ્યો, વગેરે આ જેવા ઘણા ઉદાહરણો છે, એક આદેશને બીજા આદેશ વડે બદલવો તેજ શરિઅત વડે અથવા બીજી શરિઅત વડે તે શકય, જેમકે અમે પાછળ ઘણા ઉદાહરણો વર્ણન કર્યા.
ઉદાહરણ તરીકે એક ડોક્ટર પોતાના દર્દીનો એક દવા વડે ઈલાજ કરતો હોય છે, જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તે દાવામાં વધારો કે ઘટાડો કરતો રહે છે, આપણે તેને હોશિયાર સમજીએ છીએ, અને અલ્લાહ માટે તો સર્વ શ્રેષ્ઠ ઉદાહરણો છે, તો એક આદેશને બીજા આદેશ વડે બદલવો તે ઈસ્લામના આદેશમાં મહાન સર્જકની હિકમત માથી એક છે.
પયગંબરે કુરઆનને વિશ્વાસપાત્ર સહાબાઓ દ્વારા લખી રાખ્યું જેથી કરીને તેને વાંચી શકાય અને અન્યને શિખવાડવામાં આવે. અને જ્યારે અબુ બકર રઝી. એ ખિલાફત સંભાળી, તો તેમણે આ સહિફાઓને સંગ્રહ કરવાનો આદેશ આપ્યો જેથી તે એક જગ્યાએ ભેગું થઇ જાય અને તેનો સંદર્ભ લઈ શકાય. અને ઉષ્માન રઝી.ના યુગમાં, તેમણે સહબાઓ પાસે જે અલગ અલગ લહેજાઓના નુસખા અલગ અલગ દેશોમાં હતા તેને બાળી નાખવાનો આદેશ આપ્યો, અને તેમની તરફ એક નવો નુસખો મોકલ્યો, જે મૂળ નુસ્ખા જેમ જ હતો, જે નબી ﷺ છોડી ને ગયા હતા અને જેને અબૂ બકર રઝી. એ એકઠો કર્યો હતો, આવું એટલા માટે કરવામાં આવ્યું કે હવે દરેક દેશોમાં જે નુસખો છે તેનું મૂળ એક જ છે, જે નબી ﷺ છોડીને ગયા હતા.
અને કુરઆન કોઈ ફેરફાર વગર પહેલા જેવું હતું એવું અત્યારે પણ બાકી જ છે, અને આ દરેક સમયના મુસલામનો માટે એક વારસો બનીને રહ્યું છે, જેને તેઓ એક બીજા પાસે મોકલે છે અને પોતાની નમાઝોમાં આ કુરઆનની તિલાવત કરે છે.
ઇસ્લામ એ પ્રગિક વિજ્ઞાનનો વિરોધ કરતો નથી, અને કેટલાક પશ્ચિમના વિજ્ઞાનિકો જેઓ અલ્લાહ પર ઈમાન ધરાવતા ન હતા તો પણ તેઓ પોતાની વૈજ્ઞાનિક શોધો દ્વારા સર્જકના અસ્તિત્વ સુધી પહોંચ્યા હતા, જેના કારણે તેઓ સત્ય તરફ આકર્ષિત થયા. ઇસ્લામ એ અકલ અને વિચાર પર પ્રભ્તુવ ધરાવે છે, અને સૃષ્ટિ વિષે ચિંતન મનન કરાવનું કહે છે.
ઇસ્લામ સમગ્ર માનવજાતીને અલ્લાહની નિશાનીઓ અને તેના અનોખા સર્જન પર ચિંતન મનન કરવા, જમીનમાં હળવા ફરવા, સૃષ્ટિને જોઈ પોતાના દિમાગનો ઉપયોગ કરી વિચાર અને તર્ક (મન્તિક) ના ઉપયોગ તરફ બોલાવે છે. તે અનિવાર્યપણે જે જવાબોને શોધી લેશે, જેની તે શોધ કરું રહ્યો હતો, અને પોતાને એક સર્જકના અસ્તિત્વ પર ઈમાન ધરાવનાર પામશે, અને તે સંપૂણ યકીન સુધી પહોંચી જશે કે આ સૃષ્ટિ એ કાળજીપૂર્વક ઈરાદા સાથે અને એક હેતુ સાથે બનાવવામાં આવી છે. છેલ્લે તે તે નિર્ણય સુધી પહોંચી જશે કે ઇસ્લામ ફક્ત તે વાતની માંગ કરે છે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ (મઅબૂદ) નથી.
"જેણે સાત આકાશો તળ પર તળ બનાવ્યા, તમે અલ્લાહ કૃપાળુના સર્જનમાં કોઇ અવ્યવસ્થા નહી જુઓ, ફરીવાર આકાશ તરફ જુઓ, શું કોઇ તિરાડ પણ દેખાઇ છે? (૩) વારંવાર તેને જુઓ, તમારી નજર પોતાની તરફ અપમાનિત, થાકીને પાછી આવશે"[૧૨૭]. (અલ્ મુલ્ક: ૩-૪).... More
પયગંબર મુહમ્મદ ﷺ તેઓ: અરબના એક ખાનદાન કુરૈશ જે મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ્ મુત્તલિબ બિન હાશિમ છે, જેઓ મક્કાહમાં રહેતા હતા અને તે ઈસ્માઈલ બિન ઈબ્રાહીમની સંતાન માંથી હતા.
જેવું કે જુના કરારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અલ્લાહ એ ઈસ્માઈલમાં ઘણી બરકત આપી હતી, અને તેમની સંતાનમાં એક મહાન કોમ પેદા કરવાનો વચન આપ્યું હતું.
" જ્યાં સુધી ઈસ્માઈલની વાત છે, મેં તમારી પાસેથી સાંભળ્યું હતું, હું તેને બરકત આપીશ અને તેને ફળદાયી બનાવીશ, અને તેને ખુબ વધારીશ, તે બાર બાદશાહોને જન્મ આપશે, અને હું તેમને એક મહાન કોમ બનાવીશ"[૧૩૬]. (અલ્ અહદુલ્ કદીમ (જુનો કરાર), સિફ્રુત્ તક્વીન૧૭: ૨૦).... More
માનવ ટેક્નોલોજીએ એક જ ક્ષણે વિશ્વના તમામ ભાગોમાં માનવ અવાજો અને છબીઓ પહોંચાડી છે, તો શું ૧૪૦૦ વર્ષ પહેલાં માનવજાતના સર્જક તેમના પયગંબર સાથે આત્મા અને શરીર આકાશ પર જઈ શકે છે[૧૫૧]? પયગંબર "અલ-બુરાક" નામના પ્રાણીની પીઠ પર ચડ્યા. અલ-બુરાક: એક સફેદ પ્રાણી, ગધેડા કરતાં ઊંચું અને ખચ્ચર કરતાં નાનું, તેના અંગોના છેડે તેના ખૂર છે. તેની પાસે એક લગાવ અને કાઠી છે. પયગંબરો તેમના પર સવારી કરતા હતા. (બુખારી અને મુસ્લિમ).
ઇસરા અને મિઅરાજની યાત્રા અલ્લાહની કુદરત, શક્તિ અને ઇચ્છા પ્રમાણે થઈ હતી, જે આપણી ધારણાઓ કરતા વધારે છે, અને આપણે જાણીએ છીએ તે તમામ કાયદાઓથી અલગ છે, અને તે સૃષ્ટિના અલ્લાહની શક્તિના સંકેતો અને પુરાવા છે. કારણ કે તેણે આ કાયદા બનાવ્યા અને સ્થાપિત કર્યા.
અમે સહીહ અલ્ બુખારી (પયગંબરની હદીસની સૌથી સહીહ (સાચી) પુસ્તક) માં જોઈએ તો જાણવા મળશે કે આયશા રઝી. પયગંબર મુહમ્મદ પ્રત્યેના તીવ્ર પ્રેમ વિશે વાત કરે છે, અને અમને લાગે છે કે તેણીએ આ લગ્ન વિશે ક્યારેય ફરિયાદ કરી નથી.
વિચિત્ર વાત એ છે કે તે સમયે, પયગંબરના દુશ્મનોએ પયગંબર મુહમ્મદ પર સૌથી ખરાબ આરોપો લગાવ્યા, અને તેઓએ કહ્યું કે તેઓ એક કવિ અને પાગલ હતા, અને આ વાત માટે કોઈ એકે પણ તેમની ટીકા કરી ન હતી, અને કોઈએ તેનો ઉલ્લેખ કર્યો ન હતો. ફક્ત કેટલાક દૂષિત લોકો સિવાય. આ વાર્તા કાં તો તે સમયે લોકો કરતા હતા તે કુદરતી વસ્તુઓમાંથી એક છે, કારણ કે ઇતિહાસ આપણને રાજાઓએ નાની ઉંમરે લગ્ન કર્યાની વાર્તાઓ કહે છે, જેમ કે ખ્રિસ્તી માન્યતામાં લેડી મેરીની ઉંમર જ્યારે તેણીની એક પુરુષ સાથે સગાઈ થઈ હતી. ખ્રિસ્ત સાથે તેણીની ગર્ભાવસ્થા પહેલા તેણીના નેવુંના દાયકામાં, જે લેડી આઇશાની ઉંમર જયારે તેમણે પયગંબર સાથે લગ્ન કર્યા નજીક હતી જ્યારે તેણીએ લગ્ન કર્યા હતા. અથવા, અગિયારમી સદીમાં ઇંગ્લેન્ડની રાણી ઇસાબેલાની વાર્તાની જેમ, જેમણે આઠ વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા, અને અન્ય લોકો પણ [૧૫૨], અથવા કે પયગંબરના લગ્નની વાર્તા તેઓની કલ્પના મુજબ થઈ નથી. http://muslimvilla.smfforfree.com/index.php...https://liguopedia.wordpress.com/.../19/agnes-de-france/...
બનુ કુરૈઝાના યહૂદીઓએ કરેલ કરાર તોડ્યો, અને મુસ્લિમોને ખતમ કરવા માટે મુશરિકો સાથે એકમત થયા, તેથી તેમનું કાવતરું તેમને કતલ કરવા માટે પાછું ફર્યું, જ્યાં રાજદ્રોહ અને તેમના કાયદામાં સમાવિષ્ટ કરારો તોડવાનો બદલો તેમના પર સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યો હતો, જ્યારે અલ્લાહના પયગંબરે તેમને તેમની બાબતોમાં કોણ શાસન કરશે તે પસંદ કરવાની મંજૂરી આપી અને તેઓએ પયગંબરના સાથીઓમાંથી એકને નક્કી કર્યા હતા અને તેઓને સજા કરવામાં આવી હતી, તેમના કાયદામાં સમાયેલ પ્રતિશોધ લાગુ કરવા [૧૫૩]. "તારીખુલ્ ઇસ્લામ" (ઇસ્લામનો ઇતિહાસ) (૨/ ૩૦૭-૩૧૮).
આજે સંયુક્ત રાષ્ટ્રના કાયદામાં દેશદ્રોહી અને કરાર તોડનારાઓની સજા શું છે? જરા કલ્પના કરો કે એક જૂથ તમને અને તમારા બધા પરિવારને મારી નાખવા અને તમારા પૈસા લૂંટવા માટે તૈયાર છે? તમે તેમની સાથે શું કરશો? બનૂ કુરૈઝાના યહૂદીઓએ કરાર તોડ્યો, અને મુસલમાનોને ખતમ કરવા માટે મુશરિકો સાથે એકમત થયા, તો મુસલમાનોએ તે સમયે પોતાની સુરક્ષા માટે શું કરવું જોઈએ હતું? મુસ્લિમોએ તેના વિશે જે કર્યું તે, તર્કના સરળ અર્થમાં તેમના માટે પોતાનો બચાવ કરવાનો અધિકાર હતો.
પહેલી આયત: "દીન બાબતે કોઇ બળજબરી નથી, હિદાયત ગુમરાહીના બદલામાં સ્પષ્ટ થઈ ગઈ છે..." [૧૫૪]. આ આયતમાં એક મહાન ઇસ્લામિક સિદ્ધાંત નક્કી કરેલો છે, જે ધર્મ પર બળજબરી પર પ્રતિબંધ છે. જ્યારે બીજી આયતમાં: "અહેલે કિતાબ માંથી તે લોકો સાથે યુદ્ધ કરો, જેઓ ન તો અલ્લાહ પર ઈમાન લાવે છે, ન આખિરતના દિવસ પર..." [૧૫૫], તેનો વિષય વિશિષ્ટ છે, જેઓ અલ્લાહના માર્ગમાં અવરોધે બને છે, અને અન્ય લોકોને ઇસ્લામની દાવતનેને સ્વીકાર કરવાથી રોકે છે, તેનાથી સંબંધિત છે, તેથી બન્ને આયતો વચ્ચે કોઈ વાસ્તવિક વિરોધાભાસ દેખાતો નથી. (અલ્ બકરહ: 256). (અત્ તોબા:૨૯).
ઈમાન એ બંદા અને તેના પાલનહાર વચ્ચેનો સંબંધ છે, જ્યારે તે તેને તોડવા માંગે છે, ત્યારે તેનો પાલનહાર તેને આદેશ આપે છે. પરંતુ જ્યારે તે તેને ખુલ્લેઆમ જાહેર કરવા માંગે છે અને તેને ઇસ્લામ સાથે લડવા અને તેની છબીને બગાડવા અને તેની સાથે વિશ્વાસઘાત કરવાના બહાના શોધે છે, તો પછી માનવસર્જિત યુદ્ધના નિયમોમાંનો એક એ છે કે તેને મારી નાખવામાં આવે, અને આ તે છે, જેની સાથે કોઈ વિરોધ કરતું નથી.
જે વ્યક્તિ મુર્તદ થયા તેની મર્યાદા વિશે શંકા પ્રસ્થાપિત કરવામાં સમસ્યાનું મૂળ તમામ ધર્મોની સમાનતાની આ શંકાના માલિકોની ભ્રમણા છે, અને તે ધ્યાનમાં લેવું કે સર્જક પર ઈમાન ધરાવવું અને તેની એકલાની ઈબાદત કરવી અને દરેક ઊણપ અને ખામીથી તેને મુક્ત કરવું. તેના અસ્તિત્વમાં અવિશ્વાસ સમાન છે, અથવા એવી માન્યતા છે કે તે માનવ અથવા પથ્થરના રૂપમાં મૂર્તિમંત છે અથવા તેને એક પુત્ર છે, જોકે અલ્લાહ તઆલા આ દરેક બાબતોથી ઉચ્ચ અને પવિત્ર છે. આ સૃષ્ટિનું કારણ માન્યતાની સાપેક્ષતામાં માન્યતા છે, મતલબ કે તમામ ધર્મો સાચા હોઈ શકે છે, અને જેઓ તર્કના મૂળાક્ષરો જાણે છે તેમના માટે આ યોગ્ય નથી. તે સ્વયંસ્પષ્ટ છે કે ઈમાન નાસ્તિકતા અને કુફ્રનો વિરોધ કરે છે, અને આ કારણથી એક મજબૂત માન્યતાના માલિકને લાગે છે કે સત્યની સાપેક્ષતા કહેવી એ બેદરકારી અને તાર્કિક મૂર્ખતા છે. તદનુસાર, બે વિરોધાભાસી માન્યતાઓને એક સાથે યોગ્ય ગણવી તે યોગ્ય નથી.
આટલું બધું હોવા છતાં, સત્યના ધર્મથી ફરી જનાર, જો તેઓ ખુલ્લેઆમ પોતાનો ધર્મ ત્યાગ જાહેર ન કરે તો તેઓ ધર્મત્યાગના દંડમાં બિલકુલ આવતા નથી, અને તે તેઓ સારી રીતે જાણે છે, પરંતુ તેઓ મુસ્લિમ સમુદાયને તેમના માટે માર્ગ ખોલવાની માંગ કરે છે, તેથી તેઓ જવાબદેહી વગર પાલનહાર અને તેના પયગંબરની તેમની ઠેકડી ફેલાવે છે, અને અન્ય લોકોને કુફ્ર અને આજ્ઞાભંગ કરવા માટે વિનંતી કરે છે, અને આ એક ઉદાહરણ છે. પૃથ્વીનો કોઈ પણ રાજા તેના રાજ્યની જમીનો પર શું સ્વીકારતો નથી, જેમ કે તેના લોકોમાંથી કોઈ નકારે છે. રાજાનું અસ્તિત્વ અથવા તેની મજાક ઉડાવવી અથવા તેના સાથીઓમાંથી કોઈ, અથવા તેના લોકોમાંથી કોઈ તેને કંઈક એવી વાતોનો ઉલ્લેખ કરે છે જે તેના રાજા તરીકેના પદ માટે યોગ્ય નથી, તો જે રાજાઓનો રાજા અને દરેક વસ્તુનો સર્જક અને માલિક છે તો તેને માટે કઈ રીતે યોગ્ય હોઈ શકે છે.... More
પયગંબર મૂસા એક યોદ્વા હતા, અને દાવૂદ અ.સ. પણ એક યોદ્વા હતા. મૂસા અને મુહમ્મદ, રાજકીય અને દુન્યવી બાબતોની લગામ ધારણ કરી, અને તેમાંથી દરેકે મૂર્તિપૂજક સમાજને છોડી હિજરત કરી. તેથી મૂસાએ તેમના લોકો સાથે મિસર છોડી દીધું, અને મુહમ્મદ ﷺ એ મદીના તરફ હિજરત કરી, અને તે પહેલાં તેમના અનુયાયીઓ હબશા તરફ હિજરત કરી હતી, જેઓ તે દેશમાં રાજકીય અને લશ્કરી પ્રભાવથી બચવા માટે તે દેશમાંથી પોતાના ધર્મસાથે હિજરત કરી. મસીહની દઅવતમાં તફાવતનો મુદ્દો એ કે તે બિન મૂર્તિપૂજકો માટે હતું, એટલે કે યહૂદીઓ (મૂસા અને મુહમ્મદની વિરુદ્ધ, કારણ કે તેમના લોકો મૂર્તિપૂજક હતા: મિસર અને અરબ દેશ), જેણે સંજોગો પણ વધુ મુશ્કેલ બનાવ્યા. મૂસા અને મુહમ્મદને દઅવત સોંપવામાં આવેલ પરિવર્તન, તે એક મૂળ અને વ્યાપક પરિવર્તન હતું અને મૂર્તિપૂજકતાથી તોહીદ તરફ એક વિશાળ ગુણાત્મક પરિવર્તન છે.
પયગંબર મુહમ્મદના સમય દરમિયાન થયેલા યુદ્ધોના ભોગ બનેલા લોકોની સંખ્યા માત્ર એક હજાર લોકોથી વધુ ન હતી, જે સ્વ-બચાવ અને આક્રમણનો પ્રતિસાદ, અથવા ધર્મ માટે હતી. જ્યારે આપણે જોઈએ છીએ કે અન્ય ધર્મોમાં ધર્મના નામે ચાલતા યુદ્ધોને કારણે ભોગ બનેલા લોકોની સંખ્યા લાખોમાં હોય છે.
પયગંબર મુહમ્મદની દયા, તેમના પર સલામતી, તે મક્કાના વિજયના દિવસે અને તેમના માટે સર્વશક્તિમાન પાલનહારની સશક્તિકરણના દિવસે પણ સ્પષ્ટ હતી, જ્યારે તેમણે કહ્યું: આજે દયાનો દિવસ છે. અને તેણે કુરૈશ માટે તેની જબરદસ્ત માફી આપી, જેણે મુસ્લિમોને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડી ન હતી, તેથી તેણે દુરુપયોગને પરોપકારથી અને સારી સારવાર સાથે નુકસાનનો સામનો કર્યો.... More
જેહાદનો અર્થ છે, ગુનાહથી બચવા માટે પોતાની સામે લડવું. એક માતાનો જિહાદ, સગર્ભાવસ્થાની પીડા સહન કરીને તેની ગર્ભાવસ્થામાં માતાનો સંઘર્ષ, વિદ્યાર્થીએ પોતાના અભ્યાસમાં લગન, તેના પૈસા, સન્માન અને ધર્મના રક્ષકની સુરક્ષા માટે જિહાદ, રોઝા અને સમયસર નમાઝ જેવી ઇબાદતમાં પણ સતત રહેવું એ પણ એક પ્રકારનો જિહાદ ગણવામાં આવે છે.
અમને લાગે છે કે જિહાદનો અર્થ એ નથી, જે કેટલાક લોકો સમજે છે કે નિર્દોષ અને શાંતિપ્રિય બિન-મુસ્લિમોની હત્યા કરવી.
ઇસ્લામ જીવનને મહત્વ આપે છે, તેથી શાંતિપૂર્ણ લોકો અને નાગરિકો સાથે લડવું માન્ય નથી, જેમ કે સંપત્તિ, બાળકો અને સ્ત્રીઓ યુદ્ધ દરમિયાન પણ સુરક્ષિત હોવી જોઈએ, તેવી જ રીતે મૃતકોને વિકૃત અથવા વિકૃત કરવું પણ માન્ય નથી, કારણ કે તે ઇસ્લામમાંથી નથી. અને ઇસ્લામના અખલાક માંથી તે નથી.... More
હોશિયાર વ્યક્તિ પાસેથી જીવન આપનારને તે જીવન લેવાનો આદેશ આપવો અને નિર્દોષ લોકોના જીવ દોષ વિના લેવાનો આદેશ આપવો તે અતાર્કિક છે, અને તે કહે છે: "અને પોતાને કતલ ન કરો" [૧૬૬], અને બીજી આયતો જે કતલ કરવા બાબતે રોકે છે જ્યાં સુધી કોઈ યોગ્ય કારણ ન હોઈ, જેમકે બદલો લેવો અથવા જુલમ ખતમ કરવો, પવિત્રતાઓનું ઉલ્લંઘન કર્યા વિના અથવા મરવાની હિંમત કર્યા વિના અને ધર્મ અથવા તેના હેતુઓ સાથે કોઈ લેવાદેવા ન હોય તેવા જૂથોના હિતોની સેવા કરવા માટે અને આ મહાન ધર્મની સહનશીલતા અને નૈતિકતાથી દૂર જવા માટે પોતાને વિનાશ માટે ખુલ્લા પાડ્યા વિના. જન્નતની નેઅમતોને વ્યાપક અર્થમાં ધ્યાનમાં લેવો જોઈએ, કારણ કે તે માત્ર હૂરની પ્રાપ્તિ સુધી મર્યાદિત નથી; તેના બદલે એવી વસ્તુઓ છે જે ક્યારેય કોઈ આંખે જોઈ નથી, કોઈ કાને સાંભળ્યું નથી, અને કોઈ માનવ હૃદય ક્યારેય કલ્પના કરી શક્યું નથી. (અન્ નિસા: ૨૯).
આજના યુવાનોની આર્થિક પરિસ્થિતિ અને તેમના લગ્ન માટે જરૂરી નાણાકીય સાધનો પ્રાપ્ત કરવામાં તેમની અસમર્થતા તેમને આવા શરમજનક કૃત્યોની તરફેણ કરનારાઓ માટે સરળ શિકાર બનાવે છે, ખાસ કરીને તેમાંથી જેઓ વ્યસની છે અને મનોવૈજ્ઞાનિક અસ્વસ્થતાથી પીડાય છે. જો આ વિચારના હિમાયતીઓ સાચા હોત, તો તેઓએ આવા મિશન પર યુવાનોને મોકલવાને બદલે આ જાતે કર્યું હોત.
તલાવર શબ્દનું વર્ણન કુરઆનમાં ફક્ત એક જ વખત કરવામાં આવ્યું છે. જે દેશોમાં ઈસ્લામના ઈતિહાસમાં યુદ્ધો જોવા મળ્યા નથી તે એવા દેશો છે જ્યાં આજે વિશ્વના મોટાભાગના મુસ્લિમો વસે છે, જેમ કે ઈન્ડોનેશિયા, ભારત, ચીન અને અન્ય. તેનો પુરાવો મુસ્લિમો દ્વારા જીતેલા દેશોમાં ખ્રિસ્તીઓ, હિંદુઓ અને અન્ય લોકોની હાજરી છે. જ્યારે બિન-મુસ્લિમો દ્વારા વસાહત ધરાવતા દેશોમાં માત્ર થોડા મુસ્લિમો છે. જે નરસંહારના યુદ્ધો હતા અને નજીકના અને દૂરના દરેકને તેમના વિશ્વાસને સ્વીકારવા દબાણ કરતા હતા, જેમ કે ધર્મયુદ્ધ અને અન્ય યુદ્ધ.
જીનીવા યુનિવર્સિટીના ડાયરેક્ટર એડૌર્ડ મોન્ટેએ એક લેક્ચરમાં જણાવ્યું હતું કે: “ઈસ્લામ એક ઝડપથી ફેલાતો ધર્મ છે જે સંગઠિત કેન્દ્રોના કોઈપણ પ્રોત્સાહન વિના પોતાની મેળે ફેલાયેલો છે. ઈસ્લામનો તેના સિવાય કોઈ ધર્મ નથી, અને આ કારણોસર તમે જુઓ છો વિશ્વાસથી ખાઈ ગયેલો મુસ્લિમ તે જ્યાં પણ જાય ત્યાં પોતાના ધર્મનો પ્રચાર કરે છે, અને તેના સંપર્કમાં આવતા તમામ મૂર્તિપૂજકોમાં મજબૂત વિશ્વાસની વાત ફેલાવે છે. આસ્થા ઉપરાંત, ઇસ્લામ સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ સાથે સુસંગત છે, અને તેની પાસે છે. પર્યાવરણ અનુસાર અનુકૂલન કરવાની વિચિત્ર ક્ષમતા અને આ મજબૂત ધર્મ દ્વારા જે જરૂરી છે તે અનુસાર પર્યાવરણને અનુકૂલન કરવાની ક્ષમતા” [૧૬૭]. સુલેમાન ઇબ્ને સાલિહ અલ્ ખરાશી દ્વારા “અલ-હદીકહ મજમુઆત અદબ બારીઉ વ હિકમહ બલીગહ”.
એક સદાચારી મુસલમાન પયગંબર મુહમ્મદના સહાબાનું અનુસરણ કરે છે, તેમની સાથે મોહબ્બત કરે છે, અને તેમની જેમ નેક બનવાનો પ્રયત્ન કરે છે, અને ફક્ત એક જ અલ્લાહની ઈબાદત કરે છે જેવી રીતે તેઓ કરતા હતા, પરંતુ તેઓ તેમને પવિત્ર નથી કરતા, અને ન તો પોતાની અને પોતાના પાલનહાર વચ્ચે મધ્યસ્થ બનાવે છે.
"... અલ્લાહ તઆલા સિવાય કોઇની બંદગી ન કરીએ, ન તેની સાથે કોઇને ભાગીદાર ઠેરવીએ ..."[૧૬૮]. (આલિ ઇમરાન: ૬૪).
મુહમ્મદ ﷺ ન તો શિઆ હતા ન તો સુન્ની, તેઓ તો સાચા મુસલમાન હતા, અને મસીહ ન તો કેથોલિક હતા ન તો બીજા કોઈ, તેઓ કોઈ પણ મધ્યસ્થ વગર ફક્ત એક અલ્લાહના બંદા હતા, અને મસીહ ન તો પોતાની ઈબાદત કરતા હતા ન તો પોતાની માતાની, એવી જ રીતે મુહમ્મદ ﷺ એ ક્યારેય પોતાની ઈબાદત નથી કરી, ન તો પોતાની દીકરીઓની ન તો પોતાની પત્નીઓની.
રાજકીય સમસ્યાઓ અને સાચા ધર્મથી ફરી જવા અથવા અન્ય બીજા કારણે કેટલાક જૂથો (સંપ્રદાયો) જાહેર થયા, અને સાચું છે કે તે સત્ય છે કે તેમનું સાચા ધર્મ સાથે કોઈલેવા દેવા નથી, દરેક સ્થિતિઓમાં "સુન્નત" શબ્દનો અર્થ નબી ﷺ ના તરીકા પર સંપૂણ રીતે અમલ કરવો, "શિઆ" શબ્દનો અર્થ લોકોનું તે જૂથ જે મુસલમાનોના સાચા માર્ગથી પથભ્રષ્ટ થયું છે. જેથી સુન્ની તે લોકો છે, જેઓ નબી ﷺ ના તરીકા પર ચાલે છે, અને તેઓ દરેક રીતે સાચા માર્ગ પર ચાલવા વાળા છે, જયારે કે શિઆ એક એવું જૂથ છે જે ઇસ્લામના સાચા માર્ગથી હટી ગયું છે.
"(હે પયગંબર) નિ:શંક જે લોકોએ પોતાના દીનને અલગ કરી દીધો અને કેટલાય જૂથ બની ગયા, તમારો તેમની સાથે કોઇ સંબંધ નથી, બસ ! તે લોકોનો નિર્ણય તો ફકત અલ્લાહ પાસે જ છે, પછી તેઓને તેમના કર્મો જણાવી દઈશું"[૧૬૯]. (અલ્ અન્આમ: ૧૫૯).... More
ઈમામ શબદનો અર્થ જે લોકોને નમાઝ પઢાવતો હોઈ, અથવા તેમની બાબતો અને મઆમલામાં દેખરેખ અથવા આગેવાની કરતો હોય, આ કોઈ ધાર્મિક પદ નથી, જે ફક્ત ચોક્કસ લોકો સુધી સીમિત હોઈ, અને ઇસ્લામમાં કોઈ જૂથ કે જ્ઞાતિવાદ નથી, પરંતુ દીન દરેક માટે છે, લોકો અલ્લાહ સમક્ષ કાંસકીના દાંતરડા જેવા છે, એટલા માટે કોઈ અરબી અને બિન અરબીમાં કોઈ ફર્ક નથી, સિવાય કે જે પરહેઝગાર કે સદાચારી હોઈ. ઈમામત માટે સૌથી લાયક તે છે, જે નમાઝના આદેશોને સંપૂણ રીતે જાણવાવાળો અને સૌથી વધારે યાદ કરનાર અને ઇલ્મ ધરાવનાર હોઈ, અને મુસલમાને એક ઈમામની કેટલી પણ ઇઝ્ઝત કેમ ન કરતા હોઈ તે કોઈ પણ બાબતમાં કરારોને સંભાળતો નથી અને ન તો તે તેમના ગુનાહો માફ કરે છે, જેમ કે પાદરી કરતો હોઈ છે.
"તે લોકોએ પોતાના જ્ઞાનીઓ અને સાધુઓને અલ્લાહને છોડીને રબ બનાવ્યા અને મરયમના દીકરા મસીહને પણ, જો કે તેમને આદેશ આપવામાં આવ્યો હતો કે તે એક અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરશો, જેના સિવાય કોઈ ઇલાહ નથી, અલ્લાહ તઆલા તે દરેક વસ્તુથી પાક છે, જેમને આ લોકો ભાગીદાર બનાવે છે"[૧૭૦]. (અત્ તૌબા: ૩૧).
ઇસ્લામ પયગંબરોની ઇઝ્ઝત કરવા પર ભાર આપે છે, જેઓ અલ્લાહ તરફથી આદેશો પહોંચાડે છે, અને કોઈ પણ પાદરી કે સંત ભૂલોથી બચેલો નથી અને ન તો તેમની તરફ વહી કરવામાં આવે છે, અને ઇસ્લામમાં સંપૂણ રીતે અન્ય પાસે મદદ માંગવી અથવા તેની તરફ ફરવું હરામ છે, ભલે તે પછી પયગંબરો પણ કેમ ન હોઈ, તો જેની પાસે કોઈ વસ્તુનું અછત હોઈ તે આપી શકતો નથી. એક વ્યક્તિ અન્ય પાસે મદદ કેવી રીતે માંગી શકે છે જયારે કે તે પોતાની પણ મદદ કરી શકતો નથી, અને અલ્લાહ સિવાય અને પાસે માંગવું એ અપમાનજનક છે. શું તે શક્ય છે એક બાદશાહ અને તની કોમને માંગવા બાબતે બરાબર કરી દેવામાં આવે એ તાર્કિક છે? આ વિચાર મન અને તર્ક બંને માટે તદ્દન અસ્વીકાર્ય છે. અને અલ્લાહ સિવાય અન્ય પાસે માંગવું એ અલ્લાહ, જે દરેક વસ્તુ પણ સંપૂણ કુદરત ધરાવે છે તેના અસ્તિવ પર ઈમાનમાં ખલેલ છે, અને આ શિર્ક છે જે ઇસ્લામની વિરુદ્ધ છે અને તે સૌથી મોટો ગુનોહ છે.... More
નબી (સંદેશવાહક) તે છે, જેની તરફ વહી કરવામાં આવી હોઈ, અને તેને કોઈ નવો સંદેશ અથવા કોઈ નવો તરીકો આપ્યો ન હોઈ, અને પયગંબર તે છે, જેને અલ્લાહ એ એક તરીકો અને શરિઅત (કાનૂન) સાથે મોકલ્યો હોઈ, જે તેની કોમ પ્રમાણે હોઈ, ઉદાહરણ તરીકે (તૌરાત જે પયગંબર મૂસા તરફ ઉતારવામાં આવી, ઇન્જિલ જે મસીહ તરફ ઉતારવામાં આવી, કુરઆન જે નબી મુહમ્મદ તરફ અને ઈબ્રાહીમના સહીફા (શાસ્ત્રો) અને ઝબૂર જે દાવૂદ પર ઉતારવામાં આવ્યા).
માનવી પાસે માનવીને જ મોકલવા વધુ યોગ્ય હતું કારણ કે તેમની ભાષામાં વાત કરતો અને તેમના માટે એક આદર્શ તરીકે હોતો, અને જો અલ્લાહ તેમના માટે એક ફરિશ્તાને પયગંબર બનાવીને મોકલતો તો તે તે કાર્યો કરતો જે તેમના માટે અશક્ય હોત, અને તેઓ દલીલ આપતા કે આ ફરિશ્તો છે અને જે તે કરી શકે છે એ અમેં નથી કરી શકતા.
'તમે તેમને કહી દો કે જો ધરતી પર ફરિશ્તાઓ હરતા-ફરતા, અને રહેતા હોત તો અમે પણ તેમની પાસે કોઈ આકાશના ફરિશ્તાને જ પયગંબર બનાવી મોકલતા" [૧૭૪]. (અલ્ ઇસ્રા: ૯૫).
" અને જો અમે (પયગંબર) તરીકે ફરિશ્તાને ઉતારતા, તો અમે તેને માણસ જ બનાવતા અને અમે તેમને તે જ શંકામાં નાખી દેતા, જે શંકા તેઓ અત્યારે કરી રહ્યા છે" [૧૭૫]. (અલ્ અન્આમ: ૯).... More
અલ્લાહ પોતાના સર્જક સાથે વહી દ્વારા કેવી રીતે વાત કરે છે તેની દલીલો:
૧- હિકમત: ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ ઘર બનાવે છે, ફરી તે ઘરને પોતે કોઈ પણ ફાયદો ઉઠાવ્યા વગર છોડી દે છે, ન તો બીજાને ફાયદો પહોંચાડે છે અહીં સુધી કે પોતાની સંતાનને પણ નહીં, તો આપણે તેને સ્વાભાવિક રીતે એક મુર્ખ અથવા જાલિમ વ્યક્તિ સમજીએ છીએ, - તો અલ્લાહ માટે તો સર્વ શ્રેષ્ઠ ઉદાહરણો છે- તો સૃષ્ટિનું સર્જન અને આકાશો અને જમીનને માનવી માટે આધીન કર્યા છે તેની ઘણી હિક્મતો છે.
૨- ફિતરત: માનવીની અંદર તેની સત્યતા છે, વ્યક્તિના મૂળ, વ્યક્તિના અસ્તિત્વના સ્ત્રોત અને આવા અસ્તિત્વ પાછળના હેતુને જાણવાની મજબૂત કુદરતી વૃત્તિ હોય છે, અને ખરેખર માનવીની ફિતરત (વૃત્તિ) હંમેશા તેના અસ્તિત્વની શોધ તરફ દોરે છે. જોકે માનવી એકલો પોતાના સર્જકના ગુણો, પોતાના અસ્તિત્વ અને પોતાના ભાગ્યના હેતુને જાણી નથી શકતો, સિવાય એ કે અદ્રશ્ય શક્તિઓ દ્વારા, જે અલ્લાહ પયગંબરોને મોકલી આ સત્યતાને સ્પષ્ટ કરે છે.... More
માનવીઓને જે અલ્લાહએ સબક શીખવાડ્યો છે, કે અલ્લાહ એ માનવીઓના પિતા આદમની તૌબા કબૂલ કરી એક હરામ વૃક્ષને ખાવા પર, જે માનવીઓ માટે અલ્લાહની માફીનો પહેલો કિસ્સો છે, આદમ દ્વારા વરસામાં મળેલી ભૂલ વિષે ઈસાઈઓનો અકીદો અર્થહીન છે, કે કોઈ ભાર ઉઠાવવા વાળો બીજાનો ભાર નહીં ઉઠાવે, બીજા શબ્દોમાં, દરેક વ્યક્તિ પોતે જ પોતાની ભૂલોનો જવાબદાર છે; આ પાલનહારની કૃપા છે કે માનવી શુદ્ધ અને ગુનાહોથી પવિત્ર જન્મે છે, અને પોતાની જયારે પુખ્તવય (તરુણાવસ્થા) નો થાય છે ત્યારે જ પોતાના કાર્યોનો જવાબદાર બને છે.
અને કોઈ વ્યક્તિથી તે ગુનાહો વિષે સવાલ કરવમાં નહીં આવે, જે તેણે કર્યા ન હોઈ, અને એવી જ રીતે તે પોતાના ઈમાન અને સત્કાર્યો વગર નજાત મેળવી શકશે નહીં, અલ્લાહ એ માનવીને જીવન આપ્યું અને તેનું પરીક્ષણ કરવાનો ઈરાદો કર્યો, અને તેને પોતાના કાર્યોનો સંપૂણ જવાબદાર ઠેરાવ્યો.
અલ્લાહ તઆલા એ કહ્યું:... More
પેદા કરવાવાળો ઇલાહ, જીવિત, કાયમ, બે નિયાઝ અને કુદરત વાળો છે, તેને માનવજાતિ માટે મસીહની છબી અપનાવી ક્રોસ પર મારવાની જરૂર નથી, જેવુંકે ઈસાઈઓ માને છે, તે જે છે જે જીવન આપવા વાળો અને લેવાવાળો છે, એટલા માટે ન તો તેનું મૃત્યુ થયું છે ન તો તે ફરી જીવિત થયો છે. તે જ છે જેણે પોતાના પયગંબર ઈસા (મસીહ) ને કતલ અને ફાંસી થવાથી બચાવ્યા, જેવી રીતે કે તેણે પોતાના પયગંબર ઈબ્રાહીમને આગથી બચાવ્યા હતા, અને મૂસાને ફિરઓન અને તેના સિપાહીઓથી બચાવ્યા હતા, આવી જ રીતે તે પોતાના નેક બંદાઓની મદદ અને સુરક્ષા કરે છે.
"અને એવું કહેવાના કારણે કે અમે અલ્લાહના પયગંબર મસીહ ઈસા બિન મરયમને કતલ કરી દીધા, જો કે તેઓએ તેમને ન તો કતલ કર્યા છે અને ન તો ફાંસીએ ચઢાવ્યા છે, પરંતુ તેમના માટે આ બાબત શંકાસ્પદ કરી દીધો, અને જે લોકોએ આ બાબતે મતભેદ કર્યો તે પોતે પણ શંકા કરી રહ્યો છે, તેમને સત્ય વાતની કોઈ જાણ નથી, ફક્ત અનુમાન કરી તેની પાછળ ચાલી રહ્યા છે, અને આ સચોટ વાત છે કે તેઓએ ઈસા બિન મરયમને કતલ નથી કર્યા. (૧૫૭) પરંતુ અલ્લાહ તઆલાએ તેમને પોતાની તરફ ઉઠાવી લીધાં હતા, અને અલ્લાહ જબરદસ્ત અને હિકમતોવાળો છે"[૧૭૮]. (અન્ નિસા: ૧૫૭-૧૫૮).
એક મુસલામન પતિ પોતાની ઈસાઈ અથવા યહૂદી પત્નીના મૂળ ધર્મ, તેની કિતાબ અને તેના પયગંબરનો આદર કરે છે, અને તે વગર તેનું ઈમાન સંપૂણ ગણવામાં નથી આવતું, અને તે પોતાની પત્નીને તેના મૂળ ધર્મના રીવાજોનું પાલન કરવાની સંપૂણ સ્વતંત્રતા આપે છે, તેનાથી વિરુદ્ધ, જોકે સાચું નથી, જો કોઈ ઈસાઈ અથવા યહૂદી એવું ઈમાન ધરાવે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (મઅબૂદ) નથી અને મુહમ્મદ અલ્લાહના પયગંબર છે તો અમે આમારી દીકરીઓના લગ્ન તેમની સાથે કરી શકી એ છીએ.
ઇસ્લામ એ ઈમાનમાં વધારો અને સંપૂણતા કરે છે, જો કોઈ મુસલામન ઈસાઈ (ખ્રિસ્તી) ધર્મ અપનાવી લે, ઉદાહરણ તરીકે તે પોતાનું ઈમાન જે કુરઆન અને મુહમ્મદ પર છે તે ખોઈ દે શે, અને તે ટ્રિનિટી (તષલીષ) (૧) પર ઈમાન લાવી અને પાદરીઓ અને અન્ય લોકોનો સહારો લઇ પોતાના પાલનહાર સાથે સંબંધ ખોઈ દે છે, અને જો તે યહૂદી ધર્મ અપનાવવા માંગતો હોઈ, તો તેને મસીહ અને સાચી ઇન્જિલ પર ઈમાન ખોઈ દેવું પડશે, પરંતુ કોઈને પણ યહૂદી ધર્મમાં દકાહ્લ કરવું શક્ય નથી; કારણકે આ એક કોમ માટે મર્યાદિત ધર્મ છે અને સમગ્ર માનવજાતિ માટે નથી, અને આ ધર્મમાં રાષ્ટવાદ સંપૂણ રીતે જોવા મળે છે.
ઇસ્લામિક સંસ્કૃતિએ તેના સર્જક સાથે સારી રીતે વ્યવહાર કર્યો છે, અને સર્જક અને તેના સર્જન વચ્ચેના સંબંધને યોગ્ય સ્થાને મૂક્યો છે. એવા સમયે જ્યારે અન્ય માનવ સંસ્કૃતિઓએ પાલનહાર સાથે ખોટો વ્યવહાર કર્યો, તેઓએ તેમની સાથે કુફ્ર કર્યો, તેમના સર્જનને તેમની સાથે ઈમાન અને ઇબાદતમાં સાથે જોડ્યા, અને તેમને એવા સ્તરે નીચે મોકલ્યા જે તેમની ભવ્યતા અને કુદરત સાથે અસંગત છે.
સાચો મુસ્લિમ સંસ્કૃતિને સંસ્કૃતિ સાથે ગૂંચવતો નથી, તેથી તે વિચારો અને વિજ્ઞાન સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે નક્કી કરવા માટે મધ્યસ્થતાની પદ્ધતિને અનુસરે છે, અને વચ્ચેનો તફાવત દર્શાવે છે:
સંસ્કારી તત્વ: વૈચારિક, માનસિક, બૌદ્ધિક પુરાવા અને વર્તન અને નૈતિક મૂલ્યો દ્વારા રજૂ થાય છે.... More
દીન સારી રીતભાત અપનાવવા અને ખરાબ કાર્યોથી દૂર રહેવા માટે કહે છે. આમ, કેટલાક મુસ્લિમોનું ખરાબ વર્તન તેમની સાંસ્કૃતિક આદતો અથવા તેમના ધર્મ પ્રત્યેની તેમની અજ્ઞાનતા અને સાચા ધર્મથી દૂર રહેવાને કારણે છે.
આ કિસ્સામાં કોઈ વિરોધાભાસ નથી. શું લક્ઝરી કાર ચાલક સાઉન્ડ ડ્રાઇવિંગના સિદ્ધાંતોની અજ્ઞાનતાને કારણે ભયંકર અકસ્માત કરે છે, શું તે તે કાર અને લક્ઝરીની વાસ્તવિકતાનો વિરોધાભાસ કરે છે?
પશ્ચિમી અનુભવ મધ્ય યુગમાં લોકોની ક્ષમતાઓ અને મન પર ચર્ચ અને રાજ્યના વર્ચસ્વ અને જોડાણની પ્રતિક્રિયા તરીકે આવ્યો હતો. ઇસ્લામિક પ્રણાલીની વ્યવહારિકતા અને તર્કને જોતાં ઇસ્લામિક વિશ્વને ક્યારેય આ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.
વાસ્તવમાં, આપણને એક મક્કમ ઇલાહી કાયદાની જરૂર છે, જે માણસને તેની તમામ પરિસ્થિતિઓમાં અનુકૂળ આવે, અને આપણને એવા સંદર્ભોની જરૂર નથી કે જે માણસની ધૂન, ઇચ્છાઓ અને મૂડ પર આધારિત હોય! જેમ કે વ્યાજખોરી, હોમિયોપેથી અને અન્યના વિશ્લેષણમાં થાય છે. મૂડીવાદી પ્રણાલીની જેમ, નબળાઓ પર ભાર મૂકવા માટે શક્તિશાળી દ્વારા લખવામાં આવેલા કોઈ સંદર્ભો નથી, અને એવો કોઈ સામ્યવાદ નથી કે જે મિલકતની માલિકીની ઇચ્છામાં વૃત્તિનો વિરોધ કરે.
મુસલમાન પાસે લોકશાહી કરતાં કંઈક સારું છે અને તે શૂરા સિસ્ટમ (મશવરા માટેની કમિટી) છે.
લોકશાહી એ છે: જ્યારે તમે તમારા પરિવારના તમામ સભ્યોના અભિપ્રાયને ધ્યાનમાં લો, ઉદાહરણ તરીકે, કુટુંબને લગતા ભાવિ નિર્ણયમાં, આ વ્યક્તિના અનુભવ, ઉંમર અથવા હિકમતને ધ્યાનમાં લીધા વિના, કિન્ડરગાર્ટનમાં એક બાળકથી લઈને એક સમજદાર દાદા સુધી, અને નિર્ણય લેવામાં તેમના મંતવ્યો સમાન બનાવો.
શુરા છે: તમને પ્રતિષ્ઠિત વડીલો, પદ અને અનુભવ ધરાવતા લોકો સાથે સલાહ લેવાનું નિર્દેશન કરે છે કે શું યોગ્ય છે અને શું નહીં.... More
હુદૂદ (પ્રતિબંધો એટલા માટે કે) જમીનમાં ભ્રષ્ટાચાર ફેલાવવાનો ઇરાદો ધરાવતા લોકોને અટકાવવા અને સજા કરવા માટે સુયોજિત કરવામાં આવ્યા હતા, એ પુરાવા સાથે કે તેઓ ભૂખ અને અતિશય જરૂરિયાતને કારણે આકસ્મિક હત્યા અથવા ચોરીના કેસોમાં સસ્પેન્ડ કરવામાં આવે છે. હુદૂદ (પ્રતિબંધો) નાના બાળકો, પાગલ અથવા માનસિક રીતે બીમાર લોકો પર લાગુ પડતું નથી, તે મુખ્યત્વે સમાજને બચાવવા માટે છે, હકીકત એ છે કે તે કઠોર છે, તે મસ્લિહત (અનુકૂળતા) નો એક ભાગ છે, જે ધર્મ સમાજને પ્રદાન કરે છે, અને જેમાં સમાજના સભ્યોએ આનંદ કરવો જોઈએ, તેનું અસ્તિત્વ લોકો માટે દયા છે, જેના દ્વારા તેમને માટે સલામતી પ્રાપ્ત થશે, અને ગુનેગારો, ડાકુઓ અને વિદ્રોહી સિવાય કોઈને આ હુદૂદ (પ્રતિબંધો) સામે તેમના પોતાના ભયને કારણે કોઈ વાંધો નથી. આ મર્યાદાઓમાં તે છે, જે પહેલાથી માનવસર્જિત કાયદાઓમાં અસ્તિત્વમાં છે, જેમ કે મોતની સજા અને અન્ય સજા.
જેઓ આ દંડને પડકારે છે તેઓ ગુનેગારનો ફાયદો જોવે છે અને સમાજના હિતને ભૂલી જાય છે. તેઓ ગુનેગાર પર દયા કરે છે અને પીડિતની અવગણના કરે છે. તેઓ સજામાં વધારો કરે છે અને ગુનાની ગંભીરતાને અવગણે છે.
જો તેઓ સજાને ગુના સાથે જોડે, તો તેઓ કાનૂની સજામાં ન્યાય અને તેમના ગુનાઓ સાથે તેમની સમાનતાની ખાતરી સાથે બહાર આવશે. જો આપણે ઉદાહરણ તરીકે, ચોરનું કૃત્ય, જ્યારે તે અંધકારના આવરણમાં વેશમાં ચાલે છે, તાળું તોડવું, તેના હથિયારને નિશાન બનાવવું અને ઘરવાળાની શાંતિ ભંગ કરવી, ઘરની પવિત્રતાનો ભંગ કરવો અને જે તેનો પ્રતિકાર કરે તેને મારી નાખવાનું વલણ બતાવીએ, તો ગુનો, ખૂન ઘણીવાર એક સાધન તરીકે થાય છે જેના દ્વારા ચોર તેની ચોરી પૂર્ણ કરવા અથવા તેના પરિણામોથી ભાગી જવા માટે બહાનું વાપરે છે અને તેની આડેધડ હત્યા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે આ ચોરના કૃત્યને યાદ કરીએ છીએ, ત્યારે આપણને કાનૂની સજાઓની કઠોરતાની આત્યંતિક શાણપણનો અહેસાસ થશે.... More
ઇસ્લામના સામાન્ય નિયમોમાંથી એક જણાવે છે કે સંપત્તિ અલ્લાહની છે અને લોકોને તેની સોંપણી કરવામાં આવે છે અને તે સંપત્તિ ફક્ત ધનિકોમાં જ ફરતી ન હોવી જોઈએ. ઇસ્લામ ગરીબો અને જરૂરિયાતમંદોને ઝકાત દ્વારા તેનો નાનો હિસ્સો આપ્યા વિના સંપત્તિનો સંગ્રહ કરવાની મનાઈ ફરમાવે છે, જે એક ઈબાદતનું કાર્ય છે, જે માણસને બલિદાનને પ્રાધાન્ય આપવામાં મદદ કરે છે અને કંજુસતા અને બખીલીને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
"અલ્લાહ તઆલા આ ગામડિયા લોકોથી જે (માલ) પણ પોતાના પયગંબરને અપાવે, તે માલ અલ્લાહ, પયગંબર, સગા- સબંધીઓ ,અનાથો, લાચારો અને મુસાફરો માટે છે, જેથી તે (માલ) તમારા ધનવાનોના હાથમાં જ ફરતો ન રહી જાય અને જે કંઇ પણ તમને પયગંબર આપે, લઇ લો, અને જેનાથી રોકે, રુકી જાવ અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા સખત સજા આપનાર છે" [૧૮૪]. (અલ્ હશ્ર : ૭).
"અલ્લાહ અને તેના પયગંબર પર ઇમાન લાવી દો અને તે વસ્તુઓ માંથી ખર્ચ કરો, જેના તમે નાયબ બનાવવામાં આવ્યા છો, જે લોકો તમારા માંથી ઇમાન લાવ્યા અને ખર્ચ કર્યું તેમના માટે ભવ્ય સવાબ છે" [185]. (અલ્ હદીદ: ૭).... More
દાખલા તરીકે, ઇસ્લામમાં આર્થિક વ્યવસ્થા, મૂડીવાદ અને સમાજવાદ વચ્ચે સરળ સરખામણી કરીશું તો, તે સ્પષ્ટ થઇ જશે કે ઈસ્લામે આ સંતુલન કેવી રીતે પ્રાપ્ત કર્યું.
ખાસ કરીને માલિકીની સ્વત્રંતા વિશે:
મૂડીવાદમાં: ખાનગી મિલકત એ સામાન્ય સિદ્ધાંત છે,... More
ઉગ્રવાદ, કટ્ટરતા અને સખ્તી એ એવા ગુણો સિવાય બીજું કંઈ નથી જે મૂળભૂત રીતે સાચા ધર્મ દ્વારા પ્રતિબંધિત છે. પવિત્ર કુરઆને ઘણી આયતોમાં વ્યવહારમાં દયા અને નમ્રતા અપનાવવા અને ક્ષમા અને સહનશીલતાના સિદ્ધાંતને અપનાવવાનો આદેશ આપ્યો છે.
“અલ્લાહ તઆલાની દયાના કારણે તમે (હે પયગંબર) તેઓ પર નમ્રતા દાખવો છો અને જો તમે ખરાબ જબાન અને સખત હૃદયના હોત તો આ સૌ તમારી પાસેથી છૂટી જતા, એટલા માટે તમે તેઓને માફ કરો અને તેઓ માટે માફી માંગતા રહો અને કાર્યની સલાહ-સુચન તેઓથી લેતા રહો, પછી જ્યારે તમારો મજબુત નિર્ણય થઇ જાય તો અલ્લાહ તઆલા પર ભરોસો કરો, નિંશંક અલ્લાહ તઆલા ભરોસો કરનારને પસંદ કરે છે” [૧૯૪]. (આલિ ઇમરાન: ૧૫૯).
“(હે નબી !) તમે (લોકોને) પોતાના પાલનહારના માર્ગ તરફ હિકમત અને ઉત્તમ શિખામણ દ્વારા બોલાવો અને તેમની સાથે ઉત્તમ રીતે વાર્તા-લાપ કરો, નિ:શંક તમારો પાલનહાર ગુમરાહ લોકોને ખૂબ સારી રીતે જાણે છે. અને તે લોકોને પણ ખૂબ સારી રીત જાણે છે, જે લોકો સત્ય માર્ગ પર છે” [૧૯૫]. (અન્ નહલ: ૧૨૫).... More
ધર્મ મૂળરૂપે લોકોને તેમના પર લાદવામાં આવતા ઘણા પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા માટે આવે છે. પૂર્વ-ઇસ્લામના સમયમાં અને ઇસ્લામ પહેલાં, ઉદાહરણ તરીકે, ઘૃણાસ્પદ પ્રથાઓ ફેલાયેલી હતી જેમ કે સ્ત્રી ભ્રૂણહત્યા, પુરુષો માટે ખોરાકના પ્રકારનું વિશ્લેષણ કરવું અને સ્ત્રીઓ માટે તેમને પ્રતિબંધિત કરવું, સ્ત્રીઓને વારસા માંથી વંચિત રાખવી, મૃત માંસ ખાવું ઉપરાંત વ્યભિચાર કરવો, દારૂ પીવું, અનાથના પૈસા, વ્યાજખોરી અને અન્ય ફહશ (ખરાબ કૃત્યો) કરવા.
એક કારણ કે જે લોકોને ધર્મથી દૂર રહેવા અને ભૌતિક વિજ્ઞાનને અપનાવવા માટે પ્રેરિત કરે છે, તે કેટલાક લોકોનું કેટલાક ધાર્મિક ખ્યાલો (આદેશો) માં વિરોધાભાસ કરવો છે. તેથી, એક સૌથી મહત્વપૂર્ણ વિશેષતા અને મુખ્ય કારણ કે જે લોકોને સાચો ધર્મ અપનાવવા માટે આમંત્રણ આપે છે, તે તેનું સંયમ અને સંતુલન છે. ઇસ્લામ ધર્મમાં આપણને આ સ્પષ્ટપણે જોવા મળે છે.
અન્ય ધર્મોની સમસ્યા, જે એક સાચા ધર્મના વિકૃતિથી ઉદ્દભવી:... More
"હે નબી! તમારી પત્નીઓ અને દીકરીઓ અને મોમિન સ્ત્રીઓને કહી દો કે તેઓ પોતાના ઉપર પોતાની ચાદર ઓઢીને રાખે, જેના કારણે તેઓ ઓળખાય જશે અને તેમની સતાવણી કરવામાં નહીં આવે, અને અલ્લાહ માફ કરવાવાળો અને રહેમ કરવાવાળો છે" [૨૦૫]. (અલ્ અહઝાબ: ૫૯).
મુસ્લિમ મહિલા "ખુસુસિયહ" (વિશિષ્ટતા) શબ્દનો અર્થ સારી રીતે સમજે છે. તેના પિતા, ભાઈ, પુત્ર અને પતિ પ્રત્યેના તેના પ્રેમે તેને દરેક પ્રકારના પ્રેમની વિશેષતાનો અહેસાસ કરાવ્યો, કારણ કે તેણીનો તેના પતિ પ્રત્યેનો પ્રેમ અને તેના પિતા અથવા ભાઈ પ્રત્યેનો પ્રેમ તેણીને દરેકને તેનો યોગ્ય અધિકાર આપવા માંગે છે. તેના પર તેના પિતાનો અધિકાર, મુખ્યત્વે આદર અને કર્તવ્યનિષ્ઠા છે, તેના પર તેના પુત્રનો અધિકારથી અલગ છે, જેમ કે સંભાળ રાખવી, ઉછેર કરવો વગેરે. તેણી સારી રીતે જાણે છે કે તેણી ક્યારે, કેવી રીતે અને કોની સમક્ષ તેણીનો શણગાર પ્રગટ કરવો જોઈએ, તેથી અજાણી વ્યક્તિની હાજરીમાં તેણીનો પોશાક નજીકના સંબંધીની હાજરીમાં જે પહેરે છે તેનાથી અલગ છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે બધા લોકો સમક્ષ પોતાનો દેખાડો કરી શકતી નથી. મુસ્લિમ સ્ત્રી એક મુક્ત સ્ત્રી છે, જે ફેશન અને અન્યની અંગત ઈચ્છાઓના બંદી બનવાનો ઇન્કાર કરે છે. તેણી ફક્ત તે જ પહેરે છે, જે તેના માટે યોગ્ય છે અને જે તેણીને ખુશ કરે છે અને જેનાથી તેનો પાલનહારને ખુશ થાય. જુઓ પશ્ચિમની સ્ત્રી કેવી રીતે ફેશન અને ફેશનના ઘરની બંદી બની ગઈ છે, જો ઉદાહરણ તરીકે એવું કહેવામાં આવે: અત્યારે તો ટૂંકા અને ચુસ્ત કપડા પહેરવાનું વલણ ચાલી રહ્યું છે, તો તેણી તેને પહેરવાની ઉતાવળ કરે છે, પછી ભલે તે તેને ફિટ લાગે અથવા તેણીને આરામદાયક લાગે.
આજે સ્ત્રી કેવી રીતે કોમોડિટી (ચીજ વસ્તુ) માં ફેરવાઈ ગઈ છે, જેનાથી કોઈ અજાણ નથી, કારણ કે દરેક જાહેરાતો અને વિજ્ઞાપનોમાં આવતી નગ્ન સ્ત્રીની છબીથી કોઈ અજાણ નથી. આ પશ્ચિમી સ્ત્રીને તેના વર્તમાન મૂલ્ય વિશે પરોક્ષ સંદેશ આપે છે. જ્યારે કોઈ મુસ્લિમ મહિલા તેના શણગારને છુપાવે છે, ત્યારે તે તે છે, જે વિશ્વને એક સંદેશ મોકલે છે, જે દર્શાવે છે કે તેણી કેટલી મૂલ્યવાન છે અને અલ્લાહ દ્વારા તેણી કેટલી સન્માનિત છે. તેથી, જેઓ તેની સાથે વ્યવહાર કરે છે તેઓએ તેનું મૂલ્યાંકન તેના જ્ઞાન, સંસ્કૃતિ, માન્યતાઓ અને વિચારોની દ્રષ્ટિએ કરવું જોઈએ નહીં કે તેની શારીરિક સુંદરતાના સંદર્ભમાં.... More
હકીકતમાં, માથું ખોલવું એ સંપૂર્ણ પછાતપણું છે, શું આદમના સમયથી આગળ પણ કોઈ પછાતપણું છે; જ્યારથી અલ્લાહ એ આદમ અને તેની પત્નીને પેદા કર્યા અને તેમણે જન્નતમાં રહેવા માટે મોકલ્યા ત્યારથી તેમને કપડાં પહેરવા અને પરદો કરવા માટે જવાબદાર બનાવ્યા હતા.
"અહીંયા તો તમને એવો આરામ છે કે ન તો તમે ભૂખ્યાં છો અને ન તો નિર્વસ્ત્ર"[૨૦૬]. (તોહા: ૧૧૮).
એવી જ રીતે અલ્લાહ એ આદમની સંતાન માટે પોતાના અંગોને છુપાવવા અને શણગાર તરીકે વસ્ત્રો આપ્યા, ત્યારથી માનવીઓ પોતાના વસ્ત્રો બાબતે આગળ વધતા ગયા છે તમે તેમનો વિકાસ તેમના કપડાં અને ચાદરોથી અંદાજો લગાવી શકો છો. તે જાણીતું છે કે જે લોકો સંસ્કૃતિથી દૂર રહે છે, કેટલાક આફ્રિકાના લોકોની જેમ, તે પોતાના ગુપ્તાંગને છુપાવવા સિવાય શરીર પર બીજા કોઈ કપડાં પહેરતા નથી.... More
પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચેની શારીરિક રચનાના તફાવત પર વિશ્વ સર્વસંમતિથી (ઈજમાઅ) સંમત થયું છે, જે હકીકત દ્વારા પુરાવા મળે છે કે પુરુષોના સ્વિમિંગ (તરવાના) કપડાં પશ્ચિમમાં સ્ત્રીઓના કપડાં કરતાં અલગ છે. ફિતનાથી બચવા માટે સ્ત્રી પોતાના શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે છે, પરંતુ શું ક્યારેય કોઈએ સાંભળ્યું છે કે કોઈ સ્ત્રીએ પુરુષનો બળાત્કારનો કર્યો હોય? પશ્ચિમમાં મહિલાઓ ઉત્પીડન અથવા બળાત્કાર વિના સુરક્ષિત જીવન માટેના તેમના અધિકારોની માંગ કરતા પ્રદર્શનોમાં ભાગ લે છે, અને અમે પુરુષો દ્વારા આ પ્રકરના પ્રદર્શનો વિશે સાંભળ્યું નથી.
એક મુસલમાન સ્ત્રી પોતાના માટે ન્યાયની શોધ કરે છે, સમાનતાની નહીં, પુરુષો સાથે તેમની સમાનતા તેમને ઘણા અધિકાર અને ગુણવત્તાથી વંચિત કરી દે છે. માનીલો કે એક વ્યક્તિના બે છોકરાઓ છે, જેમાંથી એક પાંચ વર્ષનો છે અને બીજો અઢાર વર્ષનો છે, અને તે વ્યક્તિ બંને માટે એક એક ખમીઝ લેવા માંગે છે, અહીં સમાનતા તે છે, તે બન્ને માટે એક જ માપની ખમીઝ લઇ આપે, જેના કારણે એકને તકલીફ થાય છે, પરંતુ ન્યાય તે છે તે બન્ને ના તેમના માપ પ્રમાણે લઇ આપે, અને આ રીતે દરેકને સુખ પ્રાપ્ત થાય છે.
આ સમયે સ્ત્રીઓ એ સાબિત કરવાની કોશિશ કરી રહી છે કે તે બધું કરી શકે છે જે પુરુષ કરે છે, પરંતુ સત્યતા એ છે કે આ બાબતે સ્ત્રી પોતાની વિશિષ્ટતા અને વિશેષ અધિકાર ગુમાવી દે છે, અને અલ્લાહ એ તેમને તે કરવા માટે પેદા કર્યા છે જે કોઈ પુરુષ પણ કરી શકતો નથી. તે સાબિત થયું છે કે બાળજન્મની પીડા સૌથી તીવ્ર પીડાઓમાંથી એક છે. ધર્મ સ્ત્રીને આ થાકના કારણે તેને ઇઝ્ઝત આપવા માટે આવ્યો છે, અને તેણીને તે અધિકાર આપે છે કે તે ભરણપોષણ અને કામ કરવાની જવાબદારી ન ઉઠાવે, અથવા તો તેમની પાસે પોતાના પતિને ભાગીદાર બનાવ્યા વગર મિલકતમાં સંપૂણ અધિકાર છે, જેવું કે પશ્ચિમ માં છે. જયારે કે અલ્લાહ એ પુરુષને બાળજન્મની પીડા સહેન કરવાની શક્તિ નથી આપી, તેણે પુરુષોને પર્વતો પર ચઢવાની શક્તિ આપી, ઉદાહરણ તરીકે.
અને જયારે કોઈ સ્ત્રી પર્વત પર ચઢવાનું, કામ કરવાનું અને મહેનત કરવાનું પસંદ કરે અને તેણી એવો દાવો કરે કે તે આ કામ કરી શકે છે, તો તેણી આ કામ કરી શકે છે, પરંતુ છેલ્લે તો તે જ છે જે બાળકોને જન્મ આપશે અને તેમની પરવરીશ કરશે, અને તેમને દૂધ પિવડાવશે, કારણકે પુરુષ કોઈ પણ સ્થિતિમાં આવું કરી શકતો નથી, તેના માટે બે ઘણું કામ છે જેનાથી તે ઈચ્છે તો બચી શકે છે.... More
વૈશ્વિક આંકડાઓ અનુસાર, સ્ત્રી અને પુરુષનો જન્મ દર લગભગ સમાન છે, જો કે તે વૈજ્ઞાનિક રીતે સ્વીકારવામાં આવ્યું છે કે સ્ત્રીઓનો જીવિત રહેવાનો દર પુરુષો કરતાં વધુ છે. યુદ્ધોમાં, પુરુષોની હત્યાની ટકાવારી સ્ત્રીઓ કરતાં વધુ છે. તે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે સ્ત્રીઓની સરેરાશ ઉંમર પુરૂષો કરતા મોટી છે જેના પરિણામે વિશ્વમાં વિધવા મહિલાઓની ટકાવારી પુરૂષ વિધવાઓ કરતાં વધુ છે. આ રીતે આપણે તે નિર્ણય સુધી પહોંચીશું કે દુનિયામાં સ્ત્રીઓની વસ્તી પુરુષો કરતા વધારે છે, તેથી એક પુરુષને ફક્ત એક સ્ત્રી સુધી મર્યાદિત રાખવો તે વ્યવહારિક રીતે યોગ્ય નથી.
એવા સમાજોમાં જ્યાં એક થી વધુ શાદી કરવી કાયદેસર રીતે પ્રતિબંધિત છે, અમે શોધી કાઢ્યું છે કે પુરુષો માટે બહારની સ્ત્રીઓ સાથે અનેક સંબંધો રાખવા સામાન્ય વાત છે, આ એક થી વધુ શાદી ન કરવાનું પરિણામ છે જે તેમના માટે ગેરકાયદેસર છે. આ તે પરિસ્થિતિ છે જે ઇસ્લામ પહેલા પ્રવર્તતી હતી, અને ઇસ્લામ તેને સુધારવા, મહિલાઓના અધિકારો અને ગૌરવને બચાવવા અને તેમને પ્રેમીમાંથી એક એવી પત્નીમાં પરિવર્તિત કરવા આવ્યો હતો જે પોતાના અને પોતાના બાળકો માટે ગૌરવ અને અધિકાર ધરાવતી હોય.
આશ્ચર્યજનક રીતે, આ સમાજોને લગ્ન વિના અથવા સમલૈંગિક લગ્નો તેમજ સ્પષ્ટ જવાબદારી વિના સંબંધો સ્વીકારવામાં અથવા પિતા વિના બાળકોને સ્વીકારવામાં પણ કોઈ સમસ્યા નથી, જો કે તે એક પુરુષ અને એક કરતાં વધુ સ્ત્રી વચ્ચેના કાનૂની લગ્નને સહન કરતું નથી. જ્યારે ઇસ્લામ આ બાબતમાં હિકમત વાળો છે અને સ્ત્રીની ઇઝ્ઝત અને અધિકારોને જાળવવા માટે પુરૂષને એકથી વધુ પત્નીઓ રાખવાની છૂટ આપે છે, જ્યાં સુધી તેની પાસે ન્યાય અને ક્ષમતાની શરત પૂરી કરી શકતો હોય અને તેની ચાર કરતાં ઓછી પત્નીઓ હોય. અને તે સ્ત્રીઓની પણ સ્થિતિ જોઈ લો જેમને એક પણ પતિ ન મળે તો તેમની પાસે એ સિવાય બીજો કોઈ માર્ગ નથી કે તે એક પરણેલા પુરુષ સાથે શાદી કરી લે અથવા તો તે પોતાને રખેલ બનવા માટે માની લે.... More
એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો, જે આધુનિક સમાજમાં ઘણીવાર ગણવામાં આવે છે તે છે ઇસ્લામે મહિલાઓને આપેલો અધિકાર જે તે પુરુષોને આપ્યો નથી. માણસ માત્ર અપરિણીત સ્ત્રીઓ સાથે જ લગ્ન કરી શકે છે, જ્યારે સ્ત્રી કાં તો અપરિણીત અથવા પરિણીત પુરુષ સાથે લગ્ન કરી શકે છે અને આનો હેતુ બાળકોના તેમના વાસ્તવિક પિતાને જવાબદારી આપવા અને તેમના પિતા પાસેથી બાળકોના અધિકારો અને તેમના વારસાનું રક્ષણ કરવા માટે છે. જો કે, ઇસ્લામ એક સ્ત્રીને પરિણીત પુરુષ સાથે લગ્ન કરવાની છૂટ આપે છે, જ્યાં સુધી તેની પાસે ચાર કરતાં ઓછી પત્નીઓ હોય, જો ન્યાયી અને ક્ષમતાની શરત પૂરી થતી હોય. આમ, સ્ત્રીને પુરૂષોમાંથી પસંદગીની વિશાળ શ્રેણીની મંજૂરી આપવામાં આવે છે અને આ પતિની નૈતિકતાથી વાકેફ હોવાને કારણે સહ-પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને લગ્નમાં કેવી રીતે સંપર્ક કરવો તે શીખવાની તક મળે છે.
વૈજ્ઞાનિક ઉન્નતિને કારણે ડીએનએ ટેસ્ટ દ્વારા બાળકોના હકની જાળવણીની શક્યતા જો આપણે માની લઈએ, તો પણ આવા પરીક્ષણ દ્વારા બાળકો તેમના પિતા સાથે પરિચયને લાયક બનવામાં શું ભૂલ છે? આ તેમની માનસિક સ્થિતિ પર કેવી અસર કરશે? તો પછી એક સ્ત્રી પોતાની આ અસ્થિર મનોદશા સાથે ચાર પુરુષો માટે પત્નીની ભૂમિકા કેવી રીતે નિભાવી શકે? એક જ સમયે એક કરતાં વધુ પુરુષો સાથેના તેના સંબંધોને કારણે થતા ઘણા રોગો.
સ્ત્રીનું પુરૂષ પર પાલન-પોષણ એ સ્ત્રી માટે સન્માન અને પુરુષ માટે ફરજ સિવાય બીજું કંઈ નથી, જે તે તેની બાબતોનું ધ્યાન રાખે છે અને તેની જરૂરિયાતો પૂરી કરે છે. એક મુસ્લિમ સ્ત્રી રાણીની ભૂમિકા ભજવે છે, જે પૃથ્વી પરની દરેક સ્ત્રી ઈચ્છે છે. એક ચાલક સ્ત્રી તે છે જે પસંદ કરે છે કે તેણી શું હોવી જોઈએ: એક માનનીય રાણી અથવા રસ્તાની સામાન્ય મહેનતુ સ્ત્રી.
જો આપણે કબૂલ કરીએ કે કેટલાક મુસ્લિમ પુરુષો કવ્વામહનો (પ્રભુત્વનો) દુરુપયોગ કરે છે, તો આ કવ્વામહની સિસ્ટમમાં ખામી દર્શાવતું નથી; તેના બદલે, તે તેનો દુરુપયોગ કરનારાઓમાં ઉણપ દર્શાવે છે.
ઇસ્લામ પૂર્વેના યુગમાં સ્ત્રીઓ વારસાથી વંચિત હતી, જ્યારે ઇસ્લામ આવ્યો ત્યારે તેઓને માત્ર વારસામાં સમાવવામાં આવ્યા ન હતા પરંતુ તેઓને પુરૂષોના સમાન અથવા વધુ હિસ્સા પણ આપવામાં આવ્યા હતા, અને કેટલાક કિસ્સાઓમાં સ્ત્રી વારસામાં હકદાર છે જ્યારે પુરુષ નથી. અન્ય કિસ્સાઓમાં, ઉંચ્ચ વંશ અને સગપણના કારણે પુરુષોને સ્ત્રીઓ કરતાં વધુ વારસો મળે છે, અને આ તે સ્થિતિ છે જેના વિષે કુરઆનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે:
"અલ્લાહ તઆલા તમને તમારા સંતાનો વિશે આદેશ આપે છે કે એક પુરુષનો ભાગ બે સ્ત્રીઓ (ના ભાગ) બરાબર છે...."[210]. (અન્ નિસા: ૧૧).
એક મુસ્લિમ મહિલાએ એકવાર કહ્યું હતું કે તેણીના સસરાના મૃત્યુ સુધી તેણી આ મુદ્દાને સમજી શકી ન હતી જ્યારે તેના પતિને તેની બહેન કરતા બમણી રકમ મળી હતી, તેણે પૈસાનો ઉપયોગ તેના પરિવાર માટે ઘર અને કાર સહિત પોતાની જરૂરી વસ્તુઓ ખરીદવા માટે કર્યો હતો, જ્યારે તેની બહેને તેના પૈસાના ઘરેણાં ખરીદ્યા અને બાકીના પૈસા બેંકમાં સાચવ્યા, કારણ કે રહેઠાણ અને અન્ય આવશ્યક જરૂરિયાતો પૂરી પાડવાની જવાબદારી તેના પતિની હતી, ત્યારે જ તેણીને આ ચુકાદા પાછળની હિકમત (શાણપણ) સમજાઈ અને તેણીએ અલ્લાહની પ્રશંસા કરી.... More
મુહમ્મદ ﷺ એ પોતાના જીવનમાં ક્યારેય કોઈ સ્ત્રીને મારી નથી, કુરઆનની આયત જે મારવા વિશે વાત કરે છે, તેનો અર્થ છે આજ્ઞાભંગના કારણે મારવામાં આવે. અમુક સમયગાળામાં, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના માનવસર્જિત કાયદામાં આ પ્રકારની મારપીટને અનુમતિ પાત્ર તરીકે દર્શાવવામાં આવી હતી જેમાં શરીર પર કોઈ નિશાન ન હોઈ. તેનો ઉપયોગ ગંભીર ભયને રોકવા માટે થાય છે જેમ કે જ્યારે કોઈ તેના પુત્રને તેની ઊંડી નિંદ્રામાંથી જગાડવા માટે ખભાથી હલાવીને ઉઠાડે જેથી તે તેની પરીક્ષા ચૂકી ન જાય.
ચાલો આપણે કલ્પના કરીએ કે એક એવી વ્યક્તિ કે જે તેની પુત્રીને પોતાને ફેંકવા માટે બારીની કિનારે ઉભેલી જોશે, તેના હાથ અનૈચ્છિક રીતે તેની તરફ જશે, તેને પકડશે અને તેને પાછળ ધકેલી દેશે જેથી તેણી પોતાને નુકસાન ન પહોંચાડે. અહીં મારવાનો અર્થ આ છે. સ્ત્રી કે પતિ તેને તેના ઘરને નષ્ટ કરવા અને તેના બાળકોના ભવિષ્યને નષ્ટ કરતા અટકાવવાનો પ્રયાસ કરે છે.
આ ઘણા તબક્કાઓ પછી આવે છે, જેમ કે આયતમાં ઉલ્લેખ કર્યો છે:... More
ઇસ્લામે અન્ય ધર્મોથી વિપરીત, આદમના પાપ માટે તેણીને નિર્દોષ ગણીને અને તેણીને ઉચ્ચ સન્માનમાં રાખીને સ્ત્રીનું સન્માન કર્યું છે.
ઇસ્લામમાં, પાલનહારે આદમને માફ કર્યો અને આપણને શીખવ્યું કે જ્યારે આપણે જીવનભર પાપ કર્યું હોય ત્યારે તેની પાસે કેવી રીતે પાછા ફરવું. અલ્લાહ તઆલાએ કહ્યું:
"પછી આદમે પોતાના પાલનહાર પાસેથી કેટલાક શબ્દો શીખી, તૌબા કરી, તો અલ્લાહ તઆલાએ તેઓની તૌબા કબુલ કરી, નિઃશંક તે જ તૌબા કબુલ કરનાર અને અત્યંત દયાળુ છે" [૨૧૩]. (અલ્ બકરહ: ૩૭).... More
યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ વચ્ચે વ્યભિચારના ગુના વિશે ભારે સજા આપવા પર સંપૂર્ણ કરાર છે [૨૨૩]. (અલ્ અહદુલ્ કદીમ, સિફ્રુલ્ લાવિય્યીન ૨૦: ૧૦-૧૮).
ઈસાઈ (ખ્રિસ્તી) ધર્મમાં વ્યભિચારના અર્થ પર ભાર આપ્યો છે, અને તેને શારીરિક કૃત્ય સુધી મર્યાદિત ન રાખ્યો, પરંતુ તેને અખલાક (નૈતિક) ના વિભાગમાં પણ ફેરવાયો છે ( આ એક અખલાકી (નૈતિક) ગુણો છે) [૨૨૪]. ઈસાઈ ધર્મએ વ્યભિચારીને અલ્લાહના રાજ્ય પર વારસદાર બનવું હરામ કરી દીધું છે, જેથી તેની પાસે જહન્નમના કાયમી અઝાબ સિવાય બીજો કોઈ માર્ગ નથી [૨૨૫]. અને વ્યભિચાર કરવા વાળાની સજા તે જ છે, જે મૂસાની શરિઅત (કાનૂન) દ્વારા નક્કી કરવામાં આવી છે, અને તે (સજા) પથ્થરો વડે મારી મારી ને મારી નાખવાની છે [૨૨૬]. (અલ્ અહદુલ્ જદીદ, ઇન્જિલે મત્તા ૫: ૨૭-૩૦). (અલ્ અહદુલ્ જદીદ, કોરીન્થિયન્સનો પ્રથમ પત્ર ૬: ૯-૧૦). (અલ્ અહદુલ્ જદીદ, ઇન્જિલે યૂહન્ના ૮: ૩- ૧૧).
જેવું કે આજે પણ બાઈબલના વિદ્યાનો માને છે કે મસીહ એ વ્યભિચાર ક્રરવા વાળાને માફ કરી દેવાની વાત એ હકીકતમાં યોહનાની ઇન્જિલના જુના નુસખાઓમાં જોવા મળતી નથી, પરંતુ તેને પછીના સમયમાં ઉમેરી દેવામાં આવી હતી, અને નવા અનુવાદો પણ તેની પુષ્ટિ કરે છે [૨૨૭]. આ બધા કરતાં વધુ મહત્વની વાત એ છે કે મસીહ (ઈસા) એ પોતાની દઅવતની શરૂઆતમાં તે એલાન કર્યું હતું કે તે પાછલા પયગંબરોની શરિઅત (કાનૂન) ને નાબૂદ (ખત્મ) કરવા આવ્યો નથી, અને એ કે આકાશ અને જમીનને નષ્ટ થવા પર મૂસાની શરિઅતની એક બિંદુ કરતા પણ વધુ સરણ છે, જેવું કે લોકાની ઇન્જિલમાં વર્ણન કરવામાં આવ્યું છે [૨૨૮]. જેથી મસીહ વ્યભિચારી સ્ત્રીને સજા આપ્યા વગર મૂસાની શરિઅતમાં કોઈ ખલેલ પાડી શકતા નથી. https://www.alukah.net/sharia/ 0/82804/ (અલ્ અહદુલ્ જદીદ, ઇન્જિલે લોકા ૧૬:૧૭).... More
ઇસ્લામ લોકો વચ્ચે ન્યાયને લાગુ કરવા અને માપ અને વજનમાં ન્યાય કરવાનું કહે છે.
"અને અમે મદયન તરફ તેમના ભાઇ શુઐબને મોકલ્યા, તેમણે કહ્યું હે મારી કોમ ! તમે અલ્લાહની બંદગી કરો તેના સિવાય કોઇ તમારો ઇલાહ નથી, તમારી પાસે તમારા પાલનહાર તરફથી સ્પષ્ટ દલીલ આવી પહોંચી છે, બસ ! તમે માપ-તોલ પૂરેપૂરું કરો, અને લોકોને તેમની વસ્તુ ઓછી ન આપો, અને ધરતી પર સુધારો થઇ ગયા પછી વિદ્રોહ ન ફેલાવો, આ તમારા માટે ફાયદાકારક વાત છે જો તમે માનો" [૨૩૨]. (અલ્ અઅરાફ: ૮૫).
"હે ઈમાનવાળાઓ ! તમે અલ્લાહ માટે સત્ય પર અડગ રહેનારા બની જાવ, સાચી અને ન્યાય સાથે સાક્ષી આપનારા બની જાવ, કોઇ કોમની શત્રુતા તમને ન્યાયના વિરોધ માટે ન ઉભારે, ન્યાય કરતા રહો, આ જ વાત તકવાની વધુ નજીક છે, અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, ખરેખર અલ્લાહ તઆલા તમારા કાર્યોને ખૂબ સારી રીતે જાણે છે" [૨૩૩]. (અલ્ માઈદહ:૮).... More
"અને તમારા પાલનહારે નિર્ણય કરી દીધો છે કે તમે તેના સિવાય બીજા કોઈની ઈબાદત ના કરશો, અને માતા-પિતા સાથે સદવર્તન કરજો અને જો તમારી હાજરીમાં તેમના માંથી એક અથવા બન્ને વૃદ્ધાવસ્થામાં પહોંચી જાય તો તેમને “ઉફ” પણ ન કહેશો, ન તો તેમને ઠપકો આપશો, પરંતુ તેમની સાથે સભ્યતાથી વાત કરજો (૨૩) અને વિનમ્રતા તથા પ્યારભર્યા અંદાજથી તેમની સામે પોતાના બાજુ ઝુકાયેલા રાખજો અને દુઆ કરતા રહેજો કે હે મારા પાલનહાર ! તેમના પર તેવી જ રીતે દયા કર જેવી રીતે તેમણે મારા બાળપણમાં મારું ભરણપોષણ કર્યું" [૨૪૬]. (અલ્ ઇસ્રા: ૨૩-૨૪).
"અને અમે માનવીને પોતાના માતા-પિતા સાથે સદવર્તન કરવાનો આદેશ આપ્યો છે, તેની માઁ એ તેને કષ્ટ વેઠીને ગર્ભમાં રાખ્યો અને કષ્ટ વેઠીને તેને જનમ આપ્યો, તેના ગર્ભ અને દુધ છોડવવાનો સમયગાળો ત્રીસ મહીનાનો છે, ત્યાં સુધી કે જ્યારે તે પોતાની પુખ્તવયે અને ચાલીસ વર્ષે પહોંચયો તો કહેવા લાગ્યો “ હે મારા પાલનહાર ! મને સદબુધ્ધિ આપ કે હું તારી તે નેઅમત નો આભાર માનું, જે તે મારા પર અને મારા માતા-પિતા પર ઇનામ કરી છે, અને હું એવા સદકાર્યો કરૂં , જેનાથી તું પ્રસન્ન થાય અને તું મારી સંતાનને પણ પ્રામાણીક બનાવ, હું તારી તરફ જ માફી માંગુ છું અને હું મુસલમાનો માંથી છું" [૨૪૭]. (અલ્ અહકાફ: ૧૫).
"અને સગાંસંબંધીઓ તથા લાચારો અને મુસાફરોના હક પૂરા કરતા રહો અને ઇસ્રાફ (ખોટા ખર્ચા)થી બચો" [૨૪૮]. (અલ્ ઇસ્રા: ૨૬).... More
અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "અલ્લાહની કસમ તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, પૂછવામાં આવ્યું હે અલ્લાહના રસૂલ ﷺ કોણ? આપ ﷺ એ કહ્યું કે તે વ્યક્તિ જેનો પાડોશી તેના તકલીફ આપવાથી સુરક્ષિત ન હોય" [૨૪૯]. (બુખારી અને મુસ્લિમ).
અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "પાડોશી પોતાના પાડોશી માટે શુફઅહનો વધારે હક ધરાવે છે અર્થાત (જો તેમની મિલકત વેચવી હોય તો સૌ પ્રથમ પાડોશીને ખરીદવાનો અધિકાર રહેશે) જો તે ગેરહાજર હોય તો તેની રાહ જોવામાં આવશે, જ્યારે બન્ને પાડોશીના અવર જવરનો એક જ માર્ગ હોય" [૨૫૦]. (મુસ્નદ અલ્ ઈમામ અહમદ).
અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "ઓ અબુ ઝર, જો તમે શેરવો રાંધો તો તેમાં પાણીનું પ્રમાણ વધારી દો અને થોડું તમારા પાડોશીઓને પણ આપજો" [૨૫૧]. (આ હદીષને ઈમામ મુસ્લિમ રહ. એ રિવાયત કરી છે).... More
"અને જેટલાં પ્રકારના જાનવરો ધરતી પર હરે-ફરે છે અને જેટલાં પ્રકારના પક્ષીઓ, જેઓ પોતાની બન્ને પાંખો વડે ઉડે છે,તે બધા તમારા જેવા જ સર્જનીઓ છે, અમે તેમની પણ તકદીર લખવામાંકોઈ વસ્તુ છોડી નથી, પછી સૌ પોતાના પાલનહાર સમક્ષ ભેગા કરવામાં આવશે" [૨૫૩]. [અલ્ અન્આમ: ૩૮].
અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "એક સ્ત્રીને એક બિલાડીના કારણે અઝાબ આપવામાં આવ્યો, થયું એવું કે તે સ્ત્રીએ તે બિલાડીને કેદ કરી લીધી, અહીં સુધી કે તે મરી ગઈ, તે સ્ત્રીને તે બિલાડીના કારણે જહન્નમમાં નાખી દેવામાં આવી, જ્યારે તેને કેદ કરી તો ન તો તેણીએ તેને ખવડાવ્યું ન તો પીવડાવ્યું અને ન તો તે બિલાડીને આઝાદ કરી, જેથી તે બિલાડી જમીનના કિડા મંકોડા તો ખાઈ લેતી" [૨૫૪]. (બુખારી અને મુસ્લિમ).
અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "એક વ્યક્તિએ એક કુતરું જોયું જે તરસનાં કારણે જમીન ચાટી રહ્યું હતું, તો તેણે પોતાનો મોજો લીધો અને તે કુતરાની તરસ ખતમ ન થાય ત્યાં સુધી (તેને પાણી પીવડાવ્યું) તેણે અલ્લાહનો શુકર અદા કર્યો અને અલ્લાહ તઆલાએ તેને જન્નતમાં પ્રવેશ આપ્યો" [૨૫૫]. (આ હદીષને ઈમામ બુખારી અને મુસ્લિમ રહ. એ રિવાયત કરી છે).... More
"અને દુનિયામાં સુધારો કર્યા પછી વિદ્રોહ ન ફેલાવો, અને તમે અલ્લાહ તઆલાને ડર તેમજ આશા સાથે પોકારો, નિ:શંક અલ્લાહ તઆલાની કૃપા સત્કાર્ય કરવાવાળાની નજીક છે" [૨૫૬] [અલ્ અઅરાફ: ૫૬].
"ધરતી અને સમુદ્રમાં લોકોના અપરાધના કારણે વિદ્રોહ ફેલાઇ ગયો, એટલા માટે કે તેમને તેમના કેટલાક કરતુતોનો બદલો અલ્લાહ તઆલા ચખાડી દે, શક્ય છે કે તેઓ સુધારો કરી લે" [૨૫૭] [અર્ રૂમ: ૪૧].
"જ્યારે તે પાછો ફરે છે તો ધરતી પર અત્યાચાર ફેલાવવા, ખેતી અને પેઢીને બરબાદ કરવા માટેના પ્રયત્નો કરે છે અને અલ્લાહ તઆલા અત્યાચારને પસંદ કરતો નથી" [૨૫૮]. [અલ્ બકરહ: ૨૦૫].... More
ઇસ્લામ આપણને શીખવે છે કે સામાજિક ફરજો પ્રેમ, દયા અને અન્યો માટે આદર પર આધારિત હોવી જોઈએ.
તે ધોરણો અને માપદંડો નિર્ધારિત કરે છે અને સમાજને જોડતા તમામ સંબંધોને લગતા અધિકારો અને ફરજોને વ્યાખ્યાયિત કરે છે.
"અને અલ્લાહ તઆલાની બંદગી કરો અને તેની સાથે કોઇને ભાગીદાર ન ઠેરવો, માતા-પિતા સાથે સારું વર્તન કરો તેમજ સગાંસંબંધીઓ, અનાથો, લાચારો, નજીકના પાડોશી, અજાણ પાડોશી, સહવાસીઓ, પોતાની સાથે સફર કરનાર તે સૌ સાથે સારો વ્યવહાર કરો, અને તેઓ ગુલામ તેમજ બાંદીઓ સાથે પણ, જેઓના તમે માલિક છો, નિ:શંક અલ્લાહ તઆલા ઘમંડ કરનાર, ઇતરાવનારાઓને પસંદ નથી કરતો" [૨૬૦]. [અન્ નિસા: ૩૬].... More
ઇસ્લામ અનાથની દેખરેખ કરવા પર આગ્રહ કરે છે, અને અનાથની બાંયધરી લેનારને અનાથ સાથે પોતાના બાળકો જેવું વર્તન કરવાનો આદેશ આપે છે, પરંતુ અનાથને તેના વાસ્તવિક પરિવારને જાણવાનો અધિકાર આપે છે, તેના પિતાના વારસા પરના તેના અધિકારને બચાવે છે અને વંશના મિશ્રણથી બચાવે છે.
એક પશ્ચિમી છોકરીની વાર્તા, જેણે ત્રીસ વર્ષ પછી અચાનક જાણ્યું કે તે દત્તક લીધેલી પુત્રી છે અને તેણે આત્મહત્યા કરી લીધી, દત્તક કાયદામાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પુરાવો છે. જો તેઓએ તેને બાળપણથી કહ્યું હોત, તો તેઓએ તેના પર દયા કરી હોત અને તેણીને તેના પરિવારની શોધ કરવાની તક આપી હોત.
"બસ ! તમે કોઈ અનાથ પર કઠોર વ્યવહાર ન કરશો" [૨૬૩]. (અઝ્ ઝુહા: ૯).... More
માંસ એ પ્રોટીનનો આવશ્યક સ્ત્રોત છે, અને માણસોના સપાટ અને પોઇંટેડ દાંત હોય છે, અને આ દાંત માંસને ચાવવા અને પીસવા માટે યોગ્ય છે. અને પાલનહારે માણસ માટે છોડ અને પ્રાણીઓ ખાવા માટે યોગ્ય દાંત બનાવ્યા છે, અને તેણે છોડ અને પ્રાણીઓના ખોરાકને પચાવવા માટે યોગ્ય પાચન તંત્ર બનાવ્યું છે, અને આ તેમને ખાવાના વિશ્લેષણ માટે પુરાવા છે.
"...તમારા માટે ઢોરના પ્રકાર (કેટલાક) પશુઓ હલાલ કરવામાં આવ્યા છે" [૨૬૬]. (અલ્ માઈદહ: ૧).
પવિત્ર કુરઆને ખોરાકને લગતા કેટલાક નિયમો નક્કી કર્યા છે:... More
કતલની ઇસ્લામિક રીત, એટલે કે ધારદાર છરી વડે પ્રાણીના ગળા અને અન્નનળીને કાપી નાખવી, તે ઇલેક્ટ્રીક આંચકો અને ગળું દબાવવાથી વધુ સરળ છે, જેનાથી પ્રાણીને પીડા થાય છે, એકવાર લોહી મગજમાં વહેતું બંધ થઈ જાય, પ્રાણીને કોઈ દુખાવો થતો નથી, કતલ કરવાના સમયે પ્રાણીને થતી ધ્રુજારીની વાત કરીએ તો, તે પીડાને કારણે થતું નથી; તેના બદલે, તે ઝડપી રક્ત પ્રવાહને કારણે થાય છે જે અન્ય પદ્ધતિઓથી વિપરીત તમામ રક્તને બહાર કાઢવાની પ્રક્રિયાને સરળ બનાવે છે જે પ્રાણીના શરીરની અંદર લોહીને અવરોધે છે અને તેનું માંસ ખાનારાઓને નુકસાન પહોંચાડે છે.
અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક વસ્તુ પર એહસાન કરવું જરૂરી કરી દીધું છે, એટલા માટે જ્યારે તમે કતલ કરો તો સારા તરીકાથી કરો, અને જ્યારે જાનવર ઝબહ કરો તો પણ સારા તરીકાથી કરો, તમારા માંથી જે (જાનવર ઝબહ કરતો હોય) તેના માટે જરૂરી છે કે તે પોતાના છરી ધારદાર કરી લે, અને જે જાનવર ઝબહ થઈ રહ્યું હોય તો તેને આરામ પહોંચાડે" [૨૫૭]. (આ હદીષને ઈમામ મુસ્લિમ રહ. એ રિવાયત કરી છે).
પ્રાણીની રુહ અને માણસની રુહમાં મોટો તફાવત છે, પ્રાણીની રુહ શરીરની ગતિશીલ શક્તિ છે; એકવાર તે મૃત્યુ દ્વારા જુદી થઈ જાય છે, તો તે એક નિર્જીવ શરીર બની જાય છે, જે જીવનનો એક પ્રકાર છે. છોડ અને વૃક્ષો પણ એક પ્રકારનું જીવન ધરાવે છે પણ તેને આત્મા કહેવાય નહીં; તેના બદલે, તેને જીવન કહેવામાં આવે છે જે પાણી દ્વારા તેના ભાગોમાં વહે છે જેના વિના તે સુકાઈ જાય છે અને પડી જાય છે.
"અને દરેક જીવિત વસ્તુનું સર્જન અમે પાણી વડે કર્યું, છતાં પણ આ લોકો ઈમાન નથી લાવતા" [૨૭૬]. (અલ્ અંબિયા: ૩૦).
પરંતુ તે માનવ આત્મા જેવું નથી કે જે સન્માન અને ઇઝ્ઝતના હેતુ માટે પાલનહારને આભારી છે, અને તેના સ્વભાવને પાલનહાર સિવાય કોઈ જાણતું નથી અને તે ફક્ત માણસ માટે વિશિષ્ટ છે. માણસની રુહ એક ઇલાહી બાબત છે અને તેણે તેના સાચા તત્વને સમજવાની જરૂર નથી, તે બૌદ્ધિક બળ (મન), ધારણા, જ્ઞાન અને વિશ્વાસ સાથે શરીરની ગતિશીલ શક્તિનું સંયોજન છે અને આ જ તેને પ્રાણીઓના આત્માથી અલગ બનાવે છે.... More
તે અલ્લાહની રહમત અને તેની સર્જન પ્રત્યેની દયાથી છે કે પાલનહારે અમને સારી વસ્તુઓ ખાવાની મંજૂરી આપી, અને અશુદ્ધ વસ્તુઓ ખાવાની મનાઈ કરી.
"જે લોકો એવા અભણ પયગંબરનું અનુસરણ કરે છે, જેના વિશે તે લોકો પોતાની પાસે તૌરાત અને ઈંજીલમાં લખેલું જુએ છે, તે તેઓને સત્કાર્યોનો આદેશ આપે છે અને ખરાબ કૃત્યોથી રોકે છે, અને પવિત્ર વસ્તુઓને હલાલ ઠેરવે છે અને ખરાબ વસ્તુઓને હરામ ઠેરવે છે. અને તે લોકો પર જે ભાર અને પટ્ટો હતો, તેને હટાવે છે, તો જે લોકો આ પયગંબર પર ઈમાન લાવે છે અને તેમનું સમર્થન કરે છે અને તેમની મદદ કરે છે અને તે પ્રકાશનું અનુસરણ કરે છે જે તેમની સાથે મોકલવામાં આવ્યું છે, તો આવા લોકો સંપૂર્ણ સફળતા મેળવશે" [૨૭૭]. (આલિ ઇમરાન: ૧૫૭).
ઇસ્લામ અપનાવનારા કરનારા કેટલાક લોકોએ ઉલ્લેખ કર્યો કે તેમનું ઇસ્લામ અપનાવવા પાછળનો હેતુ ઈસ્લામે આપેલ ડુક્કરના માસ બાબતે હતો.... More
ઇસ્લામમાં પૈસાનો ઉપયોગ, વેપાર અને માલસામાન અને સેવાઓના વિનિમય અને બાંધકામ અને શહેરીકરણ માટે છે, અને જ્યારે આપણે પૈસા કમાવવાના ઉદ્દેશ્ય સાથે નાણાં ઉછીના આપીએ છીએ, ત્યારે આપણે આ રીતે વિનિમય અને વિકાસના સાધન તરીકે તેના મૂળ ઉદ્દેશ્યમાંથી પૈસા કાઢી લીધા છે, જેથી આપણે તેને એક મહત્વના હેતુ તરફ ફેરવી દઈએ છીએ.
લોન પર લાદવામાં આવતું વ્યાજ અથવા વ્યાજ ધિરાણકર્તાઓ માટે પ્રેરણા છે કારણ કે તેઓ ગુમાવવા માટે જવાબદાર નથી, આમ વર્ષોથી ધિરાણકર્તાઓ દ્વારા મેળવેલ સંચિત નફો અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધારે છે. તાજેતરના દાયકાઓમાં, સરકારો અને સંસ્થાઓ આ ક્ષેત્રમાં મોટા પાયે સંકળાયેલી છે, કારણ કે આપણે કેટલાક દેશોની આર્થિક વ્યવસ્થાના પતનનાં ઘણા ઉદાહરણો જોયા છે, વ્યાજખોરી સમાજમાં ભ્રષ્ટાચાર ફેલાવવાની ક્ષમતા ધરાવે છે જે અન્ય ગુનાઓ કરી શકતા નથી [૨૮૨].
અલ્લાહ તઆલા કહે છે: ખ્રિસ્તી સિદ્ધાંતોના આધારે, થોમસ એક્વિનાસે વ્યાજખોરી અથવા વ્યાજખોરોની લોનની નિંદા કરી. ચર્ચ, તેની મહત્વપૂર્ણ ધાર્મિક અને દુન્યવી ભૂમિકાને કારણે, બીજી સદીથી પાદરીઓને તેની પ્રેક્ટિસ કરવા માટે પહેલેથી જ પ્રતિબંધિત કર્યા પછી, તેના વિષયો પર વ્યાજના પ્રતિબંધને સામાન્ય બનાવવાનું વ્યવસ્થાપિત થયું. થોમસ એક્વિનાસના જણાવ્યા મુજબ, વ્યાજના પ્રતિબંધ પાછળના કારણો એ છે કે તે લોન લેનારની રાહ માટે ચૂકવેલ કિંમત હોઈ શકતી નથી, એટલે કે, લોન લેનાર પહેલાથી જ ધરાવે છે તે સમયની કિંમત, કારણ કે તેઓ આ પ્રક્રિયાને વેપાર વ્યવહાર માને છે. ભૂતકાળમાં, એરિસ્ટોટલ માનતા હતા કે પૈસા એ બીજું કંઈ નથી પરંતુ વેપારનું સાધન છે, હિતો મેળવવાની પદ્ધતિ નથી. પ્લેટોની વાત કરીએ તો, તેઓ માનતા હતા કે સમાજના સભ્યોમાંથી ગરીબો પર ધનિકો દ્વારા શોષણ કરવામાં આવે છે. તદુપરાંત, પ્રાચીન ગ્રીકોના સમયમાં વ્યાજખોરોના વ્યવહારો પ્રચલિત હતા. તે સમયે, લેણદાર દેવાદારને ગુલામ બજારમાં વેચવાનો હકદાર હતો જો બાદમાં તેનું દેવું ચૂકવવામાં નિષ્ફળ જાય. રોમનોની સ્થિતિ અલગ ન હતી. તે ઉલ્લેખ કરવા યોગ્ય છે કે આ પ્રતિબંધ ધાર્મિક પ્રભાવોને આધિન ન હતો કારણ કે તે ખ્રિસ્તી ધર્મના ત્રણ કરતાં વધુ સદીઓ પહેલાં થયો હતો, તે ધ્યાનમાં રાખીને કે ગોસ્પેલે તેના અનુયાયીઓને વ્યાજખોરી સાથે વ્યવહાર કરવાની મનાઈ ફરમાવી હતી, અને તેથી તે પહેલાં તોરાહ પણ હતી.... More
અલ્લાહ તઆલા એ માણસને અન્ય તમામ જીવોથી તર્ક દ્વારા અલગ પાડ્યો છે, અને અલ્લાહ એ તે દરેક વસ્તુઓ જે આપણને કંઈ પણ નુકસાન પહોંચાડે છે અને આપણા દિમાગ અને શરીરને નુકસાન પહોંચાડે છે તેના પર પ્રતિબંધિત લગાવ્યો છે, અને તેથી નશો કરનારી દરેક વસ્તુ આપણા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે, કારણ કે તે મનને ઢાંકીને આપણને નુકસાન પહોંચાડે છે અને આપણને દરેક પ્રકારના ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે. નશામાં ધૂત વ્યક્તિ બીજાઓને મારી શકે છે, તે વ્યભિચાર કરી શકે છે, અને તે ચોરી કરી શકે છે, વગેરે, દારૂ પીવાથી થતા ગુનાહોમાંથી.
"હે ઈમાનવાળાઓ ! વાત એ જ છે કે શરાબ, જુગાર, સ્થળ અને શગુન કાઢવા માટે પાસાના તીર, આ બધું જ ખરાબ વાતો અને શેતાની કૃત્ય છે, તેનાથી તદ્દન અળગા રહો, જેથી તમે સફળ બનો" [૨૮૮]. (અલ્ માઈદહ: ૯૦).
અને દરેક તે વસ્તુ દારૂ છે જેમાં નશો હોઈ, પછી ભલેને તેનું નામ કે તેનો આકાર બદલી દેવામાં આવે, જેમ કે અલ્લાહના પયગંબર ﷺ એ કહ્યું: "તે દરેક વસ્તુજે નશો પેદા કરેતે ખમર છે અને તે દરેક વસ્તુ જે નશાનું કારણ બને તે હરામ છે" [૨૮૯]. (આ હદીષને ઈમામ મુસ્લિમ રહ. એ રિવાયત કરી છે)... More
સર્જકની એકતાની સાક્ષી આપવી અને એકરાર કરવો, અને ફક્ત તેની જ ઈબાદત કરવી, અને તે વાતનો એકરાર કરવી કે મુહમ્મદ ﷺ તેના બંદા અને પયગંબર છે.
નમાઝ દ્વારા હંમેશા પાલનહાર સાથે સંપર્કમાં રહેવું.
રોઝા દ્વારા વ્યક્તિ એ પોતાના પર અને પોતાની મનેચ્છાઓ પર કાબુ રાખવો, અને બીજા લોકો સાથે દયા કરવી અને સારો વ્યવહાર કરવો.... More
એક મુસલમ પોતાના પાલનહારના અનુસરણમાં નમાઝ પઢે છે, જેને તેને નમાઝ પઢવાનો આદેશ આપ્યો છે, અને તેને ઇસ્લામના અરકાન (સ્થંભો) માંથી એક બનાવી છે.
એક મુસલમાન દરરોજ પાંચ વાગે નમાઝ માટે ઉઠે છે, અને તેના બિન-મુસ્લિમ દોસ્તો તેજ સમયે સવારની કસરત કરવા ઉઠે છે, એટલા માટે નમાઝ શારીરિક અને આધ્યાત્મિક પોષણ છે, અને તેઓની રમતો ફક્ત શારીરિક કસરત છે, અને દુઆ કરતા એકાગ્ર છે, જે અલ્લાહ પાસે જરૂરત પૂરી કરવા માટે કોઈ પણ પ્રકારની શારીરિક કસરત કર્યાવિના માંગવામાં આવે છે, રુકૂઅ અને સિજદો જે એક મુસલમાન કોઈ પણ સમયે કરે છે.
ચાલો જોઈએ કે જ્યારે આત્મા ભૂખે મરતો હોય ત્યારે આપણે આપણા શરીરની કેટલી કાળજી લઈએ છીએ, અને તેનું પરિણામ વિશ્વના સૌથી ધનિક લોકોની અસંખ્ય આત્મહત્યાઓ છે.... More
એક મુસલમાન પયગંબર મુહમ્મદ ﷺ ના ઉપદેશોનું અનુસરણ કરે છે, અને નમાઝ એવી રીતે જ પઢે છે જેવી રીતે નબી ﷺ એ પઢી હતી.
નબી ﷺ એ કહ્યું: "તમે એવી રીતે નમાઝ પઢો જેવી રીતે તમે મને નમાઝ પઢતા જુઓ છો" [૨૯૪]. (આ હદીષને બુખારી રહ. એ રિવાયત કરી છે).
એક મુસલમાન દિવસમાં પાંચ વખત નમાઝ વડે અલ્લાહ સાથે સંપર્ક કરે છે; કારણકે તેને આખા દિવસમાં તેની સાથે વાતચીત કરવાની સખત ઈચ્છા હોઈ છે. અને આ તે સ્ત્રોત છે, જે અલ્લાહ એ તેની સાથે વાતચીત કરવા આપણને આપ્યો છે, અને પોતાની ભલાઈ માટે તેનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.... More
અલ્લાહ તઆલાએ કઅબાહ [૨૯૭], પવિત્ર ઘર, નમાઝ માટેનું પ્રથમ ઘર અને ઈમાનવાળાઓ માટે એકતાનું પ્રતીક બનાવ્યું કારણ કે વિશ્વભરના તમામ મુસ્લિમો નમાઝના સમયે વર્તુળો બનાવે છે અને મધ્યમાં મક્કા આવે છે. કુરઆન બંદાઓ અને પ્રકૃતિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાના ઘણા દ્રશ્યો રજૂ કરે છે જેમ કે પયગંબર દાઉદ સાથે પર્વતો અને પક્ષીઓનું તસ્બીહ કરવું અને તિલાવત કરવી. "અને અમે દાઉદ પર પોતાની કૃપા કરી (અને પર્વતોને આદેશ આપ્યો હતો કે) હે પર્વતો ! દાઉદ સાથે મન લગાવી અલ્લાહના નામની તસ્બીહ કરો અને પક્ષીઓને પણ (આ જ આદેશ આપવામાં આવ્યો છે) અને અમે તેના માટે લોખંડને નરમ કરી દીધું હતું" [૨૯૮]. ઇસ્લામ એક કરતાં વધુ જગ્યાઓ પર પુષ્ટિ કરે છે કે સમગ્ર બ્રહ્માંડ તેના તમામ જીવો સાથે સૃષ્ટિના પાલનહારને તસ્બીહ અને પવિત્રતા વર્ણન કરે છે. અલ્લાહ તઆલા એ કહ્યું: (સબા: ૧૦).
"અલ્લાહ તઆલાનું પ્રથમ ઘર (ઈબાદત કરવાનું સ્થળ) જે લોકો માટે નક્કી કરવામાં આવ્યું તે જ છે ,જે મક્કામાં છે, જે સમ્રગ સૃષ્ટિના લોકો માટે બરકત અને હિદાયતનું કારણ છે" [૨૯૯]. (આલિ ઇમરાન: ૯૬). પવિત્ર કાબા એક ચોરસ આકારનું માળખું છે, લગભગ સમઘન જેવું. તે મક્કામાં પવિત્ર મસ્જિદની મધ્યમાં આવેલું છે. તેમાં દરવાજો છે પણ બારી નથી. તેની અંદર કંઈ નથી અને તે કોઈની કબર નથી, બલ્કે તે નમાઝ માટે ખંડ છે. કાબાની અંદર નમાઝ પઢનાર મુસલમાન કોઈપણ દિશામાં જઈ શકે છે. સમગ્ર ઇતિહાસમાં તે ઘણી વખત નવીકરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહિમ અ.સ. અને તેમના પુત્ર ઇસ્માઇલ અ.સ. સાથે મળીને તેનો પાયો ઉભો કરનાર પ્રથમ હતા. તેના એક ખૂણામાં કાળો પથ્થર આવેલો છે. એવું માનવામાં આવે છે કે તે આદમ (અ.સ.) ના સમયનો છે; જો કે, તેની પાસે કોઈ અલૌકિક શક્તિ નથી પરંતુ તે મુસ્લિમો માટે પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે.
પૃથ્વીનો ગોળાકાર સ્વભાવ, દિવસ અને રાત્રિનું પરિવર્તન અને કાબાની ફરતે તેમની પરિક્રમા સાથે મુસ્લિમો તેમની સાથે જોડાતાં અને કાબાની દિશા તરફ મુખ રાખીને પૃથ્વી પરના વિવિધ સ્થળોએથી દરરોજ તેમની પાંચ નમાજ અદા કરે છે. વિશ્વના પાલનહારની પવિત્રતા વર્ણન કરવા માટે સતત અને શાશ્વત ક્રિયાપ્રતિક્રિયાના સંદર્ભમાં સાર્વત્રિક સિસ્ટમ. તે સર્જક દ્વારા તેમના પયગંબર ઇબ્રાહિમ અ.સ.એ કાબાના પાયા ઉભા કરવા અને તેની પરિક્રમા કરવા માટે સંબોધવામાં આવેલ આદેશ છે, અને અમને નમાઝ દરમિયાન કાબાને અમારા કિબલા (દિશા) તરીકે લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.... More
સંપૂણ ઈતિહાસમાં મક્કાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, લોકો દર વર્ષે દુનિયાના ખુણે ખૂણેથી પણ આવી તેની મુલાકાત લે છે, અને અરબના સંપૂણ લોકો તેની પવિત્રતાનું ધ્યાન રાખે છે, જુના કરારમાં પણ આના વિષે ભવિષ્યવાળી કરવામાં આવી હતી, "બક્કાહની ખીણ માંથી પસાર થઇ તેને ઝરણું બનાવતા હતા" [૩૦૦].
અરબના લોકો અજાણતામાં બૈતુલ્ હરામને પવિત્ર માનતા હતા, અને જયારે પયગંબર મુહમ્મદ ﷺ ને મોકલવામાં આવ્યા તો અલ્લાહ તઆલા એ શરૂઆતમાં કિબ્લો મસ્જિદે અક્સા રાખ્યો, ફરી અલ્લાહ એ તેમને આદેશ આપ્યો કે તેઓ પોતાનું મોઢું ફેરવી બૈતુલ્ હરામ તરફ કરી દે જેથી તે બંને લોકો વચ્ચે ફર્ક થઇ જાય જેઓ અલ્લાહ માટે નિખાલસ અને અલ્લાહના પયગંબરનું અનુસરણ કરનારા છે અને જે લોકો અલ્લાહ અને તેના પયગંબર વિરુદ્ધ છે. કિબ્લો બદલવાનો હેતુ એ હતો કે દિલોને ફક્ત અલ્લાહ માટે નિખાલસ કરી દેવામાં આવે, અને તેને અલ્લાહ સિવાયના દરેક લગાવથી પવિત્ર કરવામાં આવે, તો મુસલમાનો એ આ વાતને અપનાવી લીધી અને પોતાનું મોઢું નવા કિબ્લા તરફ ફેરવી દીધું, જેવું કે નબી ﷺ નો આદેશ હતો, અને યહૂદીઓ મસ્જિદે અક્સા તરફ મોઢું કરી પોતાને સત્ય પર હોવાનો પુરાવો સમજતા હતા. (જુનો કરાર, મઝામીર (ઝબૂર): ૮૪).
અને કિબ્લો બદલવાનો બીજે હેતુ એ પણ હતો કે બની ઇસ્રાઈલના લોકો એ જે અલ્લાહ સાથે વચનભંગ કર્યું હતું તેના બદલામાં તેમની પાસે થી સત્તા લઈને અરબના લોકોને આપવાનો હતો.... More
મૂર્તિપૂજક ધર્મો અને અમુક સ્થળો અને લાગણીઓની પવિત્રતા વચ્ચે મોટો તફાવત છે, પછી ભલે તે ધાર્મિક હોય કે રાષ્ટ્રીય.
ઉદાહરણ તરીકે, જમ્રાત પર જઈને કાંકરીઓ મારવી જે અમુક આલિમોના મંતવ્ય પ્રમાણે શૈતાનનો વિરોધ અને તેનું અનુસરણ ન કરવા અને ઈબ્રાહીમના ઉદાહરણનું અનુસરણ કરવું છે, જયારે તેમની પાસે શૈતાન આવ્યો અને તેમને પોતાના પાલનહારનું અનુસરણ કરવાથી અને પોતાના બાળકને ઝબેહ કરવાથી રોકવા લાગ્યો [૩૦૧]. અને એવી જ રીતે સફા અને મરવા પર્વત વચ્ચે દોડવું એ હાજરાના ઉદાહરણનું અનુસરણ છે જયારે તે પોતાના બાળક ઈસ્માઈલ માટે પાણી શોધવા દોડયા હતા. દરેક સ્થિતિઓમાં અને આ વિશે જેટલા પણ મંતવ્યો છે તેની તરફ ન જોઈ, હજના જેટલા પણ અરકાન છે તેનો હેતુ પોતાના પાલનહારને યાદ કરવા અને તેનું અનુસરણ કરવાનો છે, અને તેનો હેતુ પથ્થરો, જગ્યાઓ અને લોકોની ઈબાદત કરવાનો નથી. જયારે કે ઇસ્લામ ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવાનું કહે છે, જે આકાશો અને જમીન અને જે કઈ પણ તે બંનેની વચ્ચે છે તેનો પાલનહાર અને દરેક વસ્તુને પેદા કરવાવાળો અને દરેક પર કુદરત ધરાવનાર છે. ઈમામ હાકિમ રહ. એ મુસ્તદરકમાં અને ઈમામ ઇબ્ને ખુઝૈમા એ પોતાની સહીહમાં ઇબ્ને અબ્બાસ દ્વારા વર્ણન કરી છે.
ઉદાહરણ તરીકે, શું આપણે કોઈ વ્યક્તિ પર એવો આરોપ લગાવીએ છીએ જયારે તે પોતાના પિતાને ચુંબન કરે છે, હજના દરેક અરકાન (વિધિઓ) દ્વારા અલ્લાહની યાદ અને પાલનહારના આદેશોનું અનુસરણ કરવું અને તેની સામે માથું નમાવી દેવું છે, અને તેનો હેતુ પથ્થરો, જગ્યાઓ અથવા લોકોની ઈબાદત કરવાનો નથી. જયારે કે ઇસ્લામ ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવાનું કહે છે, જે આકાશો અને જમીન અને જે કઈ પણ તે બંનેની વચ્ચે છે તેનો પાલનહાર અને દરેક વસ્તુઓનો પેદા કરવાવાળો અને દરેક પર કુદરત ધરાવનાર છે.
"હું મારો ચહેરો એકાગ્ર થઇ, તેની તરફ કરું છું, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને હું શિર્ક (ભાગીદાર ઠેરાવનારા) કરનારાઓ માંથી નથી" [૩૦૨]. (અલ્ અન્આમ:૭૯).
હજ દરમિયાન ભીડને કારણે મૃત્યુ થવું એ થોડા વર્ષો સિવાય જોવા મળ્યું નથી, અને તે સામાન્ય છે કે ભીડને કારણે મૃત્યુ પામેલા લોકો ખૂબ ઓછા છે. જો કે, દારુ પીવાને કારણે મૃત્યુ પામેલા લોકો, દાખલા તરીકે, દર વર્ષે લાખોની સંખ્યામાં મૃત્યુ પામે છે, અને ફૂટબોલ મેદાનો અને દક્ષિણ અમેરિકાના કાર્નિવલ્સની ભીડમાંથી પીડિતોની સંખ્યા વધુ છે. કોઈ પણ સંજોગોમાં, મૃત્યુ એ એક સત્ય છે, અને અલ્લાહ સાથે મુલાકાત એ એક સત્ય છે, અને આજ્ઞાપાલન માટે મૃત્યુ આજ્ઞાભંગના મૃત્યુ કરતાં વધુ સારું છે.
માલ્કમ એક્સ કહે છે:
"મેં આ પૃથ્વી પર ઓગણીસ વર્ષ વિતાવ્યાં પછી પહેલીવાર, હું દરેક વસ્તુના સર્જનહારની સામે ઊભો રહ્યો અને મને લાગ્યું કે હું એક સંપૂર્ણ માનવ છું, અને મેં મારા જીવનમાં બધા લોકો વચ્ચેના આ ભાઈચારાથી વધુ નિષ્ઠાવાન સાક્ષી નથી જોઈ, અમેરિકાએ ઇસ્લામને સમજવાની જરૂર છે કારણ કે તે એકમાત્ર ધર્મ છે જેની પાસે જાતિવાદની સમસ્યાનો ઉકેલ છે" [૩૦૩]. એક આફ્રિકન-અમેરિકન ઇસ્લામિક ઉપદેશક અને માનવાધિકાર રક્ષક (આફ્રિકન-અમેરિકન) એ અમેરિકામાં ઇસ્લામિક ચળવળની કૂચ ઇસ્લામના અકીદાથી મજબૂત રીતે ભટક્યા પછી તેને સુધારી, અને સાચા અકીદા પર ભાર આપ્યો.... More
કુરઆનમાં ઘણી આયતો છે જેમાં અલ્લાહની દયા અને તેના બંદાઓ માટે તેની મોહબ્બતનો ઉલ્લેખ કરવામાં આવ્યી છે, જો કે, અલ્લાહ સર્વશક્તિમાનની તેના બંદાઓ સાથે મોહબ્બત બંદાઓની એકબીજા સાથે જે મોહબ્બત હોઈ છે તેના કરતા અલગ છે, કારણકે મોહબ્બત માનવીના ધોરણ અનુસાર એવી જરૂરત છે જે એક મોહબ્બત કરવાવાળાને જેની સાથે તે મોહબ્બત કરે છે તેને મળાવે છે, પરંતુ અલ્લાહ જે સર્વશક્તિમાન છે તેને આપણી જરૂર નથી, આપણા માટે તેની મોહબ્બત તેની દયા અને કૃપાની છે, એક શક્તિવાળાની એક કમજોર માટે મોહબ્બત, એક અમીરની ગરીબ માટે મોહબ્બત, એક કુદરત ધરાવનારની એક લાચાર માટે મોહબ્બત, એક મોટાની એક નાના સાથે મોહબ્બત, અને હિકમતની મોહબ્બત.
શું આપણે આપણા બાળકોને તેમના પ્રત્યેની મોહબ્બતના બહાને તેઓને ગમે તે કરવા દઈએ છીએ? શું આપણે આપણા નાના બાળકોને પોતાના પ્રેમના બહાને ઘરની બારીમાંથી બહાર ફેંકી દેવા કે ખુલ્લા વીજ વાયર સાથે રમવાની છૂટ આપીએ છીએ?
વ્યક્તિના નિર્ણયો તેના અંગત લાભ અને આનંદ પર આધારિત હોય અને ચિંતાનું મુખ્ય કેન્દ્ર હોય, અને દેશની વિચારણાઓ અને સમાજ અને ધર્મના પ્રભાવોથી ઉપરના પોતાના અંગત હિતોને હાંસલ કરે તે શક્ય નથી, અને તેને મંજૂરી આપવી. તેનું લિંગ બદલવુ, તેને જે ગમતું હોય તે કરવા દેવું, પોશાક પહેરવા અને તે ઇચ્છે તે રીતે કાર્ય કરવા, આ બહાના હેઠળ કે રસ્તો દરેક માટે છે.... More
"અને અમે લૂતે જ્યારે પોતાની કોમને કહ્યું કે તમે એવું નિર્લજજ કાર્ય કરો છો, જેવું તમારા પહેલા સમગ્ર સૃષ્ટિવાળાઓ માંથી કોઇએ નથી કર્યું" [૮૦]. "તમે પોતાની શહેવત (કામેચ્છા) પુરી કરવા માટે સ્ત્રીઓને છોડીને પુરુષો પાસે આવો છો, તમે તો હદ વટાવી દેનારા છો" [૮૧]. "અને તેમની કોમને કોઇ જવાબ ન સૂઝ્યો, તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે તેમને પોતાની વસ્તી માંથી કાઢી મૂકો, આ લોકો ઘણા પવિત્ર બની રહ્યા છે" [૩૦૫]. (અલ્ અઅરાફ: ૮૦-૮૨).
આ આયત પુષ્ટિ કરે છે કે સમલૈંગિકતા વારસાગત નથી, અને તે માનવ આનુવંશિક કોડની રચના પર આધારિત નથી, કારણ કે લૂતની કોમ આ પ્રકારની અનૈતિકતામાં નવીનતા કરનારા પ્રથમ હતા, આ સૌથી મોટા વૈજ્ઞાનિક અભ્યાસ સાથે એકરુપ છે, જે પુષ્ટિ કરે છે કે સમલૈંગિકતાને આનુવંશિકતાસાથે કોઈ લેવાદેવા નથી. [૩૦૬]. મવસુઅતુલ્ કહીલ લિલ્ ઈઅજાઝિ ફિલ્ કુરઆની વસ્સુન્નતિ. https://kaheel7.net/?p=15851
શું આપણે ચોરની ચોરી કરવાની વૃત્તિ સ્વીકારવી જોઈએ? તે એક વૃત્તિ પણ છે, પરંતુ બંને કિસ્સાઓમાં તે અસામાન્ય વૃત્તિઓ છે, અને માનવ કુદરતી સ્વભાવ અને પ્રકૃતિ વિરુદ્ધનું ઉલ્લંઘન છે જેનું નિવારણ કરવું આવશ્યક છે.... More
અલ્લાહ તે લોકો માટે ક્ષમાશીલ અને અત્યંત દયાળુ છે જેઓ આગ્રહ વિના પાપો કરે છે, માણસના માનવીય સ્વભાવ અને નબળાઇને ધ્યાનમાં રાખીને, અને જેઓ આવા પાપો માટે પસ્તાવો કરે છે અને તેનો અર્થ નિર્માતાને પડકારવાનો નથી. જો કે, અલ્લાહ સર્વશક્તિમાન એવા લોકોનો નાશ કરે છે જેઓ તેને પડકારે છે, તેના અસ્તિત્વનો ઇનકાર કરે છે, અથવા તેને મૂર્તિ અથવા પ્રાણીના રૂપમાં કલ્પના કરે છે અને જેઓ પસ્તાવો કર્યા વિના તેની અવજ્ઞામાં મર્યાદા ઓળંગે છે અને જેમને અલ્લાહ માફ કરવા માંગતો નથી. જો કોઈ પ્રાણીનું અપમાન કરે છે, તો કોઈ તેને દોષ આપશે નહીં; જો કે, જો કોઈ તેના માતાપિતાનું અપમાન કરે છે, તો તેને સખત દોષિત ઠેરવવામાં આવશે. સર્જકના અધિકાર વિશે શું? આપણે પાપની તુચ્છતા ન ગણવી જોઈએ; તેના બદલે, આપણે જેની અનાદર કરીએ છીએ તેની મહાનતા ધ્યાનમાં લેવી જોઈએ.
દુષ્ટતા અલ્લાહ તરફથી આવતી નથી, દુષ્ટતા અસ્તિત્વ ધરાવનાર વસ્તુ નથી, કારણ કે અસ્તિત્વ શુદ્ધ ભલાઈ છે.
જો કોઈ વ્યક્તિ, ઉદાહરણ તરીકે, બીજાને ત્યાં સુધી ફટકારે છે જ્યાં સુધી તેણે તેની હલનચલન કરવાની ક્ષમતા ગુમાવી દીધી હોય, તો આ વ્યક્તિએ જુલમનું લક્ષણ પ્રાપ્ત કર્યું છે, અને જુલમ દુષ્ટ છે.
જો કે, જે કોઈ બીજાને મારવા માટે લાકડી પકડે છે તેનામાં શક્તિનું અસ્તિત્વ અનિષ્ટ નથી.... More
નિર્માતાએ પ્રકૃતિના નિયમો અને તરીકાઓ મૂક્યા છે જે તેનું નિયમન કરે છે, અને તે ફસાદ અથવા પર્યાવરણીય અસંતુલન દેખાય ત્યારે તે પોતાનો બચાવ છે, તે પોતાની જાતને સુરક્ષિત કરે છે અને પૃથ્વી પર સુધારણા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે આ સંતુલન જાળવી રાખે છે અને ખાતરી કરે છે કે જીવન વધુ સારી રીતે આગળ વધે છે, અને ફક્ત તે જ બાકી રહેશે જે લોકો અને જીવન માટે ફાયદાકારક છે, જ્યારે પૃથ્વી પર આપત્તિઓ આવે છે અને માનવજાતને નુકસાન પહોંચાડે છે, જેમ કે રોગો, જ્વાળામુખી, ધરતીકંપ અને પૂર, આ તે સમય છે જ્યારે અલ્લાહના નામ અને લક્ષણો સ્પષ્ટ થાય છે, ઉદાહરણ તરીકે, સર્વશક્તિમાન, શિફા આપનાર અને સર્વ- સંરક્ષક જેમકે તે બીમારોને સાજા કરવામાં અને બચી ગયેલા લોકોને બચાવવા માટે સક્ષમ છે, અથવા તેનું અન્ય નામો માંથી જુલમ કરનારને અથવા અન્યાય કરનારને સજા કરવામાં ન્યાય તરીકે પ્રગટ થાય છે, અને તેનું નામ હકીમ અજમાયશ અને કસોટીમાં જ્ઞાની તરીકે પ્રગટ થાય છે, જો તે ધીરજ રાખશે તો તેના માટે ભલાઈ છે અને જો ઉતાવળ કરશે તો સજા સાથે બદલો આપવામાં આવે છે, આ રીતે માણસ પોતાના પાલનહારની મહાનતાને આવા દુ:ખો દ્વારા બરાબર ઓળખે છે જેમ તે તેની કૃપા દ્વારા તેની સુંદરતાને ઓળખે છે, જો માણસ ફક્ત ઇલાહને સુંદરતાના લક્ષણોને ઓળખે, તો તે અલ્લાહ સર્વશક્તિમાનને ખરેખર જાણતો નથી.
"એન્તોની ફ્લુ" જેવા ઘણા સમકાલીન ભૌતિકવાદી ફિલસૂફોના નાસ્તિકવાદ પાછળ આપત્તિઓ, અનિષ્ટ અને પીડાનું અસ્તિત્વ કારણભૂત હતું. વીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન નાસ્તિકવાદના વડા હોવા છતાં, તેમના મૃત્યુ પહેલાં, તેમણે પાલનહારના અસ્તિત્વને સ્વીકાર્યું અને "ધેર ઇઝ અ ગોડ" નામનું પુસ્તક લખ્યું. પાલનહારના અસ્તિત્વને સ્વીકારતા, તેમણે કહ્યું:
"લોકોના જીવનમાં દુષ્ટતા અને પીડાનું અસ્તિત્વ પાલનહારના અસ્તિત્વને નકારી કાઢતું નથી: તેના બદલે, તે આપણને ઇલાહના લક્ષણો પર પુનર્વિચાર કરવા પ્રેરે છે", "એન્તોની ફ્લુ" માનતા હતા કે આવી આપત્તિઓની બહુવિધ સકારાત્મક અસરો હોય છે કારણ કે તે માણસની શારીરિક ક્ષમતાઓને જે કંઈપણ સલામતી આપે છે તેની શોધ કરવા ઉત્તેજીત કરે છે, તેઓ તેના શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક ગુણોને પણ ઉત્તેજીત કરે છે અને તેને અન્ય લોકોને મદદ કરવા માટે પ્રેરિત કરે છે, દુષ્ટતા અને પીડાને કારણે માનવ સંસ્કૃતિ સમગ્ર ઇતિહાસમાં બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું: "આ અપોરિયાને સમજાવવા માટે ગમે તેટલી થીસીસ લખવામાં આવે, ધાર્મિક સમજૂતી સૌથી વધુ સ્વીકાર્ય અને જીવનની પ્રકૃતિ સાથે સૌથી સુસંગત રહેશે" [૩૦૮]. દુક્તૂર અમ્ર શરીફની કિતાબ "ખુરાફતુલ્ ઈલ્હાદ" માંથી નકલ કરીને, જેનું પ્રકાશન ઈસ્વીસન ૨૦૧૪ માં થઇ હતું.... More
આ જીવનમાં દુષ્ટતા શા માટે છે તે આશ્ચર્ય પામનાર, તેને પાલનહારના અસ્તિત્વને નકારવા માટેના બહાના તરીકે લે છે તે ફક્ત તેની ટૂંકી દૃષ્ટિ અને આ પાછળન શાણપણને સમજવામાં તેની નાજુક વિચારસરણી દર્શાવે છે, અને અંતર્ગત મુદ્દાઓ વિશે તેની જાગૃતિનો અભાવ દર્શાવે છે. એવો પ્રશ્ન કરીને, નાસ્તિક સ્પષ્ટપણે સ્વીકારે છે કે અનિષ્ટ એક અપવાદ છે.
તેથી, દુષ્ટતાની પાછળ રહેલી હિકમત વિશે પૂછતા પહેલા, વધુ વાસ્તવિક પ્રશ્ન પૂછવો યોગ્ય છે, જે છે: પ્રથમ સ્થાને ભલાઈ કેવી રીતે અસ્તિત્વમાં આવી?
નિઃશંકપણે, શરૂ કરવા માટેનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે: કોણે ભલાઈને અસ્તિત્વ આપ્યું? આપણે પ્રથમ પ્રારંભિક બિંદુ અથવા મૂળ અથવા પ્રવર્તમાન સિદ્ધાંત પર સંમત થવું જોઈએ, પછી, આપણે અપવાદો પાછળના કારણો શોધી શકીએ છીએ.... More
જે વ્યક્તિ પોતાના માતા-પિતાથી અલગ થઈ જાય છે, તેમને ઘરમાંથી કાઢી મૂકે છે અને તેમને રસ્તા વચ્ચે છોડી દે છે તેના વિશે તમને કેવું લાગશે?
જો કોઈ કહે કે તે આ વ્યક્તિને તેના ઘરમાં રહેવા દેશે, તેની સાથે ઉદારતાથી વર્તશે, તેને ખવડાવશે અને આવા કૃત્ય માટે તેનો આભાર માનશે, તો શું લોકો તેના માટે તેની પ્રશંસા કરશે? શું લોકો તેની પાસેથી તે વાત સ્વીકારશે? અલ્લાહના સર્વ શ્રેષ્ટ ઉદાહરણો છે, તે ધ્યાનમાં રાખીને સર્જકને નકારનાર અને તેનામાં અવિશ્વાસ કરનાર વ્યક્તિ માટે આપણે શું વિચારીએ છીએ? જેને જહન્નમથી સજા આપવામાં આવે છે તે તેના યોગ્ય સ્થાને મૂકવામાં આવે છે, કારણ કે તેણે પૃથ્વી પરની શાંતિ અને ભલાઈને ધિક્કાર્યો હતો, આ રીતે તે જન્નતના આનંદની પ્રાપ્તી માટે તે લાયક નથી.
રાસાયણિક શસ્ત્રો વડે બાળકોને ત્રાસ આપનાર વ્યક્તિ માટે આપણે શું નિયતિની અપેક્ષા રાખીએ છીએ? શું આપણે અપેક્ષા રાખ્યા વિના કે તે સ્વર્ગમાં પ્રવેશ કરે?... More
હકીકતમાં, અલ્લાહ ઇચ્છે છે કે તેના બધા બંદાઓ તેના પર ઈમાન ધરાવે.
"અને તે પોતાના બંદાઓના કુફ્રથી રાજી નથી અને જો તમે આભાર વ્યકત કરશો, તો તે તેને તમારા માટે પસંદ કરશે અને કોઇ કોઇનો ભાર નથી ઉઠાવે, પછી સૌએ તમારા પાલનહાર તરફ જ પાછા ફરવાનું છે, તમને તે જણાવી દેશે જે કંઈ તમે કરતા હતા, નિ:શંક તે હૃદયોની વાતોને પણ સારી રીતે જાણે છે" [૩૧૨]. (અઝ્ ઝુમર: ૭).
જો કે, જો અલ્લાહ તમામ લોકોને હિસાબ કર્યા વિના જન્નતમાં મોકલે, તો આ ન્યાયનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાશે, તેનો અર્થ એ છે કે અલ્લાહ તેના પયગંબર મૂસા અને ફીરઓન સાથે સમાન વર્તન કરે અને દરેક જુલમીને તેના પીડિતો સાથે જન્નતમાં દાખલ કરશે જાણે કંઈ જ થયું નથી. એવી વસ્તુની જરૂર છે, જે એ સુનિશ્ચિત કરે કે જન્નતમાં પ્રવેશ મેળવનારાઓને પાત્રતાના આધારે પ્રવેશ આપવામાં આવશે.... More
ઘણા ગુનાઓ તેમને આજીવન કેદ સુધી પહોંચાડે છે. શું કોઈને એમ કહેવાનો વાંધો છે કે આ આજીવન સજા અન્યાયી છે કારણ કે ગુનેગારે માત્ર થોડીવારમાં જ પોતાનો ગુનો કરી નાખ્યો છે? શું દસ વર્ષની સજા અન્યાયી ચુકાદો છે, કારણ કે ગુનેગારે માત્ર એક વર્ષ સિવાય પૈસાની ઉચાપત કરી નથી? દંડ અપરાધો કરવાની અવધિ પર આધાર રાખતો નથી; તેના બદલે તે ગુનાની તીવ્રતા અને ગુરુત્વાકર્ષણ પર આધારિત છે.
જ્યારે પણ તેઓ મુસાફરી કરે છે અથવા કામ પર જાય છે ત્યારે માતા તેમના બાળકોને તેમની દરેક સફરમાં સાવચેત રહેવા માટે તેમની અસંખ્ય ચેતવણીઓથી થાકી જાય છે. શું તેણીને ક્રૂર માતા ગણવામાં આવે છે? દયા ક્રૂરતાને ધ્યાનમાં લેવા માટે આ એક સ્પષ્ટ ગેરસમજ છે. અલ્લાહ તેના બંદાઓને ચેતવણી આપે છે અને તેમની દયાથી ચેતવણી આપે છે, તે તેમને મુક્તિના માર્ગ તરફ માર્ગદર્શન આપે છે અને જ્યારે તેઓ તેમની પાસે તૌબા કરે છે ત્યારે તેમના દુષ્કર્મોને સારા કાર્યોથી બદલવાનું વચન આપે છે.
"તે લોકો સિવાય, જેઓ તૌબા કરે, અને ઈમાન લાવે અને સત્કાર્યો કરે, આવા લોકોના પાપોને અલ્લાહ તઆલા સત્કાર્યો વડે બદલી નાખે છે, અલ્લાહ માફ કરનાર દયાળુ છે" [૩૧૪]. (અલ્ ફુરકાન: ૭૦).
આજ્ઞાપાલનના થોડા કાર્યોના બદલામાં કાયમી જન્નતના બગીચાઓમાં નેઅમતો અને આનંદની મહાનતા વિશે આપણે શા માટે આશ્ચર્ય નથી કર્યું?... More
અલ્લાહ સર્વશક્તિમાન તેના તમામ ગુલામોને મુક્તિનો માર્ગ બતાવે છે અને તે તેમના માટે અવિશ્વાસને મંજૂરી આપતો નથી, જો કે માણસ અવિશ્વાસ દ્વારા અથવા પૃથ્વી પર ભ્રષ્ટાચાર ફેલાવીને અપનાવે છે તે ખોટા વલણને તે પોતે પસંદ નથી કરતો.
"જો તમે કુફ્ર કરશો, તો (યાદ રાખો કે), અલ્લાહ તઆલા તમારા (સૌથી) બેનિયાઝ છે અને તે પોતાના બંદાઓના કુફ્રથી રાજી નથી અને જો તમે આભાર વ્યકત કરશો, તો તે તેને તમારા માટે પસંદ કરશે અને કોઇ કોઇનો ભાર નથી ઉઠાવે, પછી સૌએ તમારા પાલનહાર તરફ જ પાછા ફરવાનું છે, તમને તે જણાવી દેશે જે કંઈ તમે કરતા હતા, નિ:શંક તે હૃદયોની વાતોને પણ સારી રીતે જાણે છે" [૩૧૬]. (અઝ્ ઝુમર: ૬૫).
એવા પિતા વિશે આપણે શું કહીશું જે તેના બાળકોને કહેતા રહે છે કે જો તેઓ ચોરી કરશે, વ્યભિચાર કરશે, હત્યા કરશે અને પૃથ્વી પર ભ્રષ્ટાચાર ફેલાવશે અને તેમને કહેશે કે તે તેમને ન્યાયી ઉપાસકોની જેમ માને છે તો તે બધા પર ગર્વ અનુભવશે? આવા પિતાનું ફક્ત શ્રેષ્ઠ વર્ણન એ છે કે તે એક શેતાન જેવો છે જે તેના બાળકોને પૃથ્વી પર ભ્રષ્ટાચાર ફેલાવવા માટે પ્રોત્સાહિત કરે છે.... More
આપણે ઈમાન અને સૃષ્ટિના પાલનહાર સામે ઝૂકવું આ બંને વચ્ચે તફાવત કરવો જોઈએ.
સૃષ્ટિના પાલનહાર, જે હકદાર છે અને જેની કોઈ ઉપેક્ષા કરી શકતું નથી તે છે તેમની એકતાને આધીન થવું અને તેમની સાથે ભાગીદાર બનાવ્યા વિના તેમની એકલાની ઉપાસના કરવી, અને એ હકીકતને આધીન થવું કે તે એકલા જ સર્જનહાર છે જેની સાર્વભૌમત્વ અને તમામ બાબતો છે, આપણે આ સ્વીકારીએ કે નહીં. આ માન્યતાની ઉત્પત્તિ છે, જે શબ્દો અને કાર્યોથી પૂર્ણ થવી જોઈએ અને આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આના પ્રકાશમાં, માણસની ગણતરી કરવામાં આવશે અને સજા કરવામાં આવશે.
સ્વીકારનું વિરુદ્ધ અપરાધ છે.... More
જ્ઞાન મેળવવું અને આ બ્રહ્માંડની ક્ષિતિજોનું અન્વેષણ કરવું એ માણસનો અધિકાર છે, કારણ કે અલ્લાહ તઆલા એ આપણને આ દિમાગ આપ્યું છે કે તેનો ઉપયોગ તેમને સ્થગિત કરવા માટે નહીં કરે. દરેક વ્યક્તિ જે પોતાના મનનો ઉપયોગ કર્યા વિના, વિચાર કર્યા વિના અથવા આવા ધર્મનું વિશ્લેષણ કર્યા વિના તેના પૂર્વજોના ધર્મનું પાલન કરે છે, તે ચોક્કસપણે પોતાની જાતને ખોટું કરે છે અને તિરસ્કાર કરે છે, અને અલ્લાહ પરમાત્માએ તેને આપેલા આ મહાન આશીર્વાદને ધિક્કારે છે જે મન છે.
ઘણા મુસ્લિમો મુસ્લિમ પરિવારમાં ઉછર્યા હતા પરંતુ, પછી, અલ્લાહ સાથે ભાગીદારો જોડીને સાચા માર્ગથી ભટકી ગયા હતા. બીજી બાજુ, અન્ય લોકો ટ્રિનિટીમાં માનતા બહુદેવવાદી અથવા ખ્રિસ્તી કુટુંબમાં ઉછર્યા હતા, પછી આ સંપ્રદાયને નકારી કાઢ્યો અને સાક્ષી આપી કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી.
નીચેના રૂપક આ મુદ્દાને સ્પષ્ટ કરે છે, એક મહિલાએ તેના પતિ માટે માછલી રાંધી પરંતુ તેને રાંધતા પહેલા તેણે તેનું માથું અને પૂંછડી કાપી નાખી, જ્યારે તેણીના પતિએ તેણીને પૂછ્યું કે તેણીએ આવું કેમ કર્યું, ત્યારે તેણીએ જવાબ આપ્યો: મારી માતા તેને આ રીતે રાંધે છે, તેણે તેની માતાને પૂછ્યું કે તે માછલી રાંધતી વખતે માથું અને પૂંછડી કેમ કાપે છે, અને તેણે તેને તેની પુત્રી જેવો જ જવાબ આપ્યો, તે પછી તેણે દાદીને પૂછ્યું કે તે શા માટે માથું અને પૂંછડી કાપશે, અને તેણીએ કહ્યું: મારી પાસે એક નાનું રસોઈ વાસણ હતું અને મારે માથું અને પૂંછડી કાપવી હતી જેથી માછલી તપેલીમાં ફિટ થઈ જાય.... More
અલ્લાહ આવા લોકો પર અન્યાય નહીં કરે; તેના બદલે તે ન્યાયના દિવસે તેમની કસોટી કરશે.
જે લોકો પાસે ઇસ્લામને સારી રીતે જાણવાની તક ન મળી તેઓ પાસે કોઈ બહાનું નથી કારણ કે, જેમ આપણે ઉલ્લેખ કર્યો છે તેમ, તેઓએ સત્ય શોધવામાં અને તેના વિશે વિચારવામાં બેદરકારી દાખવી ન હતી, જો કે ઇસ્લામ વિશે લોકોને જાણ કરવાના કાર્યને ચકાસવું મુશ્કેલ છે. લોકો અલગ અલગ હોવાથી અજ્ઞાન અને શંકા. જે લોકો તેમની અજ્ઞાનતા માટે માફી આપે છે અથવા અકાટ્ય સાબિતી ન આપવાના કારણે અલ્લાહ દ્વારા પરલોકમાં નક્કી કરવામાં આવશે, જ્યારે આ દુન્યવી જીવન સાથે સંબંધિત ચુકાદાઓ સ્પષ્ટ છે તેના પર નિર્ભર છે.
તેમને સજા કરવાનો અલ્લાહનો ચુકાદો અન્યાય નથી જે તેમણે તેમને મન, કુદરતી સ્વભાવ, સંદેશાઓ અને બ્રહ્માંડમાં અને તેમના પોતાનામાંના સંકેતો દ્વારા પૂરા પાડ્યા છે. આ બધાના બદલામાં તેમની પાસેથી ઓછામાં ઓછી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેઓ અલ્લાહ સર્વશક્તિમાનને ઓળખે અને ઓછામાં ઓછા ઇસ્લામના સ્તંભોને વળગી રહીને એકલા તેની ઈબાદત કરે, જો તેઓએ આ કર્યું હોત તો તેઓ જહન્નમની આગમાંથી હંમેશા માટે બચી ગયા હોત અને આ જીવન અને આખિરતમાં સુખ પ્રાપ્ત કરી શક્યા હોત. શું તમને લાગે છે કે આ મુશ્કેલ છે?... More
જીવનનો સફર અને સલામતીના કિનારે પહોંચવાનો નિષ્કર્ષ નીચેની આયતોમાં સમાયેલ છે:
"અને ધરતી પોતાના પાલનહારના નૂરથી પ્રકાશિત થઇ જશે, કર્મનોંધ હાજર કરવામાં આવશે, પયગંબરો અને સાક્ષીઓને લાવવામાં આવશે અને લોકો વચ્ચે સત્યતાથી નિર્ણય કરી દેવામાં આવશે, અને તેમના પર અત્યાચાર કરવામાં નહીં આવે. (૬૯) અને જે વ્યક્તિએ જે કંઈ કર્યું છે, તેને ભરપૂર આપવામાં આવશે, જે કંઈ લોકો કરી રહ્યા છે અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે. (૭૦) કાફિરોના જૂથના જૂથ જહન્નમ તરફ હાંકવામાં આવશે, જ્યારે તેઓ જહન્નમ પાસે પહોંચી જશે તો તેના દ્વાર તેમના માટે ખોલી નાંખવામાં આવશે અને ત્યાંના દેખરેખ કરનાર તેમને સવાલ કરશે કે, શું તમારી પાસે તમારા માંથી પયગંબર નહતા આવ્યા ? જે તમારી સામે તમારા પાલનહારની આયતો પઢતા હતા અને તમને આજના દિવસની મુલાકાતથી સચેત કરતા હતા ? તે લોકો જવાબ આપશે કે હાં, કેમ નહિ, પરંતુ કાફિરો માટે અઝાબનો નિર્ણય સાબિત થઇ ગયો. (૭૧) તેમને કહેવામાં આવશે, હવે જહન્નમના દ્વારમાં દાખલ થઇ જાઓ, તમે ત્યાં હંમેશા રહેશો , બસ ! ઘમંડી લોકોનું ઠેકાણું ઘણું જ ખરાબ છે. (૭૨) અને જે લોકો પોતાના પાલનહારથી ડરતા હતા, તેમના જૂથના જૂથ જન્નત તરફ લઇ જવામાં આવશે, ત્યાં સુધી કે જ્યારે તેની પાસે આવી જશે અને દ્વાર ખોલી દેવામાં આવશે અને ત્યાંના દેખરેખ કરનાર તેમને કહેશે કે તમારા ઉપર સલામતી છે, તમે પ્રસન્ન રહો, અને હંમેશા માટે જન્નતમાં દાખલ થઇ જાવ. (૭૩) તે લોકો કહેશે કે તે અલ્લાહનો આભાર, જેણે અમને આપવામાં આવેલ પોતાનું વચન પૂરું કર્યું અને અમને આ ધરતીના વારસદાર બનાવી દીધા કે જન્નતમાં જ્યાં ઇચ્છીએ, ત્યાં પોતાની જગ્યા બનાવી લઇએ, બસ ! કર્મ કરનારાઓનો કેટલો સારો બદલો છે" [૩૩૧]. (અઝ્ ઝુમર: ૬૯-૭૪).
અને હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈલાહ નથી અને તેનો કોઈ ભાગીદાર નથી... More